સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/સેજકજી: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 131: Line 131:
{{Poem2Open}}
{{Poem2Open}}
'''“દીકરો તો બીજો મળશે. કુમાર ખેંગાર ભલે ને મરી ગયો! બીજો કુંવર જન્મશે તેનું નામ ખેંગાર પાડીશ. પણ, હે ગોહિલ!'''
'''“દીકરો તો બીજો મળશે. કુમાર ખેંગાર ભલે ને મરી ગયો! બીજો કુંવર જન્મશે તેનું નામ ખેંગાર પાડીશ. પણ, હે ગોહિલ!'''
{{Poem2Close}}
<poem>
<center>
તુમ જેસા ક્ષત્રિય ભટ પ્રબીન
હમકુ મિલના હોવે કઠિન.
</center>
</poem>
{{Poem2Open}}
'''“તમારા સરખો શૂરવીર ને ટેકીલો એક ક્ષત્રિય સુભટ મને બીજે ક્યાં મળે? માટે જાઓ, ફિકર કરો મા, તપાસ કરો કે શું બન્યું. સુખેથી ખેંગારનું મડદું આંહીં લઈ આવજો. વિના દુઃખે એને હું દેન દઈશ. પણ તમને નહિ જવા દઉં.”'''
અંતરની અંદર એ ઉદાસ રા’ કવાટની તારીફ કરતા કરતા સેજકજી શાપુર આવ્યા. જોયું તો કુમાર ખેંગાર જીવતો છે. તત્કાળ જૂનાગઢ ખબર મોકલ્યા. રા’ હર્ષભેર શાપુર પધાર્યા, ગોહિલોને ધન્યવાદ આપ્યા. એ શૂરી ક્ષત્રિયાણીને પણ ધન્યવાદના ખબર મોકલ્યા.
સેજકજીએ પોતાનાં દીકરી બાલમકુંવરીને એ જ વખતે ખેંગારની સાથે પરણાવ્યાં. જૂનાગઢમાં ભર દરબાર વચ્ચે રા’ કવાટે સેજકજીને બીજાં બાર ગામનો પટો કરી આપ્યો. એ વખતે સેજકજીએ પોતાના નામ પરથી સેજકપુર નામનું ગામ બાંધ્યું.
'''[આ આખી વાતને સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી ગૌરીશંકર ઓઝાએ બહોળાં પ્રમાણો વડે પોતાના ‘રાજપૂતાને કા ઇતિહાસ’માં સેજકજી પૂરતી તો બિનપાયાદાર જ ઠરાવી છે. પોતે લખે છે : “ઈ. સ. 1145માં તો એનો પુત્ર મૂલક સૌરાષ્ટ્ર (સોરઠ)નો નાયક હતો. સેજકે જૂનાગઢના રાજા મહીપાલની સેવામાં રહીને એ જાગીર નથી મેળવી, પણ સોલંકી રાજા (સિદ્ધરાજ જયસિંહ)ના અંગરક્ષક બનીને સોરઠની જાગીર મેળવી હતી. સંભવ છે કે સિદ્ધરાજ જયસિંહે જ્યારે જૂનાગઢના ચૂડાસમા (જાદવ) રાજા ખેંગાર પર ચડાઈ કરી એને કેદ કર્યો અને સોરઠને પોતાના રાજ્યમાં ભેળવી દીધું, ત્યારે સેજક પોતાનો વિશ્વાસપાત્ર અંગરક્ષક હોવાથી એને સોરઠનો સૂબો બનાવ્યો હોય. વિ. સં. 1202 (ઇ. સ. 1145)માં સેજકનો પુત્ર મૂલક સોરઠનો નાયક હતો. સેજકના પુત્રોનાં નામ રાણોજી, શાહજી વગેરે પણ કલ્પિત જ છે. કેમ કે એના પુત્ર મૂલકના વિ. સં. 1202 (ઈ. સ. 1145)ના માંગરોળની સોઢલી વાવના શિલાલેખમાં એ નામ નથી, પણ મૂલક અને સોમરાજ છે.” (‘રાજપૂતાને કા ઇતિહાસ’, ખંડ 2, પાનું 432.)
આ વાર્તાનો પદ્યભાગ કવિશ્રી પિંગળશી પાતાભાઈ કૃત ‘ભાવભૂષણ’ કાવ્યમાંથી લીધેલ છે.'''
<center></center>
'''સેજકજીને ખેડગઢ છોડવું પડ્યું તેની છેક જુદી જ એક કથા પ્રચલિત છે તેનો સાર એ છે કે :
સેજકજીનાં લગ્ન ડાભી શાખાના સરદાર મૂળદેવનાં પુત્રી વેરે થયેલાં. ડાભીઓ ગોહિલની સાથે થોડી પેઢીથી લગ્નસંબંધમાં જોડાતાં આવતા હતા; શૂરવીર હતા. રાજ્ય તરફથી તેમને સારી જાગીરો મળી હતી.
આ ડાભી સરદારોના બળ વડે સેજકજીનું રાજ્ય સુરક્ષિત હતું. કોલુમંદના રણા સિયોજી રાઠોડની નોકરીમાં જયચંદ્ર પંગુરનો એક પૌત્ર હતો. તેણે ઘણાં રાજ્યો જીતેલાં. પણ ડાભીઓને વશ કર્યા સિવાય ખેડગઢની એક તસુ પણ જમીન તેને ન મળી શકે. એણે પોતાના કુંવર અસ્તાજીને મૂળદેવ ડાભી પાસે મોકલ્યો. રાજ્યલોભી મૂળદેવ એ પરાયાની શિખવણીને વશ બની પોતાના જમાઈ સેજકજીનો વિનાશ કરવા ખેડગઢ ઊપડ્યો. પરંતુ એ પ્રપંચની ખબર પોતાની પુત્રીને — સેજકજીનાં પત્નીને — પડી ગઈ. એમણે જઈને સેજકજીને ચેતવ્યા. સેજકજી તૈયાર રહ્યા.
ડાભીઓ આવ્યા, પણ ખુલ્લી લડાઈ કરવામાં ન ફાવી શક્યા તેથી દગો ગોઠવ્યો. ગામ બહાર રાજાજીને ગોઠમાં નોતર્યા. અસલથી કરેલા સંકેત પ્રમાણે તમામ ડાભીઓ ડાબી બાજુ બેસી ગયા, અને ગોહિલો સામી બાજુ એકલા પડી ગયા. ગોહિલોને ખૂબ દારૂ પાયો. પછી કતલ ચાલી. ડાભીઓ તારાજ થયા, પણ ત્યાં રાઠોડ પોતાના સૈન્યની સાથે આવી પહોંચ્યો. સેજકજીનું બળ તૂટી પડ્યું. આખરે સેજકજી નાઠા.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}