અરણ્યરુદન/અરણ્યરુદન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) m (MeghaBhavsar moved page અરણ્યરુદન/અરણ્યરુદન to અરણ્યરુદન/અરણ્યરુદન) |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|અરણ્યરુદન| સુરેશ જોષી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હમણાંની એક એવી છાપ ઊભી થતી જાય છે કે સાહિત્યનાં સર્જન અને વિવેચન પરત્વે ઊભા થતા પ્રશ્નોની તાત્ત્વિક ચર્ચાનું ધોરણ નીચું ઊતરતું જાય છે. કેટલીક વાર સિદ્ધાન્તોને ઉચિત રીતે સ્થાપી આપ્યા વિના શ્રદ્ધા કે અભિનિવેશથી સ્વીકારી લેવડાવવાનો હઠાગ્રહ દેખાય છે. આપણાં ગૃહીતોની રસકીય કે દાર્શનિક પીઠિકા રજૂ કરવાનો પુરુષાર્થ ઝાઝો દેખાતો નથી. ગ્રન્થાવલોકનમાં પણ આની માઠી અસરો દેખાય છે. એક જ લેખમાં જુદી જુદી અને કેટલીક વાર તો પરસ્પરવિરોધી એવી ભૂમિકાઓની સેળભેળ થઈ જતી દેખાય છે. પોતે જે મૂળ સિદ્ધાન્ત સ્વીકારે છે તેની સાથે એની બધી જ તાકિર્ક ઉપપત્તિઓનો પણ સ્વીકાર અનિવાર્ય બની રહે છે એ હકીકત ભૂલી જવાતી લાગે છે. પશ્ચિમમાં આ પરત્વે સતત મીમાંસા થયા કરતી હોય છે. એવી મીમાંસાનાં સૂત્રોચ્ચાર માત્ર કરવામાં આવે છે. એની માંડણી જે દાર્શનિક પીઠિકા પર થઈ હોય છે તેનો જો પરિચય કરાવવામાં ન આવે તો આવા સૂત્રોચ્ચારથી સાચા ઊહાપોહની ભૂમિકા રચી શકાતી નથી. | હમણાંની એક એવી છાપ ઊભી થતી જાય છે કે સાહિત્યનાં સર્જન અને વિવેચન પરત્વે ઊભા થતા પ્રશ્નોની તાત્ત્વિક ચર્ચાનું ધોરણ નીચું ઊતરતું જાય છે. કેટલીક વાર સિદ્ધાન્તોને ઉચિત રીતે સ્થાપી આપ્યા વિના શ્રદ્ધા કે અભિનિવેશથી સ્વીકારી લેવડાવવાનો હઠાગ્રહ દેખાય છે. આપણાં ગૃહીતોની રસકીય કે દાર્શનિક પીઠિકા રજૂ કરવાનો પુરુષાર્થ ઝાઝો દેખાતો નથી. ગ્રન્થાવલોકનમાં પણ આની માઠી અસરો દેખાય છે. એક જ લેખમાં જુદી જુદી અને કેટલીક વાર તો પરસ્પરવિરોધી એવી ભૂમિકાઓની સેળભેળ થઈ જતી દેખાય છે. પોતે જે મૂળ સિદ્ધાન્ત સ્વીકારે છે તેની સાથે એની બધી જ તાકિર્ક ઉપપત્તિઓનો પણ સ્વીકાર અનિવાર્ય બની રહે છે એ હકીકત ભૂલી જવાતી લાગે છે. પશ્ચિમમાં આ પરત્વે સતત મીમાંસા થયા કરતી હોય છે. એવી મીમાંસાનાં સૂત્રોચ્ચાર માત્ર કરવામાં આવે છે. એની માંડણી જે દાર્શનિક પીઠિકા પર થઈ હોય છે તેનો જો પરિચય કરાવવામાં ન આવે તો આવા સૂત્રોચ્ચારથી સાચા ઊહાપોહની ભૂમિકા રચી શકાતી નથી. |