પ્રતિપદા/૧૩. બાબુ સુથાર: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 69: Line 69:
એકબીજામાં
એકબીજામાં
આરપાર.
આરપાર.
</poem>
'''ઘરઝુરાપો : ઊથલો બીજો /૪'''
<poem>
પુનિયા ટપાલીને
અંગ્રેજી સરનામાં વાંચી આપતો હતો એમ
વાંચવા ગયો એક ખરી પડેલા પાંદડાંને
અને એ સાથે જ
હું તો બની ગયો
પરોણો સપ્તર્ષિનો.
અત્રી અને અનસૂયાએ મને આવકાર્યો,
ભારદ્વાજથી ઊભા થવાતું ન હતું
તો પણ એ ઉંબરા સુધી આવીને
મને ભેટી પડ્યા,
ગૌતમે કહ્યું, ‘મેં તારું ‘અથાતો ઇલિકાજિજ્ઞાસા૧’ વાંચ્યું છે,
જેમ આઈ કૂવાને જળ પૂરું પાડે
એમ કવિતા શબ્દને
શબ્દ મનુષ્યને
અને મનુષ્ય ઈશ્વરને
આવરદા પૂરો પાડતો હોય છે.’
હું શું બોલું?
જમદાગ્નિ તો તાજું જળ લેવા નદીએ ગયેલા હતા
એટલે ન મળ્યા.
કશ્યપને ત્યાં મહેમાન હતા
એટલે મેં એમને હેરાન ન કર્યાં.
વસિષ્ઠ તો મને જોતાં જ ગળે વળગી પડ્યા અને બોલ્યાઃ
તું જ મારા સાતમા મંડલનો ખરો વારસદાર.
મેં મારા કૂળઋષિની ચરણરજ સાથે ચડાવી કહ્યુંઃ
ભગવન્, મારી ભાષાને સતમાર્ગી બનાવવા
આપની ચરણરજને હું પૃથ્વી પર લઈ જાઉં?
ભગવન્ કંઈ ન બોલ્યા.
વિશ્વામિત્રને તો હું
એક-બે વાર પાવાગઢ પર મળેલો
પણ મને, વસિષ્ઠના વારસદારને,
એ આવકારશે ખરા?
અવગણના ભયે
હું એમના ઉંબરે સાત સોપારી ચડાવી
પાછો આવ્યો.
આ બધું કોના પરતાપે થયું
એક પાંદડાંના
કે
પુનિયા ટપાલીના?
મને હજી કંઈજ સમજાતું નથી
</poem>
</poem>