ગુજરાતી નિબંધ-સંપદા/જયરાય વૈદ્ય/લેખોત્સવ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''લેખોત્સવ'''}} ---- {{Poem2Open}} પ્રજાનું પંચાંગ હોય છે તેમ વ્યક્તિનું પણ હ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
આવું પંચાંગ કોઈએ રચ્યું કે છપાવ્યું નથી ને તેમ કરવાની જરૂર પણ નથી. આપણા ઉત્સાહ કે કચવાટના પ્રમાણમાં એ નિરંતર આપમેળે સ્મરણશક્તિમાં રચાતું ને છપાતું રહે છે. ઘણી વાર તો, પ્રજાકીય પંચાંગ કરતાં આ અંગત પંચાંગની તિથિ આપણને વધારે યાદ રહે છે. બીજાને જે થતું હોય તે, પણ મને તો વીર વિક્રમના સંવત કરતાં આ આત્મસંવતની તિથિઓ વધારે ચોકસાઈથી યાદ હોય છે. મેં ગો. તે. હાઈસ્કૂલમાં પ્રવેશ કર્યો, કૉલેજ (ને પછીથી નોકરી) લીધી ને છોડી, જિંદગીનાં નાનાંમોટાં અને ખોટાં સાહસો ખેડ્યાં તથા ખોયાં, એને અંગે તાત્કાલિક કે હમેશના શત્રુઓ સરજ્યા; આ બધું ક્યારે ક્યારે બન્યું તેની વિગતો જ્યારે પૂછો ત્યારે જીભને ટેરવે તૈયાર જ હોવાની. આમાં બે તિથિ મેં નથી ગણાવીઃ જનમની ને લગનની. કારણ દેખીતાં છે: જન્મદિવસ તો ઘણાંખરાં માણસો તેમ હું પણ સંભારીને ઊજવીએ પણ છીએ, એટલે તો ગણાવવામાં કસી વિશેષતા ન હોય; અને લગનનો દિવસ–હા, એ તો મને બરાબર યાદ રહેવો જોઈએ. જીવનને એણે ઘેરા રંગે રંગ્યું છે. પણ હું એકલો શેનો એ ગોખ્યા કરું? મારું લગન મારી જાત જોડે થોડું જ થયેલું, કે એને સંભારવાની જવાબદારી મારી એકની જ હોય? બે હાથ વિના તાળી ન પડે. એ કહેવત આપણે ઘણું-ખરું બે માણસ લઢે ત્યારે વાપરીએ છીએ—એમ સાબિત કરવા કે વાંક બેઉ પક્ષનો હોવો જોઈએ. પણ લઢાઈ ને લગનમાં ક્યાં ઓછું સામ્ય છે? કેટલાકનું તો આખુંય લગ્નજીવન એક અખંડ લઢાઈ નથી હોતું? ને લગ્ન પણ બે જણાંના વાંકનું જ પરિણામ ઘણેભાગે હોય છે ને? | આવું પંચાંગ કોઈએ રચ્યું કે છપાવ્યું નથી ને તેમ કરવાની જરૂર પણ નથી. આપણા ઉત્સાહ કે કચવાટના પ્રમાણમાં એ નિરંતર આપમેળે સ્મરણશક્તિમાં રચાતું ને છપાતું રહે છે. ઘણી વાર તો, પ્રજાકીય પંચાંગ કરતાં આ અંગત પંચાંગની તિથિ આપણને વધારે યાદ રહે છે. બીજાને જે થતું હોય તે, પણ મને તો વીર વિક્રમના સંવત કરતાં આ આત્મસંવતની તિથિઓ વધારે ચોકસાઈથી યાદ હોય છે. મેં ગો. તે. હાઈસ્કૂલમાં પ્રવેશ કર્યો, કૉલેજ (ને પછીથી નોકરી) લીધી ને છોડી, જિંદગીનાં નાનાંમોટાં અને ખોટાં સાહસો ખેડ્યાં તથા ખોયાં, એને અંગે તાત્કાલિક કે હમેશના શત્રુઓ સરજ્યા; આ બધું ક્યારે ક્યારે બન્યું તેની વિગતો જ્યારે પૂછો ત્યારે જીભને ટેરવે તૈયાર જ હોવાની. આમાં બે તિથિ મેં નથી ગણાવીઃ જનમની ને લગનની. કારણ દેખીતાં છે: જન્મદિવસ તો ઘણાંખરાં માણસો તેમ હું પણ સંભારીને ઊજવીએ પણ છીએ, એટલે તો ગણાવવામાં કસી વિશેષતા ન હોય; અને લગનનો દિવસ–હા, એ તો મને બરાબર યાદ રહેવો જોઈએ. જીવનને એણે ઘેરા રંગે રંગ્યું છે. પણ હું એકલો શેનો એ ગોખ્યા કરું? મારું લગન મારી જાત જોડે થોડું જ થયેલું, કે એને સંભારવાની જવાબદારી મારી એકની જ હોય? બે હાથ વિના તાળી ન પડે. એ કહેવત આપણે ઘણું-ખરું બે માણસ લઢે ત્યારે વાપરીએ છીએ—એમ સાબિત કરવા કે વાંક બેઉ પક્ષનો હોવો જોઈએ. પણ લઢાઈ ને લગનમાં ક્યાં ઓછું સામ્ય છે? કેટલાકનું તો આખુંય લગ્નજીવન એક અખંડ લઢાઈ નથી હોતું? ને લગ્ન પણ બે જણાંના વાંકનું જ પરિણામ ઘણેભાગે હોય છે ને? | ||
બાલસ્તાવત્ક્રીડાસક્તસ્તરુણસ્તાવત્તરુણીરક્તઃ। | {{Center|'''બાલસ્તાવત્ક્રીડાસક્તસ્તરુણસ્તાવત્તરુણીરક્તઃ।'''}} | ||
વૃદ્ધસ્તાવચ્ચિંતામગ્નઃ પરે બ્રહ્મેણિ કોપિ ન લગ્નઃ ।। | {{Center|'''વૃદ્ધસ્તાવચ્ચિંતામગ્નઃ પરે બ્રહ્મેણિ કોપિ ન લગ્નઃ ।।'''}} | ||
એમ, લગ્નલાયક જે એકમાત્ર પરબ્રહ્મ, જેને બહાર શોધવાનો નથી, જે અંતર્યામી છે, જેની જોડે ‘આત્મલગ્ન ઊંડે હૃદે’ કરવાનું હરેક નરનારીનું પરમ કર્તવ્ય છે, તે બ્રહ્મનું તો જાણે અસ્તિત્વ જ નકારીને, એક જણ બીજી જણી જોડે લગ્ન કરવા નીકળે, અસાર સંસારમાંથી પણ સાર ખેંચવાનો અવળો ચમત્કાર કરી દેખાડવા કમર કસે, હિંદની નબલીપોચી ને આશરે ચાળીશ કરોડની વસ્તીમાં પણ વર્ષે દોઢ વર્ષે બેધડક વધારો કર્યે જવાની ધૃષ્ટતા ને દુષ્ટતા આચરે–આ બધું બે જણના વાંકનું પરિણામ નહિ તો બીજું શું? | એમ, લગ્નલાયક જે એકમાત્ર પરબ્રહ્મ, જેને બહાર શોધવાનો નથી, જે અંતર્યામી છે, જેની જોડે ‘આત્મલગ્ન ઊંડે હૃદે’ કરવાનું હરેક નરનારીનું પરમ કર્તવ્ય છે, તે બ્રહ્મનું તો જાણે અસ્તિત્વ જ નકારીને, એક જણ બીજી જણી જોડે લગ્ન કરવા નીકળે, અસાર સંસારમાંથી પણ સાર ખેંચવાનો અવળો ચમત્કાર કરી દેખાડવા કમર કસે, હિંદની નબલીપોચી ને આશરે ચાળીશ કરોડની વસ્તીમાં પણ વર્ષે દોઢ વર્ષે બેધડક વધારો કર્યે જવાની ધૃષ્ટતા ને દુષ્ટતા આચરે–આ બધું બે જણના વાંકનું પરિણામ નહિ તો બીજું શું? |