ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/સુઘરી અને વાંદરો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|સુઘરી અને વાંદરો}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈ એક વનમાં શમીવૃક્ષની શાખ ઉપર માળો કરી વગડાઉ ચકલીનું (સુઘરીનું) એક જોડું રહેતું હતું. એક વાર તે સુખપૂર્વક બેઠું હતું ત્યારે હેમંત ઋતુનો મેઘ મંદ મંદ વરસવા લાગ્યો. એ સમયે પવન અને વરસાદના ઝપાટાથી પીડા પામવાથી હડબડતા શરીરવાળો, દાંતની વીણા વગાડતો (ઠંડીથી જેનાં દાંત કડકડતા હતા એવો), તથા કંપતો એવો કોઈ એક વાંદરો શમીવૃક્ષની નીચે આવીને બેઠો, એટલે તેને એ પ્રકારે જોઈને ચકલી બોલી, ‘હે ભદ્ર! હાથપગવાળો હોઈને પુરુષ જેવી આકૃતિવાળો દેખાતો હોવા છતાં તું ટાઢથી હેરાન થાય છે. હે મૂઢ! તું ઘર શા માટે બાંધતો નથી?’ | |||
એ સાંભળીને વાંદરો કોપથી બોલ્યો, ‘તું મૌન શા માટે રહેતી નથી? અહો! આ ચકલીની ધૃષ્ટતા તો જુઓ! અત્યારે તે મારો ઉપહાસ કરે છે! | |||
હે દુરાચારિણી અને પંડિતની જેમ વાતો કરનારી સુઘરી! આ પ્રમાણે બકવાદ કરતાં તું વિચાર કરતી નથી. માટે એને હું કેમ ન મારું?’ | |||
એ પ્રમાણે બબડાટ કરીને વાંદરાએ તેને કહ્યું, ‘હે મૂર્ખી! તારે મારી ચિન્તા કરીને શું કામ છે? કહ્યું છે કે | |||
જે શ્રદ્ધાવાળો હોય અને વિશેષ કરીને પૂછતો હોય તેને કહેવું; શ્રદ્ધા વગરનાને કહેવું એ અરણ્યરુદન સમાન છે. | |||
માટે ઘણું કહેવાથી શું?’ તો પણ માળામાં રહેતી ચકલીએ ઉપદેશ આપવા માંડ્યો, એટલે વાંદરાએ તે શમીવૃક્ષ ઉપર ચડીને એ માળાના સો ટુકડા કરી નાખ્યા.—{{Poem2Close}} | |||
<br> | <br> |