પરિભ્રમણ ખંડ 1/કંઠસ્થ વ્રત-સાહિત્યનો પ્રવેશક : 1927: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 242: | Line 242: | ||
::સસરો દેજો સવાદિયા | ::સસરો દેજો સવાદિયા | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
— એ બક્ષિસો માગી શકાય તેવાં બાળાભોળાં જ કલ્પાયાં છે. | |||
{{Poem2Close}} | |||
<center>'''કઠોર રેખા ભૂંસી'''</center> | |||
{{Poem2Open}} | |||
એટલું જ બસ નથી. જ્યારે જ્યારે પૌરાણિક વ્રતને પણ આ કુમારિકાઓનાં લોક-વ્રતોમાં પેસી ગયેલું આપણે જોઈએ છીએ ત્યારે પણ લોકકવિએ એ વ્રતની અસલની તમામ કઠોર રેખાઓને ભૂંસી નાખી, ફળ અને શિક્ષાના અતિશયોક્તિભર્યા ભયાનક ખ્યાલો અળગા મેલી, પાંડિત્યની બધી પરડ ચૂંટી કાઢી, પોતાના કલ્પનાના કોમલ સ્પર્શ વડે સૌમ્ય સ્વરૂપ ઘડી કાઢ્યું છે. ‘તુલસી-વ્રત’ લ્યો. તુલસી-વ્રત એટલે કાર્તિક સુદ એકાદશી, દેવદિવાળી. ‘વ્રતરાજ’માંનું એનું પૌરાણિક વર્ણન અસહ્ય થઈ પડે તેવું છે. હવે એને લોકકન્યાઓએ કેવી રીતે સાદું બનાવી કાઢ્યું? તુલસીને જેમ શ્રીકૃષ્ણ સરીખો સ્વામી મળ્યો, તેમ મને પણ મળો, સંસારમાં હું સામાન્યપણે સુખી રહું, એટલી જ સાદી સરળ વાંછનાથી પ્રેરાઈને કન્યા કહે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
તુલસીમા તુલસીમા | |||
વ્રત દ્યો, વરતોલા દ્યો. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ત્યારે તુલસીમા કહે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
તમથી વ્રત થાય નહિ | |||
ને વ્રતનો મહિમા પળાય નહિ. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હઠીલી કુમારિકા કહે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
થાય તોય દ્યો | |||
નો થાય તોય દ્યો! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ત્યારે સુંવાળી વાણીમાં માતાજી સમજાવે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
અષાઢ માસ આવે | |||
અંજવાળી એકાદશી આવે | |||
સાતે સર્યે સાતે ગાંઠે દોરો લેવો | |||
નરણાં ભૂખ્યાં વાર્તા કહેવી, | |||
વાત ન કહીએ તો ઉપવાસ પડે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
વાર્તા કહેવાની પ્રથાને ચિરંજીવ કરવા માટે હળવું છતાં કડક બંધન મૂકી દીધું. અને કાવ્યમયતા તો હવે આવે છે; વાર્તા કોને કહેવી અને શી રીતે કહેવી? | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
પીપળાને પાન કહેવી | |||
કુંવારીને કાન કહેવી | |||
તુલસીને ક્યારે કહેવી | |||
ઘીને તો દીવે કહેવી | |||
બામણને વચને કહેવી | |||
સૂરજની સાખે કહેવી. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
આટલા શબ્દોમાં જ આર્ય ગૃહજીવનની શાંત વિશુદ્ધિનો — મરજાદી ચોખ્ખાઈનો નહિ — સર્વાંગસુંદર આભાસ થઈ જાય છે. આપણી આસપાસ જાણે એ જીવનશુદ્ધિની સુવાસ ફોરે છે. અને એ વ્રતનું ઉજવણું પણ સાદું : વ્રતની પાછળ રહેલી કામના શુદ્ધ સાંસારિક : કોઈ દેવને વસમી ન પડે તેવી : | |||
{{Poem2Close}} |