સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર: Difference between revisions
(+૧) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[કાકા કાલેલકરનાં અનેકવિધ લખાણોમાં હિંદુસ્તાનની નદીઓ ઉપરનાં એમનાં લખાણ (જે 'લોકમાતા' નામના એક પુસ્તકમાં ગ્રંથસ્થ થયાં છે.) આપણા સાહિત્યમાં ખાસ ભાત પાડે છે. એમણે જે અનેક નદીઓનાં વર્ણન કર્યાં છે તે બધીને જાણે સદેહે આપણી સામે વિહરતી તેમણે ચીતરી છે. કોઈને માતા તરીકે એમણે વર્ણવી છે, તો કોઈને સખી તરીકે, તો કોઈને રાણી તરીકે. ગંગાને એમણે માતા તરીકે ચીતરી છે, અને આર્ય સંસ્કૃતિની જનની ગંગા માતા નહિ તો બીજા ક્યા પદને યોગ્ય છે? ગંગાનું વર્ણન એક ગદ્ય કાવ્ય જેવું છે, અને કાકાસાહેબ ગંગા નદીના પ્રવાહમાં આપણને આર્યાવર્તના સમગ્ર ભૂતકાલીન ઇતિહાસનું જ્યારે દર્શન કરાવે છે ત્યારે તો કવિ શ્રી. ન્હાનાલાલના 'ગિરનારને ચરણે’ નામના એક જાણીતા કાવ્યનું સ્મરણ થયા વિના રહેતું નથી. ગિરનાર પાસે અશોકનો શિલાલેખ જોતાં કવિ બૌદ્ધકાલીન ભારતવર્ષના દર્શનમાં ડૂબે છે. કાકાસાહેબ પણ એવી જ રીતે ગંગાને મળતી કાલિન્દી, સરયૂ, સોણ વગેરે નદી દ્વારા આપણા ઇતિહાસના અનેક પ્રસંગો જીવન્ત બનાવે છે. | [કાકા કાલેલકરનાં અનેકવિધ લખાણોમાં હિંદુસ્તાનની નદીઓ ઉપરનાં એમનાં લખાણ (જે 'લોકમાતા' નામના એક પુસ્તકમાં ગ્રંથસ્થ થયાં છે.) આપણા સાહિત્યમાં ખાસ ભાત પાડે છે. એમણે જે અનેક નદીઓનાં વર્ણન કર્યાં છે તે બધીને જાણે સદેહે આપણી સામે વિહરતી તેમણે ચીતરી છે. કોઈને માતા તરીકે એમણે વર્ણવી છે, તો કોઈને સખી તરીકે, તો કોઈને રાણી તરીકે. ગંગાને એમણે માતા તરીકે ચીતરી છે, અને આર્ય સંસ્કૃતિની જનની ગંગા માતા નહિ તો બીજા ક્યા પદને યોગ્ય છે? ગંગાનું વર્ણન એક ગદ્ય કાવ્ય જેવું છે, અને કાકાસાહેબ ગંગા નદીના પ્રવાહમાં આપણને આર્યાવર્તના સમગ્ર ભૂતકાલીન ઇતિહાસનું જ્યારે દર્શન કરાવે છે ત્યારે તો કવિ શ્રી. ન્હાનાલાલના 'ગિરનારને ચરણે’ નામના એક જાણીતા કાવ્યનું સ્મરણ થયા વિના રહેતું નથી. ગિરનાર પાસે અશોકનો શિલાલેખ જોતાં કવિ બૌદ્ધકાલીન ભારતવર્ષના દર્શનમાં ડૂબે છે. કાકાસાહેબ પણ એવી જ રીતે ગંગાને મળતી કાલિન્દી, સરયૂ, સોણ વગેરે નદી દ્વારા આપણા ઇતિહાસના અનેક પ્રસંગો જીવન્ત બનાવે છે. | ||
શૈત્યપાવનત્વ : શીતળતાથી પાવન કરવાપણું. દૃષ્ટા : દાઢ. વર્ધમાન : મોટી થતી. ગજગ્રાહ : ગજ એટલે હાથી અને ગ્રાહ એટલે મગર. પાણીમાં મગરે હાથીનો પગ પકડ્યો, અને હાથીએ ઈશ્વરનું સ્મરણ કરતાં તેમાંથી હાથી ઊગરી ગયો એ પૌરાણિક કથા. એ શબ્દ હવે Tug of warની રમત માટે અને તે ઉપરથી લક્ષ્યાર્થે કોઈ બે પક્ષો વચ્ચે મતભેદની રકાઝકી થાય તે માટે વપરાય છે. દાક્ષિણ્ય : અહીં એ શબ્દમાંથી બે અર્થો નીકળે છે. આવી રીતે શબ્દનો ઉપયોગ કરવાથી શ્લેષ અલંકાર બને છે. એક અર્થ ડહાપણ અને બીજો દક્ષિણ દિશા પ્રતિનું પ્રયાણ સૂચવે છે.] | '''શૈત્યપાવનત્વ''' : શીતળતાથી પાવન કરવાપણું. '''દૃષ્ટા''' : દાઢ. વર્ધમાન : મોટી થતી. '''ગજગ્રાહ''' : ગજ એટલે હાથી અને ગ્રાહ એટલે મગર. પાણીમાં મગરે હાથીનો પગ પકડ્યો, અને હાથીએ ઈશ્વરનું સ્મરણ કરતાં તેમાંથી હાથી ઊગરી ગયો એ પૌરાણિક કથા. એ શબ્દ હવે Tug of warની રમત માટે અને તે ઉપરથી લક્ષ્યાર્થે કોઈ બે પક્ષો વચ્ચે મતભેદની રકાઝકી થાય તે માટે વપરાય છે. '''દાક્ષિણ્ય''' : અહીં એ શબ્દમાંથી બે અર્થો નીકળે છે. આવી રીતે શબ્દનો ઉપયોગ કરવાથી '''શ્લેષ''' અલંકાર બને છે. એક અર્થ ડહાપણ અને બીજો દક્ષિણ દિશા પ્રતિનું પ્રયાણ સૂચવે છે.] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
Latest revision as of 03:22, 6 April 2026
[કાકા કાલેલકરનાં અનેકવિધ લખાણોમાં હિંદુસ્તાનની નદીઓ ઉપરનાં એમનાં લખાણ (જે ‘લોકમાતા’ નામના એક પુસ્તકમાં ગ્રંથસ્થ થયાં છે.) આપણા સાહિત્યમાં ખાસ ભાત પાડે છે. એમણે જે અનેક નદીઓનાં વર્ણન કર્યાં છે તે બધીને જાણે સદેહે આપણી સામે વિહરતી તેમણે ચીતરી છે. કોઈને માતા તરીકે એમણે વર્ણવી છે, તો કોઈને સખી તરીકે, તો કોઈને રાણી તરીકે. ગંગાને એમણે માતા તરીકે ચીતરી છે, અને આર્ય સંસ્કૃતિની જનની ગંગા માતા નહિ તો બીજા ક્યા પદને યોગ્ય છે? ગંગાનું વર્ણન એક ગદ્ય કાવ્ય જેવું છે, અને કાકાસાહેબ ગંગા નદીના પ્રવાહમાં આપણને આર્યાવર્તના સમગ્ર ભૂતકાલીન ઇતિહાસનું જ્યારે દર્શન કરાવે છે ત્યારે તો કવિ શ્રી. ન્હાનાલાલના ‘ગિરનારને ચરણે’ નામના એક જાણીતા કાવ્યનું સ્મરણ થયા વિના રહેતું નથી. ગિરનાર પાસે અશોકનો શિલાલેખ જોતાં કવિ બૌદ્ધકાલીન ભારતવર્ષના દર્શનમાં ડૂબે છે. કાકાસાહેબ પણ એવી જ રીતે ગંગાને મળતી કાલિન્દી, સરયૂ, સોણ વગેરે નદી દ્વારા આપણા ઇતિહાસના અનેક પ્રસંગો જીવન્ત બનાવે છે. શૈત્યપાવનત્વ : શીતળતાથી પાવન કરવાપણું. દૃષ્ટા : દાઢ. વર્ધમાન : મોટી થતી. ગજગ્રાહ : ગજ એટલે હાથી અને ગ્રાહ એટલે મગર. પાણીમાં મગરે હાથીનો પગ પકડ્યો, અને હાથીએ ઈશ્વરનું સ્મરણ કરતાં તેમાંથી હાથી ઊગરી ગયો એ પૌરાણિક કથા. એ શબ્દ હવે Tug of warની રમત માટે અને તે ઉપરથી લક્ષ્યાર્થે કોઈ બે પક્ષો વચ્ચે મતભેદની રકાઝકી થાય તે માટે વપરાય છે. દાક્ષિણ્ય : અહીં એ શબ્દમાંથી બે અર્થો નીકળે છે. આવી રીતે શબ્દનો ઉપયોગ કરવાથી શ્લેષ અલંકાર બને છે. એક અર્થ ડહાપણ અને બીજો દક્ષિણ દિશા પ્રતિનું પ્રયાણ સૂચવે છે.]