ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/જાગીને જોઉં તો: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''જાગીને જોઉં તો'''}} ---- {{Poem2Open}} સવારે ઊઠીને આંખ ખોલતાંની સાથે એક પ્રબ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''જાગીને જોઉં તો'''}}
{{SetTitle}}
----
{{Heading|જાગીને જોઉં તો | સુરેશ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સવારે ઊઠીને આંખ ખોલતાંની સાથે એક પ્રબળ પ્રલોભન મારા મનનો કબજો લઈ બેસે છે. નિદ્રા દરમિયાન ચેતનાના સાતમા પાતાળમાં જઈને જે જોયું હોય છે તેને સવારના આપણા સચ્ચાઈભર્યા વાસ્તવિક સૂર્ય પાસે પ્રમાણિત કરાવી લેવાનું મન થાય છે. એ સાતમા પાતાળમાં નથી કોઈ પાતાળકન્યા કે નથી બલિરાજા. રત્નો કે મોતીનો ભંડાર પણ નથી. ત્યાં થીજેલાં આંસુનો એક બિલોરી મહેલ છે. એ મહેલમાં જે વસે છે તે તો એક પ્રકારનો અગ્નિ, પણ આપણને પરિચિત અગ્નિનો જે વર્ણ છે તે એનો નથી, માટે હું એને અગ્નિ કહેતાં સહેજ ખચકાઉં છું. વળી એ અગ્નિ હોવા છતાં થીજેલાં આંસુને પિગળાવતો નથી. છતાં પોતાની જિહ્વા ફેલાવીને અણુએ અણુમાં વ્યાપી જવાની એની પ્રવૃત્તિ અગ્નિના જેવી જ છે. એ અગ્નિને તેજ નથી. આથી જ તો એ સૃષ્ટિની રૂપરેખા હું જોઈ શકતો નથી. આથી જ તો સૂર્ય એને વાસ્તવિક રૂપ આપે એવો મને લોભ છે.
સવારે ઊઠીને આંખ ખોલતાંની સાથે એક પ્રબળ પ્રલોભન મારા મનનો કબજો લઈ બેસે છે. નિદ્રા દરમિયાન ચેતનાના સાતમા પાતાળમાં જઈને જે જોયું હોય છે તેને સવારના આપણા સચ્ચાઈભર્યા વાસ્તવિક સૂર્ય પાસે પ્રમાણિત કરાવી લેવાનું મન થાય છે. એ સાતમા પાતાળમાં નથી કોઈ પાતાળકન્યા કે નથી બલિરાજા. રત્નો કે મોતીનો ભંડાર પણ નથી. ત્યાં થીજેલાં આંસુનો એક બિલોરી મહેલ છે. એ મહેલમાં જે વસે છે તે તો એક પ્રકારનો અગ્નિ, પણ આપણને પરિચિત અગ્નિનો જે વર્ણ છે તે એનો નથી, માટે હું એને અગ્નિ કહેતાં સહેજ ખચકાઉં છું. વળી એ અગ્નિ હોવા છતાં થીજેલાં આંસુને પિગળાવતો નથી. છતાં પોતાની જિહ્વા ફેલાવીને અણુએ અણુમાં વ્યાપી જવાની એની પ્રવૃત્તિ અગ્નિના જેવી જ છે. એ અગ્નિને તેજ નથી. આથી જ તો એ સૃષ્ટિની રૂપરેખા હું જોઈ શકતો નથી. આથી જ તો સૂર્ય એને વાસ્તવિક રૂપ આપે એવો મને લોભ છે.