સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દયારામ - ૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|દયારામ}} {{Poem2Open}} સંવત ૧૫૦૦ થી તે સંવત ૧૯૦૦ લગીમાં અથવા ૪૦૦ વર્ષના દરમ્યાનમાં જે જે કવિઓ થઈ ગયા છે તેમાં છેલ્લો અને વળી સારો, પહેલા વર્ગમાં મૂકવા જેવો, શૃંગાર કવિતાથી પ્રસિદ્ધિ...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|દયારામ}}
{{Heading|દયારામ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સંવત ૧૫૦૦ થી તે સંવત ૧૯૦૦ લગીમાં અથવા ૪૦૦ વર્ષના દરમ્યાનમાં જે જે કવિઓ થઈ ગયા છે તેમાં છેલ્લો અને વળી સારો, પહેલા વર્ગમાં મૂકવા જેવો, શૃંગાર કવિતાથી પ્રસિદ્ધિ પામેલો એવો દયારામ અથવા દયાશંકર હતો.
સંવત ૧૫૦૦ થી તે સંવત ૧૯૦૦ લગીમાં અથવા ૪૦૦ વર્ષના દરમ્યાનમાં જે જે કવિઓ થઈ ગયા છે તેમાં છેલ્લો અને વળી સારો, પહેલા વર્ગમાં મૂકવા જેવો, શૃંગાર કવિતાથી પ્રસિદ્ધિ પામેલો એવો દયારામ અથવા દયાશંકર હતો.
એ, જ્ઞાતે સાઠોદરો નાગર ગૃહસ્થ, ઋગ્વેદી શાંખાયની શાખાનો, વડોદરેથી બાર ગાઉ પર ડભોઈ કસબો છે ને ત્યાંથી સાત ગાઉ પર નર્મદાતીરે ચાણોદ (ચંડીપુર) કરીને ગામ છે, ત્યાં સંવત ૧૮૩૩ અથવા ઈ.સ. ૧૭૭૭માં જન્મ્યો હતો. એની માનું નામ રતનબાઈ અને બાપનું નામ પરભુરામ હતું. એ પરભુરામ કારકુની કરતા. બાપે દીકરાને બાળપણમાં કંઈ અભ્યાસ કરાવ્યો ન હતો પણ તેને જોતરું પહેરાવવાની તજવીજ કરી હતી, એટલે સાત વર્ષની ઉંમરે તેનો વિવાહ કર્યો હતો. બાપે આઠમે વર્ષે દીકરાને જનોઈ દીધા પછી પાંચ છ વર્ષ જીવીને, અને માએ પણ પછી એક બે વર્ષ વૈધવ્ય પાળીને, કવિની ૧૫-૧૬ વર્ષની ઉમ્મરે દેહ છોડેલી એવું કહેવાય છે — કોઈ કહે છે જનોઈ દીધા પછી એને સૈયડ આવ્યા હતા. માબાપનાં મરણ પછી દયારામ ચાણોદમાં પોતાની માસીને ઘેર પળ્યો જતો એ વખતે એ કુસંગથી ફક્કડ, ઉડાઉ હોઈને કુછંદમાં સારી પેઠે રમતો હતો. એક પ્રસંગે માસી સાથે બોલવું થયું ને તેમાં માસીએ કંઈ કડવું વચન કહેલું તે તેનાથી ન સંખાયું, અને તેથી તે ક્રોધમાં ને ક્રોધમાં ઘરગામ છોડી ચાલતો કાશી તરફ ગયો હતો. એ વેળા એની ઉમ્મર સોળ સત્તરની હશે. કોઈ કહે છે કે સ્ત્રીઓના છંદથી તેની અપ્રતિષ્ઠા થઈ હતી તેથી નાસી ગયો હતો. માસીનું કડવું વચન શિક્ષાનું પણ હોય. કાશી જઈને ત્યાં કાશીવિશ્વેશ્વરની લાવણી જોડીને ગાઈ હતી. એ લાવણી દયારામનું પહેલું જ કાવ્ય કહેવાય છે.
એ, જ્ઞાતે સાઠોદરો નાગર ગૃહસ્થ, ઋગ્વેદી શાંખાયની શાખાનો, વડોદરેથી બાર ગાઉ પર ડભોઈ કસબો છે ને ત્યાંથી સાત ગાઉ પર નર્મદાતીરે ચાણોદ (ચંડીપુર) કરીને ગામ છે, ત્યાં સંવત ૧૮૩૩ અથવા ઈ.સ. ૧૭૭૭માં જન્મ્યો હતો. એની માનું નામ રતનબાઈ અને બાપનું નામ પરભુરામ હતું. એ પરભુરામ કારકુની કરતા. બાપે દીકરાને બાળપણમાં કંઈ અભ્યાસ કરાવ્યો ન હતો પણ તેને જોતરું પહેરાવવાની તજવીજ કરી હતી, એટલે સાત વર્ષની ઉંમરે તેનો વિવાહ કર્યો હતો. બાપે આઠમે વર્ષે દીકરાને જનોઈ દીધા પછી પાંચ છ વર્ષ જીવીને, અને માએ પણ પછી એક બે વર્ષ વૈધવ્ય પાળીને, કવિની ૧૫-૧૬ વર્ષની ઉમ્મરે દેહ છોડેલી એવું કહેવાય છે — કોઈ કહે છે જનોઈ દીધા પછી એને સૈયડ આવ્યા હતા. માબાપનાં મરણ પછી દયારામ ચાણોદમાં પોતાની માસીને ઘેર પળ્યો જતો એ વખતે એ કુસંગથી ફક્કડ, ઉડાઉ હોઈને કુછંદમાં સારી પેઠે રમતો હતો. એક પ્રસંગે માસી સાથે બોલવું થયું ને તેમાં માસીએ કંઈ કડવું વચન કહેલું તે તેનાથી ન સંખાયું, અને તેથી તે ક્રોધમાં ને ક્રોધમાં ઘરગામ છોડી ચાલતો કાશી તરફ ગયો હતો. એ વેળા એની ઉમ્મર સોળ સત્તરની હશે. કોઈ કહે છે કે સ્ત્રીઓના છંદથી તેની અપ્રતિષ્ઠા થઈ હતી તેથી નાસી ગયો હતો. માસીનું કડવું વચન શિક્ષાનું પણ હોય. કાશી જઈને ત્યાં કાશીવિશ્વેશ્વરની લાવણી જોડીને ગાઈ હતી. એ લાવણી દયારામનું પહેલું જ કાવ્ય કહેવાય છે.