ધ રેવન કાવ્યરચનાનો અનુવાદ/‘ધ રેવન’ સૌન્દર્યનું લયાત્મક આવિષ્કરણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|‘ધ રેવન’ સૌન્દર્યનું લયાત્મક આવિષ્કરણ|}} {{Poem2Open}} અમેરિકન પ્રજા ૩૧ ઑક્ટોબરે હેલોઈન નિમિત્તે બીભત્સ અને ભયાનકનો ઉત્સવ કરે છે. ઘરને આંગણે પમ્પકિન (કોળું) ગોઠવવાથી માંડી ખોપરી, હ...")
 
No edit summary
Line 36: Line 36:
આધુનિકતાવાદના સંદર્ભમાં વિશ્વસાહિત્યમાં સીધો યા આડકતરો મોટો પ્રભાવ પાડનાર આ કાવ્યના ભારતીય અન્ય ભાષાઓમાં અનુવાદ થયા છે કે નહીં એની ખબર નથી. ગુજરાતીમાં નરસિંહરાવ દિવેટિયાએ કોઈ અંગ્રેજી નટ પાસેથી આ કાવ્ય સાંભળીને એમનું ‘ઘુવડ’ કાવ્ય લખેલું અને ‘નુપૂરઝંકાર’ (૧૯૧૪)માં એ લીધેલું છે. પણ કાવ્યમાં આવતી ધ્રુવપંક્તિ ‘‘કદી નહી’ને બાદ કરતાં બંને કાવ્યો વચ્ચે કોઈ સામ્ય નથી. તેથી કહી શકાય કે ગુજરાતી ભાષામાં પહેલીવાર આ કાવ્યનો પદ્યમાં અનુવાદ શક્ય બન્યો છે. દીકરી પર્વણીને ઘેર રહ્યે રહ્યે બાલ્ટીમોરમાં જ્યાં એડગર એલન પો હંમેશ માટે સૂતો છે, ત્યાં એને ગુજરાતીમાં જગાડવાનું આ કાર્ય પૂરું થયું છે એ અકસ્માત હોવા છતાં દ્યોતક અકસ્માત છે.
આધુનિકતાવાદના સંદર્ભમાં વિશ્વસાહિત્યમાં સીધો યા આડકતરો મોટો પ્રભાવ પાડનાર આ કાવ્યના ભારતીય અન્ય ભાષાઓમાં અનુવાદ થયા છે કે નહીં એની ખબર નથી. ગુજરાતીમાં નરસિંહરાવ દિવેટિયાએ કોઈ અંગ્રેજી નટ પાસેથી આ કાવ્ય સાંભળીને એમનું ‘ઘુવડ’ કાવ્ય લખેલું અને ‘નુપૂરઝંકાર’ (૧૯૧૪)માં એ લીધેલું છે. પણ કાવ્યમાં આવતી ધ્રુવપંક્તિ ‘‘કદી નહી’ને બાદ કરતાં બંને કાવ્યો વચ્ચે કોઈ સામ્ય નથી. તેથી કહી શકાય કે ગુજરાતી ભાષામાં પહેલીવાર આ કાવ્યનો પદ્યમાં અનુવાદ શક્ય બન્યો છે. દીકરી પર્વણીને ઘેર રહ્યે રહ્યે બાલ્ટીમોરમાં જ્યાં એડગર એલન પો હંમેશ માટે સૂતો છે, ત્યાં એને ગુજરાતીમાં જગાડવાનું આ કાર્ય પૂરું થયું છે એ અકસ્માત હોવા છતાં દ્યોતક અકસ્માત છે.
ગુજરાતી અનુવાદ મૂળની પ્રાસયોજના અને પંક્તિ-આયોજનો એમ ને એમ ઊતરે એવી પ્રતિજ્ઞા સાથે ચાલ્યો છે. અલબત્ત પહેલી કડીથી છેલ્લી કડી સુધી બીજી, ચોથી અને પાંચમી પંક્તિઓમાં સળંગ એક જ પ્રાસદોરનું પરિપાલન અશક્ય હતું, એ અંગ છોડી દીધું છે, પો, ૧૯મી સદીનો કવિ હોવાથી સવૈયાની ચાલનો માત્રિક ઉપયોગ મુનાસિબ માન્યો અને શૈલીમાં ક્યાંક ક્યાંક આધુનિકતાથી હટીને આવતી છાંટને દાખલ પણ થવા દીધી છે. અનુવાદનો સૌથી મોટો પ્રશ્ન કાવ્યમાં આવતા પુરાકથાના અને બાઈબલના સંદર્ભોને જાળવવાનો હતો. પરંતુ એક એથિનાના પૂતળાને બાદ કરતાં, સેરાફિમ, પ્લુટો, ગિલીઅડ, એડનના સંદર્ભોને ગુજરાતી અનુવાદ સાહજિક બને એ માટે જતા કર્યા છે. અલબત્ત મૂળ કૃતિની ઉલ્લેખો (Allusions) દ્વારા ઊભી થતી સમૃદ્ધિ એથી નષ્ટ થાય છે એનું ભાન છે. પણ એક ભાષામાંથી બીજી ભાષામાં અને બીજી સંસ્કૃતિમાં કૃતિને ઉતારવા જતાં આવા પ્રકારની હાનિ અનિવાર્ય નિયતિ બનીને ઊભી રહી જાય છે.  
ગુજરાતી અનુવાદ મૂળની પ્રાસયોજના અને પંક્તિ-આયોજનો એમ ને એમ ઊતરે એવી પ્રતિજ્ઞા સાથે ચાલ્યો છે. અલબત્ત પહેલી કડીથી છેલ્લી કડી સુધી બીજી, ચોથી અને પાંચમી પંક્તિઓમાં સળંગ એક જ પ્રાસદોરનું પરિપાલન અશક્ય હતું, એ અંગ છોડી દીધું છે, પો, ૧૯મી સદીનો કવિ હોવાથી સવૈયાની ચાલનો માત્રિક ઉપયોગ મુનાસિબ માન્યો અને શૈલીમાં ક્યાંક ક્યાંક આધુનિકતાથી હટીને આવતી છાંટને દાખલ પણ થવા દીધી છે. અનુવાદનો સૌથી મોટો પ્રશ્ન કાવ્યમાં આવતા પુરાકથાના અને બાઈબલના સંદર્ભોને જાળવવાનો હતો. પરંતુ એક એથિનાના પૂતળાને બાદ કરતાં, સેરાફિમ, પ્લુટો, ગિલીઅડ, એડનના સંદર્ભોને ગુજરાતી અનુવાદ સાહજિક બને એ માટે જતા કર્યા છે. અલબત્ત મૂળ કૃતિની ઉલ્લેખો (Allusions) દ્વારા ઊભી થતી સમૃદ્ધિ એથી નષ્ટ થાય છે એનું ભાન છે. પણ એક ભાષામાંથી બીજી ભાષામાં અને બીજી સંસ્કૃતિમાં કૃતિને ઉતારવા જતાં આવા પ્રકારની હાનિ અનિવાર્ય નિયતિ બનીને ઊભી રહી જાય છે.  
<br>
<br>
<br>
<br>
<br>
18,450

edits