નારીસંપદાઃ વિવેચન/કિસન સોસાનાં કાવ્યોઃ દર્દીલી મધુરપ: Difference between revisions

no edit summary
(formatting of heading)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪૪. કિસન સોસાનાં કાવ્યો : દર્દીલી મધુરપ|સંધ્યા ભટ્ટ}}
{{Heading|કિસન સોસાનાં કાવ્યો : દર્દીલી મધુરપ|સંધ્યા ભટ્ટ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૭૭માં 'સહરા' નામે પ્રથમ કાવ્યસંગ્રહથી માંડીને ૨૦૨૧માં ‘સૂર્યને કર્ફ્યૂ શહેર સૂમસામ છે’ જેવા વિલક્ષણ શીર્ષકથી અઢારમો કાવ્યસંગ્રહ આપનાર કિસન સોસા આજે આયુષ્યના ચોર્યાસીમા વર્ષે પણ લખતા રહ્યા છે. ખૂબ જ ઓછું ભણતર, એકદમ સામાન્ય કહી શકાય તેવી નોકરી, અતિ નમ્ર સ્વભાવ સાથે પોતીકી કાવ્યપ્રતિભા લઈને જન્મેલા આ કવિએ ગઝલ, ગીત, અછાંદસ, તાન્કામાં અને સર્જનાત્મક ગદ્યમાં પણ કેટલુંક કામ કર્યું છે. એમની કવિતા એમના જેવી જ અમુખર છે એમ કોઈકે યોગ્ય રીતે કહ્યું છે. તેમના કેટલાક કાવ્યસંગ્રહો તો હવે અપ્રાપ્ય થઈ ગયા છે. આ નખશિખ કવિએ કાવ્યસંગ્રહો સચવાય તેની પરવા કરી નથી. કાવ્યનિમજ્જન એ તેમની એકમાત્ર મૂડી છે એવું એમને વ્યક્તિ તરીકે જોતાં અને એમના કાવ્યો માણતાં સમજાય.
૧૯૭૭માં 'સહરા' નામે પ્રથમ કાવ્યસંગ્રહથી માંડીને ૨૦૨૧માં ‘સૂર્યને કર્ફ્યૂ શહેર સૂમસામ છે’ જેવા વિલક્ષણ શીર્ષકથી અઢારમો કાવ્યસંગ્રહ આપનાર કિસન સોસા આજે આયુષ્યના ચોર્યાસીમા વર્ષે પણ લખતા રહ્યા છે. ખૂબ જ ઓછું ભણતર, એકદમ સામાન્ય કહી શકાય તેવી નોકરી, અતિ નમ્ર સ્વભાવ સાથે પોતીકી કાવ્યપ્રતિભા લઈને જન્મેલા આ કવિએ ગઝલ, ગીત, અછાંદસ, તાન્કામાં અને સર્જનાત્મક ગદ્યમાં પણ કેટલુંક કામ કર્યું છે. એમની કવિતા એમના જેવી જ અમુખર છે એમ કોઈકે યોગ્ય રીતે કહ્યું છે. તેમના કેટલાક કાવ્યસંગ્રહો તો હવે અપ્રાપ્ય થઈ ગયા છે. આ નખશિખ કવિએ કાવ્યસંગ્રહો સચવાય તેની પરવા કરી નથી. કાવ્યનિમજ્જન એ તેમની એકમાત્ર મૂડી છે એવું એમને વ્યક્તિ તરીકે જોતાં અને એમના કાવ્યો માણતાં સમજાય.