સ્વરૂપસન્નિધાન/ખંડકાવ્ય-જયદેવ શુક્લ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ખંડકાવ્ય|જયદેવ શુક્લ}} {{Poem2Open}} લગભગ એક સદી પૂર્વે કાન્તની પરિકલ્પનામાંથી સર્જાયેલાં અતિજ્ઞાન, ‘વસન્તવિજય, ‘ચક્રવાકમિથુન જેવાં ઉત્કૃષ્ટ કાવ્યો દ્વારા ગુજરાતી સાહિત્યના વિ...")
 
No edit summary
Line 21: Line 21:
કાન્તનાં ખંડકાવ્યોની સંસ્કૃતમઢી સુચારુ ‘અનુપમ બાની પદાવલિની લાક્ષણિકતાઓને આદર્શ તરીકે સ્વીકારી અનુગામીઓએ ખંડકાવ્યો રચ્યાં છે. પણ કાન્તની પદાવલિમાં જે સહજ સૌન્દર્ય છે તેવું પછીના કવિઓમાં જોવા મળતું નથી.  
કાન્તનાં ખંડકાવ્યોની સંસ્કૃતમઢી સુચારુ ‘અનુપમ બાની પદાવલિની લાક્ષણિકતાઓને આદર્શ તરીકે સ્વીકારી અનુગામીઓએ ખંડકાવ્યો રચ્યાં છે. પણ કાન્તની પદાવલિમાં જે સહજ સૌન્દર્ય છે તેવું પછીના કવિઓમાં જોવા મળતું નથી.  
ગુજરાતી સાહિત્યના આ નિજી અને આગવા કાવ્યસ્વરૂપના મહત્ત્વના મુદ્દાઓની, અહીં માત્ર અછડતી ચર્ચા છે.
ગુજરાતી સાહિત્યના આ નિજી અને આગવા કાવ્યસ્વરૂપના મહત્ત્વના મુદ્દાઓની, અહીં માત્ર અછડતી ચર્ચા છે.
= ખંડકાવ્ય વિશેની અન્ય સામગ્રી =
<center>=ખંડકાવ્ય વિશેની અન્ય સામગ્રી=</center>
ખંડકાવ્ય : સંજ્ઞા અને સ્વરૂપ
<center>ખંડકાવ્ય : સંજ્ઞા અને સ્વરૂપ</center>
‘ખંડકાવ્ય' એ સંજ્ઞા ક્રમશઃ આપણી અર્વાચીન કવિતામાં, કાન્તનાં કેટલાંક એકતરેહનાં કાવ્યોને આધારે સ્થિર થાય છે. પરંત, ઉમાશંકર જોશી સુધીના અનેક સર્જકવિવેચકને આ સંજ્ઞા અશેષ રીતે સાર્થ નથી જણાઈ. આથી, આ સંજ્ઞાના પર્યાય શોધવાના ખાસ્સા પ્રયત્ન થયા છે. આ સંજ્ઞાનો શબ્દાર્થ, સંદિગ્ધપણાને વધારે છે. ‘કાવ્ય’ પાસે વિશેષણ તરીકે આવેલ ખંડ શબ્દ, અનેક અનુઈસિત અર્થ સુધી ભાવકને દોરી જવાનું સામર્થ્ય ધરાવે છે. મહતું’ અર્થાતુ મોટું એટલે કે કાવ્યવિશેષણ તરીકે મહતું’ શબ્દ આવે ત્યારે ‘મહાકાવ્ય’ શબ્દ બને. ખંડ’ શબ્દ, એ રીતે લઘુતાવાચક તરીકે લઈએ તો કાવ્યનો કદગત વિચાર જ કર્યો લેખાય. મહાકાવ્યથી કદમાં નાનું તે ખંડકાવ્ય? કીવાર્તા જેમ નવલકથાનું એક પ્રકરણ નથી, બહુઅંકી નાટકનો એક અંક એકાંકી નથી, એમ ખંડકાવ્ય મહાકાવ્યનો ખંડ નથી જ નથી. એ સ્વતંત્ર કાવ્યપ્રકાર છે, એટલું નક્કી. આપણી ભાષામાં, વળી, મહાકાવ્યથી કદમાં નાના ઘણા કાવ્યપ્રકાર છે : આખ્યાન, પદ્યવાર્તા, લગુ ઈત્યાદિ.  
‘ખંડકાવ્ય' એ સંજ્ઞા ક્રમશઃ આપણી અર્વાચીન કવિતામાં, કાન્તનાં કેટલાંક એકતરેહનાં કાવ્યોને આધારે સ્થિર થાય છે. પરંત, ઉમાશંકર જોશી સુધીના અનેક સર્જકવિવેચકને આ સંજ્ઞા અશેષ રીતે સાર્થ નથી જણાઈ. આથી, આ સંજ્ઞાના પર્યાય શોધવાના ખાસ્સા પ્રયત્ન થયા છે. આ સંજ્ઞાનો શબ્દાર્થ, સંદિગ્ધપણાને વધારે છે. ‘કાવ્ય’ પાસે વિશેષણ તરીકે આવેલ ખંડ શબ્દ, અનેક અનુઈસિત અર્થ સુધી ભાવકને દોરી જવાનું સામર્થ્ય ધરાવે છે. મહતું’ અર્થાતુ મોટું એટલે કે કાવ્યવિશેષણ તરીકે મહતું’ શબ્દ આવે ત્યારે ‘મહાકાવ્ય’ શબ્દ બને. ખંડ’ શબ્દ, એ રીતે લઘુતાવાચક તરીકે લઈએ તો કાવ્યનો કદગત વિચાર જ કર્યો લેખાય. મહાકાવ્યથી કદમાં નાનું તે ખંડકાવ્ય? કીવાર્તા જેમ નવલકથાનું એક પ્રકરણ નથી, બહુઅંકી નાટકનો એક અંક એકાંકી નથી, એમ ખંડકાવ્ય મહાકાવ્યનો ખંડ નથી જ નથી. એ સ્વતંત્ર કાવ્યપ્રકાર છે, એટલું નક્કી. આપણી ભાષામાં, વળી, મહાકાવ્યથી કદમાં નાના ઘણા કાવ્યપ્રકાર છે : આખ્યાન, પદ્યવાર્તા, લગુ ઈત્યાદિ.  
તો, જીવનનું ખjદર્શન કરાવે તે ખંડકાવ્ય? અખંડપણે એ સ્વયં જ ટોપિયા છે. એ સંદિગ્ધપણું સર્જતી જ સંજ્ઞા છે. એક કવિ, સમગ્ર જીવજીવનને અશેષ અખંડ દર્શન કયાંથી કરાવી શકે? એક સર્જક, એક કૃતિમાં, પછી ભલેને એ મહાકાવ્ય હોય, તોય છેવટે જીવનનું ખંડદર્શન જ કરાવી શકે. જે જોવાય છે, જે પમાય છે. જે કલ્પાય છે, જે વિચારાય છે, જે વાણી સુધી પહોંચાડી શકાય છે તે ભાગ્યે જ અશેષ હોય છે. આથી આપણું આ વિધાન પણ ટકી શકશે નહીં.  
તો, જીવનનું ખjદર્શન કરાવે તે ખંડકાવ્ય? અખંડપણે એ સ્વયં જ ટોપિયા છે. એ સંદિગ્ધપણું સર્જતી જ સંજ્ઞા છે. એક કવિ, સમગ્ર જીવજીવનને અશેષ અખંડ દર્શન કયાંથી કરાવી શકે? એક સર્જક, એક કૃતિમાં, પછી ભલેને એ મહાકાવ્ય હોય, તોય છેવટે જીવનનું ખંડદર્શન જ કરાવી શકે. જે જોવાય છે, જે પમાય છે. જે કલ્પાય છે, જે વિચારાય છે, જે વાણી સુધી પહોંચાડી શકાય છે તે ભાગ્યે જ અશેષ હોય છે. આથી આપણું આ વિધાન પણ ટકી શકશે નહીં.  
18,450

edits