ગુજરાતી નારીસંપદા : કવિતા/દયાનું ઝરણ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|દયાનું ઝરણ|દીપકબા દેસાઈ}}
{{Heading|દયાનું ઝરણ|દીપકબા દેસાઈ}}{{center|<big><big>'''⯐'''</big></big>}}
{{center|<big><big>'''⯐'''</big></big>}}
{{center|અનુષ્ટુપ}}
{{center|અનુષ્ટુપ}}
{{Block center|<poem>ઘોર યુદ્ધ શમ્યું રાતે, જંપ્યા કૌરવપાંડવો;  
{{Block center|<poem>ઘોર યુદ્ધ શમ્યું રાતે, જંપ્યા કૌરવપાંડવો;  

Latest revision as of 02:01, 21 April 2026

દયાનું ઝરણ

દીપકબા દેસાઈ

અનુષ્ટુપ

ઘોર યુદ્ધ શમ્યું રાતે, જંપ્યા કૌરવપાંડવો;
પડ્યા’તા મૃત્યુશય્યા કો, કો પાડે કારમી બૂમો.

વસંતતિલકા

રાત્રિ વધી, રણભૂમિ સૂનકાર ભાસે,
તારાગ્રહો ગગનમાં દીપતા સુહાસેઃ
કો પ્રિયનાં શબ ભમી ભમી શોધતા’તા;
કો બેસી અશ્રુજલ-અંજલિ અર્પતા’તા.

અનુષ્ટુપ

તમરાંના થતા શબ્દો, બાકી શાન્ત નિશા ધપે;
અશ્વત્થામાતણે હૈડે, કિન્તુ ના કળ તો વળે.

માલિની

શિબિરથકી ઘડી એ વ્યગ્ર ચિત્તે ભમન્તો,
સુંણ્યું ફડફડ ત્હેવે જ્યાં ઊંચે કાગમાળો;
ઘૂવડમંહિ ઘસ્યું ને કાગબચ્ચાં વિખેર્યાં;
અરર! મરડી માથાં પાય ને પિચ્છ ખેર્યાં!

વંશસ્થ

ઘડીક થંભી મનમાં વિચારતો:-
‘હું કાં ન આ’વી અજમાવું યુક્તિઓ?’
હતો હીણો તે નીચ ચિન્તવી ફૂલ્યો;
નૃશંસ હૈડે પડઘો કૂડો પડ્યો!

વસંતતિલકા

આજે હું પાન્ડવતણી જઉં છાવણીમાં,
ને બાલ દ્રૌપદીતણાં હણું આ ઘડીમાં;
નિર્વંશ પાન્ડવતણો કરૂં કાં ન આજે?
વૈરાગ્નિ ઉર-સળગ્યો તવ હોલવાશે!

શિખરિણી

ગયો પાપી ત્યાંથી, અરરર! કસાઈ ક્રૂર થયો,
મૃદુ બાલુડાંને, મધુરી નિન્દમાં હાય! હણતો;
દુરાચારી હૈડું, કઠિન દીસતું વજ્રસરખું;
અરેરે! એ દિલે, ક્યમ કરી વહે સ્નેહ-ઝરણું?

અનુષ્ટુપ્

ટટળે બાલુડાં સર્વે, સંભળાય ચીસો ઊંડી;
જાગ્યા સૌ પાન્ડવો ત્હેવે, દ્રૌપદી કાંપતી હતી.

શિખરિણી

‘વદાયું ના જીભે, ગરીબ ધ્રુજતી રે! ઢળી જતી,
રહ્યા મ્હોંમાં શબ્દો, હૃદય રડતું આંખ રડતી;
“અરેરે! કો જાગો, કુસુમ કુમળાં હાય! કચર્યાં!”
સફાળો કે’ પાર્થ, “નીચ! કહિં ગયો? મારૂં હવણાં—

અનુષ્ટુપ

દ્રોણપુત્ર ગ્રહી લાવી કૃષ્ણ કે’ “પાર્થ! આ રહ્યો,
હણીને બાલહત્યારો, વૈરાગ્નિ કાંઈ બૂઝવો!”

વસંતતિલકા

કે’ પાર્થ “દ્રૌપદી કને લઈ જાવ એ’ને,
જ્યાં એ હતાશ થઈને ધ્રૂશકે રડે છે-"
વીરાંગના દૂરથી ઓળખી બોલી ત્યાંહી;
"ઓ બ્રહ્મબાલ! હત ક્રૂર-કહું કસાઈ?

શિખરિણી

અરે ઓ હત્યારા! શિશુ હણી બતાવી શી વીરતા?
બૂઝ્યો આશાજ્યોતિ, અરર! અમને અંધ જ કર્યાં!
હણો ના - એની તો જનની મમપેરે કકળશે;
પ્રભુ મ્હારો-એ’નો અદલ ચૂકવો ન્યાય જ ભલે-

અનુષ્ટુપ

પાપ-પુણ્યતણું લેખું, જ્યારે પરમાત્મ પૂછશે;
કહે ઓ બાલ હત્યારા! શી ગતિ ત્હારી ત્યાં થશે?”

મન્દાક્રાન્તા

પાર્થે લીધું ખડગ કરમાં, દુષ્ટ! શિક્ષા દઉં શું?
એધાણીમાં પતિત! તુજની, ખોપરી કાં ન કાઢું?
રે! રે! આ’વું, ન કર ફરીથી-ઘોર આ’વું ઘટે શું?
માફી માગી દુ:ખી હૃદયની, જા હવે આંહીથી તું—”

અનુષ્ટુપ

શિક્ષા દોષિતને દેવી, ન્યાય એ પ્રભુને ગમે;
દયાનું ત્રાજવું ત્હો યે, ન્યાયથી અધિકું નમે.
પસ્તાવો પાપીના દિલે, પાપનાં પડને ધ્રૂવે;
દયાનાં ઝરણોભેગાં, પુણ્યનાં પાણીડાં વહે!

***