સ્વરૂપસન્નિધાન/લલિત નિબંધ-મણિલાલ હ. પટેલ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લલિત નિબંધ|મણિલાલ હ. પટેલ}} {{Poem2Open}} સાહિત્યના રચના અને કાર્યની દૃષ્ટિએ બે વિભાગ કરનારા મીમાંસકોએ, નિબંધને લલિતેતર (નોન-ક્રિએટિવ) સાહિત્યના ખાનામાં મૂકેલો. કવિતા-વાર્તા-નવલકથ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મણિલાલ હ. પટેલ | |||
સાહિત્યના રચના અને કાર્યની દૃષ્ટિએ બે વિભાગ કરનારા મીમાંસકોએ, નિબંધને લલિતેતર (નોન-ક્રિએટિવ) સાહિત્યના ખાનામાં મૂકેલો. કવિતા-વાર્તા-નવલકથા વગેરે સર્જનાત્મક (ક્રિએટિવ) સાહિત્ય પ્રકારો (genre)ની પંગતમાં આરંભે તો ગુજરાતી વિવેચને પણ નિબંધને નથી બેસવા દીધો. એને ચરિત્ર, ડાયરી, પ્રવાસ વગેરે લલિતેતર સાહિત્યના પ્રકારોમાં ગોઠવ્યો હતો. | સાહિત્યના રચના અને કાર્યની દૃષ્ટિએ બે વિભાગ કરનારા મીમાંસકોએ, નિબંધને લલિતેતર (નોન-ક્રિએટિવ) સાહિત્યના ખાનામાં મૂકેલો. કવિતા-વાર્તા-નવલકથા વગેરે સર્જનાત્મક (ક્રિએટિવ) સાહિત્ય પ્રકારો (genre)ની પંગતમાં આરંભે તો ગુજરાતી વિવેચને પણ નિબંધને નથી બેસવા દીધો. એને ચરિત્ર, ડાયરી, પ્રવાસ વગેરે લલિતેતર સાહિત્યના પ્રકારોમાં ગોઠવ્યો હતો. | ||
વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હું એમ કહીશ કે પ્રારંભિક કાળનાં નિબંધને આપણે ‘જ્ઞાન આપનારા સાહિત્ય' (લિટરેચર ફોર નૉલેજ)ના ખાનામાં બેસાડેલો; કવિતા અને કથાસાહિત્યની જેમ એ રસલક્ષી કે સૌંદર્યલક્ષી આનંદ પણ આપે છે એમ હોતું સ્વીકારાયું. આનાં વાજબી કારણો પણ મળેલાં. | વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હું એમ કહીશ કે પ્રારંભિક કાળનાં નિબંધને આપણે ‘જ્ઞાન આપનારા સાહિત્ય' (લિટરેચર ફોર નૉલેજ)ના ખાનામાં બેસાડેલો; કવિતા અને કથાસાહિત્યની જેમ એ રસલક્ષી કે સૌંદર્યલક્ષી આનંદ પણ આપે છે એમ હોતું સ્વીકારાયું. આનાં વાજબી કારણો પણ મળેલાં. | ||
Line 82: | Line 83: | ||
વિશ્વ સાહિત્યના નિબંધકારો વિશે મેં વાંચ્યું છે-એમના બધાના નિબંધો વાંચવાનું બન્યું નથી. પણ ભારતીય ભાષાઓના નિબંધકારોમાં રવીન્દ્રનાથ, હજારીપ્રસાદ-મહાદેવી-મલયજ (હિન્દી) અને ગ્રેસ (મરાઠી) આદિના નિબંધો ધ્યાનપાત્ર છે. | વિશ્વ સાહિત્યના નિબંધકારો વિશે મેં વાંચ્યું છે-એમના બધાના નિબંધો વાંચવાનું બન્યું નથી. પણ ભારતીય ભાષાઓના નિબંધકારોમાં રવીન્દ્રનાથ, હજારીપ્રસાદ-મહાદેવી-મલયજ (હિન્દી) અને ગ્રેસ (મરાઠી) આદિના નિબંધો ધ્યાનપાત્ર છે. | ||
ગુજરાતીમાં કેટલાક ધ્યાનપાત્ર નિબંધ સંગ્રહો -મારી દૃષ્ટિએ- આ રહ્યા. જીવનનો આનંદ, ઓતરાતી દીવાલો, ગોષ્ઠી, જનાન્તિકે, ઈદમ્ સર્વમ્, દૂરના એ સૂર, વિદિશા-કાંચનજંઘા-શાલભંજિકા, નંદ સામવેદી, નીરવ સંવાદ, વગડાને તરસ ટહૂકાની, ઝાકળ ભીનાં પારિજાત, હથેળીનું આકાશ, વૈકુંઠ નથી જાવું, મન સાથે મૈત્રી, વેઈટ્-એ-બિટ, ચૂઈંગમ, જરા મોટેથી વગેરે. હાસ્યનિબંધોને પણ અહીં સમાવીએ તો સ્વૈરવિહારી- જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી-વિનોદ ભટ્ટ-રતિલાલ બોરીસાગરના નિબંધો વધુ અભ્યાસપાત્ર છે એમ કબૂલવું પડે. પશ્ચિમના વિવેચને હાસ્યપ્રધાન નિબંધને અહીં જ સમાવ્યો છે. સ્વીફ્ટનો ‘અ મોડેસ્ટ પ્રપોઝલ' નિબંધ સેટાયરનું જાણીતું ઉદાહરણ છે. | ગુજરાતીમાં કેટલાક ધ્યાનપાત્ર નિબંધ સંગ્રહો -મારી દૃષ્ટિએ- આ રહ્યા. જીવનનો આનંદ, ઓતરાતી દીવાલો, ગોષ્ઠી, જનાન્તિકે, ઈદમ્ સર્વમ્, દૂરના એ સૂર, વિદિશા-કાંચનજંઘા-શાલભંજિકા, નંદ સામવેદી, નીરવ સંવાદ, વગડાને તરસ ટહૂકાની, ઝાકળ ભીનાં પારિજાત, હથેળીનું આકાશ, વૈકુંઠ નથી જાવું, મન સાથે મૈત્રી, વેઈટ્-એ-બિટ, ચૂઈંગમ, જરા મોટેથી વગેરે. હાસ્યનિબંધોને પણ અહીં સમાવીએ તો સ્વૈરવિહારી- જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી-વિનોદ ભટ્ટ-રતિલાલ બોરીસાગરના નિબંધો વધુ અભ્યાસપાત્ર છે એમ કબૂલવું પડે. પશ્ચિમના વિવેચને હાસ્યપ્રધાન નિબંધને અહીં જ સમાવ્યો છે. સ્વીફ્ટનો ‘અ મોડેસ્ટ પ્રપોઝલ' નિબંધ સેટાયરનું જાણીતું ઉદાહરણ છે. | ||
= નિબંધ વિશેની અન્ય સામગ્રી = | = નિબંધ વિશેની અન્ય સામગ્રી = | ||
નિબંધમાં કર્તાનું વ્યક્તિત્વ | નિબંધમાં કર્તાનું વ્યક્તિત્વ | ||
Line 102: | Line 90: | ||
– પ્રવીણ દરજી; | – પ્રવીણ દરજી; | ||
લલિત નિબંધ, પૃ. ૧૪-૧૫, પૃ. ૧૭-૧૮ | લલિત નિબંધ, પૃ. ૧૪-૧૫, પૃ. ૧૭-૧૮ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||