The Prophet: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "frameless|center <center> <span style="color:#ff0000"> {{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br> </span> </center> <hr> {{BookCover |cover_image = File:The Prophet-title.jpg |title = The Prophet <center> Khalil Gibran<br> <center>{{color|red|<big><big><big>'''ધ પ્રોફેટ '''</big></big></big>}} <...") |
(+1) |
||
Line 6: | Line 6: | ||
</center> | </center> | ||
<hr> | <hr> | ||
{{BookCover | {{BookCover | ||
|cover_image = File:The Prophet-title.jpg | |cover_image = File:The Prophet-title.jpg | ||
Line 13: | Line 12: | ||
Khalil Gibran<br> | Khalil Gibran<br> | ||
<center>{{color|red|<big><big><big>'''ધ પ્રોફેટ '''</big></big></big>}} | <center>{{color|red|<big><big><big>'''ધ પ્રોફેટ '''</big></big></big>}} | ||
<br> | ખલિલ જીબ્રાન | ||
<br>'''Prose Poetry Fables on the Beauty of Life and the Human Condition ''' | <br><br>'''Prose Poetry Fables on the Beauty of Life and the Human Condition ''' | ||
<br>વિદાય વેળાએ પયગંબરનો જીવન-સંદેશ | <br>વિદાય વેળાએ પયગંબરનો જીવન-સંદેશ | ||
<br>જીવનના સૌંદર્ય અને માનવીય પરિસ્થિતિ અંગે ગદ્ય-પદ્યાત્મક પયગંબરી બોધકથાઓ. | <br>'''જીવનના સૌંદર્ય અને માનવીય પરિસ્થિતિ અંગે ગદ્ય-પદ્યાત્મક પયગંબરી બોધકથાઓ.''' | ||
<br>‘વિચારનું સૌંદર્ય, આકૃતિના સૌંદર્ય કરતાં વધારે જાદુઈ અસર ઉપજાવે છે’ (સોક્રેટીસ) સ્પષ્ટપણે સમજવું હોય તો વાંચો ‘ધ પ્રોફેટ’! | <br><span style="color: red">‘વિચારનું સૌંદર્ય, આકૃતિના સૌંદર્ય કરતાં વધારે જાદુઈ અસર ઉપજાવે છે’ (સોક્રેટીસ) સ્પષ્ટપણે સમજવું હોય તો વાંચો ‘ધ પ્રોફેટ’!</span> | ||
<br>‘ગીતાંજલિ’ પછી પૂર્વમાંથી ઊગેલો એક ઉત્કૃષ્ટ ધ્વનિ તે ‘ધ પ્રોફેટ’! {{gap}} -જ્યોર્જ રસલ. | <br><span style="color: blue">‘ગીતાંજલિ’ પછી પૂર્વમાંથી ઊગેલો એક ઉત્કૃષ્ટ ધ્વનિ તે ‘ધ પ્રોફેટ’! {{gap}} -જ્યોર્જ રસલ. | ||
<br>ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન | <br>ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન | ||
Line 28: | Line 27: | ||
</center> | </center> | ||
}} | }} | ||
== <span style="color: red">લેખક પરિચય: </span>== | == <span style="color: red">લેખક પરિચય: </span>== | ||
[[File:Kahlil Gibran 1913 1.jpg|right|frameless|175px]] | [[File:Kahlil Gibran 1913 1.jpg|right|frameless|175px]] | ||
Line 41: | Line 38: | ||
પૂરાં ૧૦૦ વર્ષ પૂર્વે પ્રકશિત આ પુસ્તક જીવન અને માનવીય પરિસ્થિતિના સૌંદર્યાત્મક અને આધ્યાત્મિક ચિંતનાત્મક પાસા ઉપર એક પયગમ્બરી સંદેશ જેવું છે. પયગંબર અલમુસ્તફા એમના કાલ્પનિક શહેર ઓર્ફેલીયસથી વિદાય લે છે ત્યારે એમના નગરજનો અને અનુયાયીઓ તેમને બંદર સુધી વિદાય આપવા જાય છે અને હાથ જોડી પ્રાર્થે છે કે, ‘પ્રભુ, આપના અગાધ જ્ઞાન અને પ્રજ્ઞાના સાગરમાંથી અમને થોડાં જીવનોપયોગી વિચાર-મોતી આપો.’ અને પછી એમના શ્રીમુખે જે જીવન-જગત અને માનવીય પરિસ્થિતિ વિશે ઊંડી આંતરદૃષ્ટિપૂર્ણ વિચારયાત્રા વહી તે આ પુસ્તક-<span style="color: Blue">પયગંબરનો વિદાય સંદેશ !</span> | પૂરાં ૧૦૦ વર્ષ પૂર્વે પ્રકશિત આ પુસ્તક જીવન અને માનવીય પરિસ્થિતિના સૌંદર્યાત્મક અને આધ્યાત્મિક ચિંતનાત્મક પાસા ઉપર એક પયગમ્બરી સંદેશ જેવું છે. પયગંબર અલમુસ્તફા એમના કાલ્પનિક શહેર ઓર્ફેલીયસથી વિદાય લે છે ત્યારે એમના નગરજનો અને અનુયાયીઓ તેમને બંદર સુધી વિદાય આપવા જાય છે અને હાથ જોડી પ્રાર્થે છે કે, ‘પ્રભુ, આપના અગાધ જ્ઞાન અને પ્રજ્ઞાના સાગરમાંથી અમને થોડાં જીવનોપયોગી વિચાર-મોતી આપો.’ અને પછી એમના શ્રીમુખે જે જીવન-જગત અને માનવીય પરિસ્થિતિ વિશે ઊંડી આંતરદૃષ્ટિપૂર્ણ વિચારયાત્રા વહી તે આ પુસ્તક-<span style="color: Blue">પયગંબરનો વિદાય સંદેશ !</span> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 75: | Line 71: | ||
આ સુખ્યાત સત્વશીલ ગદ્યખંડ પ્રેમની પરિવર્તનકારી લાક્ષણિકતા અને સંકુલતાઓને બખૂબી ઘનીભૂત કરીને, વાચકોને, સ્વ વિકાસ અને આત્મખોજ માટે જરૂરી એવા, પ્રેમજન્ય આનંદ અને આઘાત, ઉત્કટતા અને અવસાદ, પ્રસન્નતા અને પીડા જેવાં પરસ્પર વિરોધી ભાસતાં તત્ત્વોને આશ્લેષમાં લેવા પ્રેરિત કરે છે. આવી સૂક્ષ્મ આંતરદૃષ્ટિસભર આ પુસ્તક સાહિત્યનું કાલાતીત અને પ્રિયકર વાચન બની પેઢીઓ સુધી વાચકોનાં દિલોદિમાગમાં ગૂંજી રહ્યું છે. | આ સુખ્યાત સત્વશીલ ગદ્યખંડ પ્રેમની પરિવર્તનકારી લાક્ષણિકતા અને સંકુલતાઓને બખૂબી ઘનીભૂત કરીને, વાચકોને, સ્વ વિકાસ અને આત્મખોજ માટે જરૂરી એવા, પ્રેમજન્ય આનંદ અને આઘાત, ઉત્કટતા અને અવસાદ, પ્રસન્નતા અને પીડા જેવાં પરસ્પર વિરોધી ભાસતાં તત્ત્વોને આશ્લેષમાં લેવા પ્રેરિત કરે છે. આવી સૂક્ષ્મ આંતરદૃષ્ટિસભર આ પુસ્તક સાહિત્યનું કાલાતીત અને પ્રિયકર વાચન બની પેઢીઓ સુધી વાચકોનાં દિલોદિમાગમાં ગૂંજી રહ્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== <span style="color: red"> મુખ્ય મુદ્દાઓ:</span>== | == <span style="color: red"> મુખ્ય મુદ્દાઓ:</span>== | ||
Line 94: | Line 88: | ||
રઘુનાથનાં જડિયાં!’</poem>}} | રઘુનાથનાં જડિયાં!’</poem>}} | ||
પયગંબર વદે છે- ‘તમારાં અંતરમાં દુખની ખીણ જેટલી ઊંડી કોતરાશે, એટલો જ સુખનો પર્વતીય સૂર્યોદય તમને પ્યારો લાગશે.’ આ રીતે દુઃખ, પીડા, શોકનો તીવ્ર અનુભવ જેટલો તમને વધુ હશે, તેટલો તમે સાચા સુખનો અનુભવ સમજીને માણી શકશો. | પયગંબર વદે છે- ‘તમારાં અંતરમાં દુખની ખીણ જેટલી ઊંડી કોતરાશે, એટલો જ સુખનો પર્વતીય સૂર્યોદય તમને પ્યારો લાગશે.’ આ રીતે દુઃખ, પીડા, શોકનો તીવ્ર અનુભવ જેટલો તમને વધુ હશે, તેટલો તમે સાચા સુખનો અનુભવ સમજીને માણી શકશો. | ||
ત્યાર પછી ઓર્ફેલિયસવાસીએ પયગંબરને પીડા-pain વિશે પૂછ્યું. તેઓ બોલ્યા : ‘કોચલું તૂટવાથી પીડા પ્રગટે છે, એ કોચલામાં એક ગુપ્ત, ગર્ભિત કે અવગણાયેલું આધ્યાત્મિક સત્ય રહેલું હતું. બીજા શબ્દોમાં કહું તો, પ્રગટીકરણની, પ્રસૂતિની કે પ્રગતિની (જ) પીડા હોય છે. કોચલાનું તૂટવું પીડાકર જરૂર હોય, પરંતુ એ આત્માને અજવાળતો સૂર્યપ્રકાશ પાથરી દે છે (ત્યારે પીડાનો પડછાયો પડદા પાછળ પોઢી જાય છે ને?) પ્રસૂતાની બદનતોડ પીડા, બાળકના સ્વસ્થ પ્રસવ થતાં જ ઓસરી જાય છે. આ કોચલાંતોડ અનુભવ આપણને વધુ જ્ઞાનવાન, પરિપક્વ અને પ્રજ્ઞાવાન બનાવે છે. તો પછી પીડાની હાય...હાય ન કરતાં એનો સ્વસ્થ સ્વીકાર અને શાંતચિત્તે અનુભવ કરવો જ શ્રેયસ્કર છે. એ તો જીવનનો જાદુ છે, ચેતનાનો ચમત્કાર છે. પીડા જેટલું હંફાવે, આનંદ પછી એટલો જ ફાવે... | |||
પયગંબર ઉવાચ— ‘જો તમે પીડાને આ દૃષ્ટિથી જોશો, અનુભવશો તો પીડાની પાનખર તમને પ્રજાડશે નહિ, અસુખનો શિયાળો ઠારશે નહિ. તમે શાંત, સ્વસ્થ, અવિચલિત રહી શકશો, ભલે પીડામાંથી પસાર થતા હો. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
=== ૩ | === <span style="color: Blue">(૩) નિવાસો અને વસ્ત્રો :</span> === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ | પછી પયગંબરી વાણીમાં આવાસો, વસ્ત્રો, ઘરબાર, ગલીઓ, શહેરોની વાત આવી. એમણે સમજાવ્યું કે એ બધું આપણા આ ધરતી ઉપરના અસ્તિત્વ માટે જરૂરી છે જ, પરંતુ સાથોસાથ એમણે નગરજનોને અપીલ કરી કે આપણે ધરતીમાતા, જંગલો, મેદાનો, વનસ્પતિજગત, પ્રકૃતિ સાથે પણ એક પ્રકારના આધ્યાત્મિક સંબંધથી જોડાયેલા રહેવાનું છે. ખરું જુઓ તો આપણે આ જ સૃષ્ટિના એક અંશ છીએ, તેની જવાબદારી ને ગાંભીર્ય આપણે નિભાવવાનું છે. અલમુસ્તફા એવું જગત ઝંખે છે. જ્યાં ખીણો આપણી શેરીઓ અને વૃક્ષવેલી-લતાઓ એની નસનાડીઓ હોય, એટલે કે આપણી રહનસહન, જીવનશૈલી, વિહાર-વ્યવહાર પ્રકૃતિ સાથેના આધ્યાત્મિક સંબંધને હણનારા, ખેદાન-મેદાન કરનારા ન હોવાં ઘટે. (પયગંબરની પ્રકૃતિ અને પર્યાવરણ પ્રતિબદ્ધતા !) | ||
માનવજાતે ધીમે ધીમે કરવા માંડેલું શહેરીકરણ, એ આપણા પૂર્વજોની સુખી સલામત-સગવડભર્યા જીવનની ઈચ્છા અને કલ્પનાનું સાકારરૂપ છે. આ ભૌતિક જીવન વ્યવસ્થાને આધ્યાત્મિક સ્પર્શ આપતાં તેઓ બોલ્યા કે આપણા આત્માને યાદ કરો- અસીમ આત્મા સીમિત શરીરમાં વસે છે. એ જ પરમાત્મા(જેના આપણે અંશ છીએ) આકાશી આવાસમાં વસે છે. પ્રભાતનું ધુમ્મસ જેનું દ્વાર છે અને નિશાનું સંગીત અને શાંતિ એની બારીઓ છે. | |||
વસ્ત્રો વિશે પણ આવું વલણ દાખવતાં તેઓ બોલ્યા : ‘હા, વસ્ત્રો આપણને બાહ્ય તત્ત્વોથી રક્ષણ આપવા ઉપયોગી છે, સાથે જ પશુપક્ષી જગતથી માનવીને તે જુદો દર્શાવનારી બાબત પણ છે. પરંતુ યાદ રાખો કે વસ્ત્રો આપણા (શારીરિક) સૌંદર્યને છૂપાવે પણ છે. આપણને વસ્ત્રોમાં કદાચ અંગતતા અને સ્વતંત્રતા જણાતી હોય, પણ એ તો એક ભ્રમણા છે. તેના બદલે, તેઓ ‘એક લગામ અને એક બેડી’ પણ બની શકે છે. અલમુસ્તફા આપણને વિનંતી કરે છે કે સૂર્યપ્રકાશ અને હવા-પવન આપણાં કપડાંને લાગે તેના કરતાં આપણી ત્વચાને વધારે લાગવા દો, જેથી આપણને જીવનનો વધુ મધુર સ્પર્શ અનુભવવા મળશે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
=== ૪ | === <span style="color: Blue">(૪) કાનૂન-નિયમ, અપરાધ અને સજા :</span> === | ||
{{Poem2Open}} | {{Poem2Open}}આપણી આધ્યાત્મિક માર્ગદર્શિકા, માનવ-નિર્મિત કાયદા-કાનૂનની ખાસ ચાહક નથી. આપણી કાનૂન વ્યવસ્થાને, સાગર કિનારે રેતીના કિલ્લા બનાવતાં ને તોડતાં બાળક જોડે સરખાવતાં અલમુસ્તફા કહે છે કે આપણે આપણી ધૂન કે તરંગ મુજબ કાયદા બનાવીએ અને તોડીએ છીએ. | ||
પ્રથમ તો આપણે રચેલા કાનૂનની અવગણના કરીને, આપણે તેમાંથી મુક્તિ મેળવવી જોઈએ, એટલે કે કોઈને હાનિ, દુઃખ, કષ્ટ ન પહોંચાડવાની અને પ્રાણીમાત્રને ચાહવાની આપણી જવાબદારી નિભાવવી જોઈએ. આમ કરવાથી આપણે આધ્યાત્મિક શાંતિ મેળવી શકીશું. પયગંબરને મન, આવી જવાબદારી એ કુદરતનો કાનૂન છે, વૈશ્વિક-નૈતિક સત્ય છે જે ફરી પાછો આપણને પ્રેમ ઉપરના તેમના પાયાના ઉપદેશ તરફ મૂકી આપે છે. | |||
સંગીતની દુનિયાના માનવરચિત અને પ્રાકૃતિક નિયમો વચ્ચે સરસ તુલના કરતાં પયગંબર કહે છે કે, ‘તમે ધારો તો ઢોલને ઢાંકી શકો ને વીણાના તાર તોડી-તાણી શકો, પણ વાયુવિહારી પંખીડાને ગાતાં રોકી શકો ખરા ? મુક્તકંઠી પક્ષીઓને આપણે રચેલા નિયમોની શી પરવા? | |||
અપરાધ અને સજા વિશે પણ અલમુસ્તફાને ઘણું કહેવાનું છે. ઓર્ફેલીયસવાસીઓને મૂલગત ક્ષમાભાવના વિશે ઉપદેશતાં તેઓ કહે છે કે અપરાધી પણ આખરે તો કોઈના પણ જેવો માનવી જ છે. અપરાધીની તુલના એ રસ્તા પર ગડથોલું ખાતા, ઠોકર ખાતા માણસ જોડે કરે છે કે એને ઠોકર વાગી એ એની પાછળ આવતા માણસ માટે ચેતવણી સમાન છે કે જોઈને ચાલો ભાઈ, નહિ તો પેલાની જેમ મને પણ ઠોકર લાગશે, અને આગળ નીકળી/ચાલી ગયેલા માટે શરમજનક છે કે તેણે શા માટે પત્થર કે અડચણ ન હઠાવી, તો જ પેલાને ઠોકર વાગી ને પડવાનું થયું ! | |||
અંતે, અલમુસ્તફા કહે છે કે અપરાધીને સાચા દિલનો પસ્તાવો થાય એજ એની મોટામાં મોટી સજા કે ઉપચાર છે. એક રોટીચોર, અનેક ભૂખ્યા લોકોનાં પેટ ભરતો હોય અને પોતાની ચોરીનો પસ્તાવો કરતો હોય તો તમે એને શું સજા કરશો ? | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
=== ૫ | ===<span style="color: Blue">(૫) વિચારશક્તિ-વિવેક-તર્ક અને લાગણી :</span>=== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તાર્કિક બુદ્ધિ અને લાગણીને આપણે ઘણીવાર એકબીજાનાં વિરોધી લેખીએ છીએ. પરંતુ આપણી ભીતર એમને પ્રતિસ્પર્ધી ભાવનાઓ તરીકે જોવાને બદલે, આપણને જીવંત માનવી બનાવી રાખનાર ઉપયોગી તત્ત્વો તરીકે જોવાં જોઈએ. | |||
પરંતુ | |||
અલમુસ્તફા તર્કબુદ્ધિને જહાજના રડાર તરીકે અને લાગણીને એના શઢ તરીકે કલ્પે છે. આ બંને વિના જહાજ આગળ ન વધી શકે, અરે નકામું જ થઈ જાય. દિશાસૂચન અને શઢ બંને જોઈએ, બંને સક્રિય, કાર્યરત જોઈએ તો જ જહાજ સાગર ખેડી શકે, શઢમાં હવા ભરાય ને ગતિ આપે તેમ આપણી પેશન-ઈમોશન આપણને જીવનયાત્રામાં ઊર્જા પૂરે છે. એ જ રીતે વિચાર-વિવેકશક્તિ એના રડારને-સ્ટીયરીંગને યોગ્ય ધ્યેયની દિશામાં દોરવાની શક્તિ આપે છે. આ વિચારનું સમાપન કરતાં, પયગંબર આપણા ઘરે આવેલા બે મહેમાનોનું સ્વાગત કરવાના ઉદાહરણથી કહે છે કે તમે એક અતિથિનું સ્વાગત બીજા અતિથિ કરતાં ઓછું કે વધારે ન કરી શકો. બંનેને સરખું સ્વાગત–સરભરા ને સ્વીકાર કરવાં પડે, નહિ તો એકને ખોટું લાગી શકે અને એ તમારો પ્રેમ અને વિશ્વાસ બંને ગુમાવી શકે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
=== ૬ | ===<span style="color: Blue">(૬) મિત્રતા અને વાતચીત :</span> === | ||
{{Poem2Open}} | {{Poem2Open}}હવે આપણે મૈત્રી ઉપર સુક્ષ્મચિંતન આરંભીએ. પયગંબરના પ્રેમના સંદેશ ઉપર ભાર મૂકતો આ વિષય પણ મહત્ત્વપૂર્ણ છે. મૈત્રીમાં પણ બે હૃદયો –આત્માઓનું આધ્યાત્મિક જોડાણ પયગંબર જુએ છે. બે મિત્રો પોતાની લાગણી, સ્નેહ, સુખ-શાંતિ મુકત રીતે શેર કરી શકે છે, અને વિશ્વાસનું વાતાવરણ સર્જી વિચારોની પણ આપ-લે કરી શકે છે. | ||
આપણે | |||
મિત્રોને તમારો વધારાનો સમય(spare time) ફાળવવા અંગે તેઓ ચેતવે છે કે એમ ન કરતાં એને તમારો ‘જીવવાનો સમય’(hours to live) આપો, hours to kill- ‘પસાર કરવાનો સમય’ નહિ. કારણ કે, મિત્રતાનો ખરો હેતુ-એકબીજાના જુસ્સા, સત્ત્વ-તત્ત્વને વધારવાનો છે. મૈત્રીનાં મૂળ પણ સ્નેહમાં જ છે. પ્રેમ એ કાંઈ પક્ષી કે માછલી પકડવાની જાળ નથી... મૈત્રીનાં માધુર્ય માણવા મુક્ત હાસ્ય ઉમેરો અને ગમતાંનો ગુલાલ કરો. કારણ કે પ્રભાતનાં ઝાકળબિંદુઓ સમી નાની નાની ખુશીઓ હૃદયને તરોતાજા રાખે છે. | |||
પછી અલમુસ્તફા વાતચીત અંગે કહે છે કે આપણા દિલની એકલતાથી દૂર ભાગવા અથવા આપણે આપણા વિચારો સાથે ટ્યૂનિંગ ન હોય ત્યારે આપણને કોઈ સાથે વાત કરવાનું મન થાય છે. આ ઉપરાંત, વધુ પડતી વાતચીત-વાતોડિયાપણું, આપણને ઊંડા વિચાર કરતાં અને આપણી સાચી ભીતરી ઓળખ મેળવતાં અટકાવનારું છે. એ એક સહેતુક યુક્તિ લાગે છે. જેઓ ખૂબ વાતોડિયા, બડબડિયા છે તેમને ભીતરી માનસિક શાંતિ અને સ્વ-ચિંતનનો અવકાશ બહાર પ્રગટ થઈ જવાનો ડર રહેતો હોય છે. એને બદલે પયગંબર કહે છે— “તમારું સાચું અને સારું સત્ત્વ-તત્ત્વ લયબદ્ધ શાંતિમાં રહેલું છે.” | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
=== ૭ | ===<span style="color: Blue">(૭) આનંદ અને સૌંદર્ય :</span> === | ||
{{Poem2Open}} | {{Poem2Open}}જીવનનાં આધ્યાત્મિક પરિમાણોનો આટલો બધો સંસ્પર્શ પામનાર સંત, વાતચીત અને શહેરો કરતાં શાંતિ ને પ્રકૃતિનો વધુ મહિમા ગાનાર મહર્ષિ જયારે આનંદની આરતી ઉતારવાનું કહે ત્યારે નવાઈ લાગે. | ||
પરંતુ, આનંદ એ જીવનની મહાન બક્ષિસોમાંની એક છે. આપણે વીતેલી આનંદક્ષણો તરફ દિલગીરીના નહિ, પણ દિલદારીના ભાવથી જોવું જોઈએ. આપણે આપણી જાતને ખાતર આનંદને નકારવો ન જોઈએ, કારણ કે એમ કરતાં આપણે આપણી આધ્યાત્મિક તંદુરસ્તીને હાનિ કરીશું એવી ચિંતા સેવીએ છીએ. પણ વાસ્તવમાં એવું નથી. જો આપણે આપણી જાતને આનંદ લેતાં રોકીએ છીએ તો અંદરખાને તેની તમન્ના-ઝંખના જાગે, જેનાથી એક પ્રકારનાં દબાવ અને પીડા ઉત્પન્ન થાય, જેને પાછાં બહાર નીકળવાનો માર્ગ ખોળવો પડે. | |||
અલમુસ્તફા મધમાખી અને ફૂલનું દૃષ્ટાંત આપી કહે છે કે મધમાખી ફૂલોમાંથી મધ ભેગું કરે છે, તેમાં એને આનંદ આવે છે. એને માટે પુષ્પ એ ‘fountain of life’ છે. તો સામે પક્ષે પુષ્પને પણ મહેમાન-માખીને મધ આપવાનું ગમે છે, કારણ કે એના થકી પુષ્પની પરાગરજ પ્રસરે અને ફલીકરણમાં મદદ મળે. પુષ્પને મન મધમાખીએ પ્રેમનો સંદેશવાહક છે. પયગંબર કહે છે કે આમ આનંદની આપ-લે એ એક આપનાર-લેનારની જરૂરિયાત અને એક પરમાનંદાનુભૂતિ પણ છે. | |||
આ એમને સૌંદર્યની ચર્ચા તરફ દોરી જાય છે. સૌંદર્ય આત્મલક્ષી છે- તેથી વ્યક્તિએ વ્યક્તિએ સુંદરતાની વિભાવના બદલાતી રહેવાની. કોઈકને એક વસ્તુ/વ્યક્તિમાં સૌંદર્ય દેખાતું હોય, તેમાં બીજાને ન પણ જણાય એમ બને. વળી, આપણાં આંખ, કાન, ત્વચા જેવી જ્ઞાનેન્દ્રિયો સૌંદર્યગ્રહણ નથી કરતી, એ તો આપણો આત્મા કરે છે. અલમુસ્તફાને મન ‘જીવન જયારે એના પાવન ચહેરાને પ્રગટ કરે છે તે પૂર્ણ-શુદ્ધ સૌંદર્ય છે.’ અહીં તેઓ જીવનના શાશ્વત લક્ષણની વાત કરે છે. -સજીવોને જીવંત-સક્રિય બનાવનાર આત્માની વાત કરે છે. જયારે આપણે સૌંદર્ય દર્શન કરીએ છીએ ત્યારે આપણે વાસ્તવમાં એને જીવનની બક્ષિસ તરીકે જોઈએ છીએ. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
=== | === <span style="color: Blue">(૮) સમય અને મૃત્યુ :</span> === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અલમુસ્તફાના ચિંતનનાં આ બે મુખ્ય બિંદુઓ- સમય(કાળ)અને મૃત્યુ- છે. તેઓ કહે છે, આપણને માનવીઓને એક વિચિત્ર વળગણ છે- સમયને માપવાનું, વિભાગવાનું અને નિયંત્રિત કરવાનું ! પણ આમ કરવાથી સમયનું જે ખરું વાસ્તવિક સ્વરૂપ છે તે વિકૃત થઈ જાય છે. આપણી અંદર રહેલો આત્મા અને જીવનનું સારતત્ત્વ એ બંને સમયથી પાર- કાલાતીત છે. આપણા અસ્તિત્વનો સૌથી જીવંત અને મહત્ત્વપૂર્ણ અંશ આપણો આત્મા હોઈ આપણે પણ એક સમગ્રતામાં જોઈએ તો કાલાતીત અને શાશ્વત છીએ. આ માત્ર કહેવાની વાત નથી, જો આપણે ઊંડું ચિંતન કરીએ તો એ અનંતતા, શાશ્વતીનો આપણી ભીતર અનુભવ કરી શકીએ. | |||
આ | |||
તો | |||
અહીં પુનઃ અલમુસ્તફા પ્રેમ તત્ત્વને યાદ કરે છે અને તેને સમયની શાશ્વતતા સાથે સરખાવે છે. અસંગ, અસીમ આત્માની જેમ પ્રેમ પણ અસંગ, બંધનમુકત છે. અને આપણા સ્વના કેંદ્ર તરફ ગતિ કરે છે... સમય જેવું જ મૃત્યુનું પણ છે. એ તો અનંતનું પ્રવેશદ્વાર છે, એનાથી ભાગવા ને શરમાવાને બદલે એને આશ્લેષમાં લેવું જોઈએ. દુઃખ અને સુખ જેમ અવિભાજ્ય છે તેમ જીવન અને મૃત્યુ પણ જુદાં પાડી શકાતાં નથી. સરિતા અને સાગરને જુદાં ન પાડી શકાય, તેવું જ જીવન અને મૃત્યુનું પણ છે. | |||
આથી મૃત્યુનો મુકાબલો ભયથી નહિ ખુશીથી કરવો જોઈએ. આપણું શારીરિક મૃત્યુ તો આપણા આત્માનું મુક્તિદાતા છે, જે આત્માને મોક્ષગામી બનાવે છે, એને ઉદિત થવા, વિસ્તરવા અને પરમાત્માને અવિરત પામવા ઉદ્યત કરે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== <span style="color: red"> | == <span style="color: red">સમાપન/ઉપસંહાર :</span>== | ||
{{Poem2Open}}તમે તમારી જીવનયાત્રામાં આગળ વધો છો, ત્યારે કેવળ એટલું જ યાદ રાખો કે બે પરસ્પર વિરોધી કે પ્રતિસ્પર્ધી જણાતી વસ્તુઓ કે ભાવનાઓ, તત્ત્વો– જેમ કે આનંદ અને અવસાદ, જીવન અને મૃત્યુ- વાસ્તવમાં અવિભાજ્ય રીતે અને સુંદર રીતે એકબીજા સાથે સંલગ્ન હોય છે, એકના વિના બીજાનો અનુભવ તમને ન થઈ શકે. | |||
પ્રેમ બધી વસ્તુઓમાં અંતર્નિહિત અને સર્વવ્યાપ્ત છે. એ આપણા જીવન અને જગતમાં એવી ભૂમિકા રચે છે કે જેના ઉપર કોઈપણ અર્થપૂર્ણ બાંધણી કે રચના કરી શકાય. | |||
૧૯૨૩માં પ્રકાશિત, ખલિલ જીબ્રાન રચિત The Prophet, એના મુખ્યપાત્ર પયગંબર અલમુસ્તફાની વિદાય વેળાનાં ઉપદેશ વચનોનો પદ્યાત્મક અને તત્ત્વજ્ઞાન સભર સંગ્રહ છે, જેમાં ઓર્ફેલીયસવાસીઓ સમક્ષ પ્રેમ, મુક્તિ, આનંદ, અવસાદ, જીવન, મૃત્યુ જેવા ઘણા વિષયોની ગહન ચર્ચા છે. જીવનમાં બધી પ્રવૃતિઓ આનંદપૂર્વક કરવી જોઈએ, સ્વીકારનો અને ત્યાગનો બંનેનો આનંદ છે, જીવન અને પ્રકૃતિ પરસ્પરાવલંબિત અને આંતર સંબંધિત છે. પયગંબર પ્રજાને તેમની લાગણીઓ- ભાવનાત્મક પાસાંને અનુસરી, તેને સ્વવિકાસ અને સમજદારી વૃદ્ધિમાં પ્રયોજવાની પ્રેરણા આપે છે. | |||
The Prophet સ્વ-સભાનતા, આત્મચેતના, કરુણા, સ્વીકારવૃત્તિનો સંદેશ આપી વાચકોને તેમના પોતાનામાં સત્ય અને શાણપણની શોધ કરવા પ્રેરે છે. એ માનવીય અનુભવોના વૈશ્વિક વિષયો ઉપર મર્મસ્પર્શી, કાલાતીત અને પ્રેરણાત્મક પુસ્તક બની રહ્યું છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== <span style="color: red">અવતરણો: </span>== | == <span style="color: red">નોંધનીય અવતરણો : </span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧. ‘તમારો આનંદ એ તમારા અનાવૃત અવસાદનું જ બીજું રૂપ છે.’ | |||
૨. ‘પરસ્પર પ્રેમ પ્રસારો, પણ તેનું બંધન ન લાદો. એ તમારા બંનેના આત્મ-સાગરના કિનારાઓને છાલક મારતો રહેવો જોઈએ, નિર્બંધ, નિર્મળ, નિરપેક્ષ !’ | |||
૩. ‘પ્રેમનો માર્ગ તમે નક્કી કે નિર્દેશિત ન કરશો, કારણ કે તમે જો પ્રેમને યોગ્ય હશો તો, પ્રેમ જ તમારો માર્ગ નક્કી કરશે.’ | |||
૪. ‘સાગર અને સરિતાની જેમ જીવન અને મૃત્યુ પણ એક જ, અવિભાજ્ય છે.’ | |||
૫. ‘તમે વાત કરવાનું ત્યારે શરૂ કરો છો, જયારે તમારું તમારા વિચારો સાથેનું ટ્યૂનીંગ તૂટે છે. | |||
૬. ‘તમારાં બાળકો એ તમારાં(તમારી માલિકીના) બાળકો નથી. એ તો તમારી જિજીવિશાનાં પુત્ર-પુત્રીઓ છે.’ | |||
૭. ‘કાર્ય એટલે પ્રેમની દૃશ્યાત્મક આવૃત્તિ છે.’ | |||
૮. ‘જરૂરિયાતનો ડર એ પોતે જ એક જરૂરિયાત છે શું?’ | |||
૯. ‘તમે તમારા સંગ્રહમાંથી કોઈકને કંઈક આપો છો તે નહિવત્ દાન છે. પરંતુ તમે તમારા સ્વને સમર્પિત કરો છો એ સાચું દાન છે.’ | |||
૧૦. ‘જરા ભૂતકાળમાં ઝાંકીને જુઓ અને બોલો કે ‘આ જ કરવાની મારા દિલની ખાસ ઈચ્છા હતી.’ - ‘માત્ર પોતે કૃતાર્થ થવા સિવાય પ્રેમને કશી કામના હોતી નથી.’ | |||
૧૧. ‘તમારું ઘર એ લંગર નહિ, પણ દીવાસ્તંભ હોવું જોઈએ.’ | |||
૧૨. ‘સુખ-સગવડ-આરામની લાલસા ખરેખર, આત્માના ઉત્કટ આવેગનું ખૂન કરે છે, અને પછી તેની સ્મશાનયાત્રામાં હસાહસ કરતી ચાલે છે.’ | |||
૧૩. ‘મને આખરી સત્ય લાધ્યું’ એમ ન કહેતાં ‘મને એક સત્ય સાંપડ્યું છે’ એમ કહો. | |||
૧૪. ‘તમારા આંતરમનના દુઃખની ખીણ જેટલી ઊંડી કોતરાયેલી હશે, તેટલો જ સુખનો પર્વતીય સૂર્યોદય તમને વધુ આનંદ આપશે.’ | |||
૧૫. ‘જયારે પ્રેમ તમને પોકારે છે, ત્યારે એને અનુસરો, જોકે એનો પંથ મુશ્કેલ ચઢાણવાળો છે.’ | |||
આવાં અનેક અવતરણક્ષમ વિધાનો, રૂપકાત્મક, અલંકારિક રીતે જીબ્રાનના શાણપણ અને ઊંડી ચિંતનદૃષ્ટિ વ્યક્ત કરી વિશ્વભરના વાચકોના મનમાં ગૂંજ્યા કરે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |