ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધૂમકેતુ/ભૈયાદાદા: Difference between revisions
Khushimistry (talk | contribs) No edit summary |
Khushimistry (talk | contribs) No edit summary |
||
| Line 75: | Line 75: | ||
‘ટીલાળીને દોહી?’ | ‘ટીલાળીને દોહી?’ | ||
ટીલાળી ભૈયાની બકરીનું નામ હતું. ભોળા વૃદ્ધભૈયાએ ટીલું જોઈને તેનું નામ ટીલાળી | ટીલાળી ભૈયાની બકરીનું નામ હતું. ભોળા વૃદ્ધભૈયાએ ટીલું જોઈને તેનું નામ ટીલાળી પાડ્યું હતું. એવાં નામ માણસનાં પડતાં હોય તો માણસ પશુ કરતાં સારો લાગે! તેમજ ‘શબ્દો યથાર્થાક્ષર:’ થાય. | ||
‘હા ભૈયાદાદા.’ | ‘હા ભૈયાદાદા.’ | ||
| Line 83: | Line 83: | ||
પાની ચાલી ગઈ. પણ થોડીવાર ન થઈ ત્યાં પાછી ફરી: ‘ભૈયાદાદા! ચાર દિવસ પછી દિવાળી છે; તમારે લાપશી ભરડાવવી નથી?’ | પાની ચાલી ગઈ. પણ થોડીવાર ન થઈ ત્યાં પાછી ફરી: ‘ભૈયાદાદા! ચાર દિવસ પછી દિવાળી છે; તમારે લાપશી ભરડાવવી નથી?’ | ||
વૃદ્ધ ભૈયો આનંદ પામ્યો. તે મીઠું હસી | વૃદ્ધ ભૈયો આનંદ પામ્યો. તે મીઠું હસી પડ્યો: ‘મારે વળી લાપશી શી?’ | ||
‘એમ કૈં હોય, ભૈયાદાદા? સૌ જમશે-જૂઠશે ને તમે કાંઈ નહિ કરો?’ | ‘એમ કૈં હોય, ભૈયાદાદા? સૌ જમશે-જૂઠશે ને તમે કાંઈ નહિ કરો?’ | ||
| Line 101: | Line 101: | ||
‘આજ આટલી અવસ્થાએ કોને આશરે જાઉં? છોકરો પ્લેગમાં ગયો; છોકરાની વહુ ભાગી ગઈ. હવે એકનું એક પેટ છે તે ભગવાન દેહ હાંકે ત્યાં સુધી કામ કરવું ને ખાવું.’ બદ્રીનાથે જવાબ વાળ્યો. વિનાયકરાવનું અંત:કરણ ભૈયાના જવાબથી વધારે ને વધારે નરમ બનતું હતું. | ‘આજ આટલી અવસ્થાએ કોને આશરે જાઉં? છોકરો પ્લેગમાં ગયો; છોકરાની વહુ ભાગી ગઈ. હવે એકનું એક પેટ છે તે ભગવાન દેહ હાંકે ત્યાં સુધી કામ કરવું ને ખાવું.’ બદ્રીનાથે જવાબ વાળ્યો. વિનાયકરાવનું અંત:કરણ ભૈયાના જવાબથી વધારે ને વધારે નરમ બનતું હતું. | ||
તે જવા | તે જવા ઉઠ્યો. ત્યારે એને ચોક્કસ લાગ્યું કે ભૈયાને એની વાડી પર મા કરતાંયે વધારે પ્રેમ હતો. | ||
બીજે દિવસે ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ બરાબર નિયમસર ઑફિસમાં હાજર થયા હતા ને સામે પોતાનું શિર ઝુકાવીને વિનાયકરાવ ઉભો હતો. | બીજે દિવસે ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ બરાબર નિયમસર ઑફિસમાં હાજર થયા હતા ને સામે પોતાનું શિર ઝુકાવીને વિનાયકરાવ ઉભો હતો. | ||
| Line 113: | Line 113: | ||
વિનાયકરાવે વિચાર કર્યો ને અરધો જુસ્સામાં ને અરધો ગુસ્સામાં તે બોલ્યો, ‘એ નહિ બને!’ | વિનાયકરાવે વિચાર કર્યો ને અરધો જુસ્સામાં ને અરધો ગુસ્સામાં તે બોલ્યો, ‘એ નહિ બને!’ | ||
સાહેબે હોઠ | સાહેબે હોઠ કરડ્યા, ‘હેં!’ | ||
હમેશની ગુલામી-નિર્બળતા પોતાનું બળ જમાવવા લાગી. રાવના હોશકોશ ઊડી ગયા. પોતે ઉતાવળથી ભુલ કરી તે એ સમજી ગયો. ફેરવી તોળવાની કળામાં તે પાવરધો હોવાથી તરત બોલ્યો, ‘સાહેબ! એ તો હું બીજા જ વિચારમાં હતો. ભૈયા બદ્રીનાથની જગ્યાએ કાળુને ગોઠવવો ઠીક પડશે!’ | હમેશની ગુલામી-નિર્બળતા પોતાનું બળ જમાવવા લાગી. રાવના હોશકોશ ઊડી ગયા. પોતે ઉતાવળથી ભુલ કરી તે એ સમજી ગયો. ફેરવી તોળવાની કળામાં તે પાવરધો હોવાથી તરત બોલ્યો, ‘સાહેબ! એ તો હું બીજા જ વિચારમાં હતો. ભૈયા બદ્રીનાથની જગ્યાએ કાળુને ગોઠવવો ઠીક પડશે!’ | ||
| Line 157: | Line 157: | ||
‘હા.’ | ‘હા.’ | ||
અને વિનાયકરાવ તરત જ ભૈયાના પગમાં | અને વિનાયકરાવ તરત જ ભૈયાના પગમાં પડ્યો! | ||
‘અરે, અરે! રાવસાહેબ, આ શું?’ | ‘અરે, અરે! રાવસાહેબ, આ શું?’ | ||
| Line 165: | Line 165: | ||
‘અરે રાવસાહેબ!’ ભૈયો ફિક્કું હસ્યો, ‘એ તમારી ઉદારતા છે; પણ હું તો આટલામાં જ આ જમીન પાસે રહીશ.’ | ‘અરે રાવસાહેબ!’ ભૈયો ફિક્કું હસ્યો, ‘એ તમારી ઉદારતા છે; પણ હું તો આટલામાં જ આ જમીન પાસે રહીશ.’ | ||
વિનાયકરાવે ધાર્યું કે બીજે દિવસે ભૈયાદાદાને બરાબર સમજાવીશું. બંને | વિનાયકરાવે ધાર્યું કે બીજે દિવસે ભૈયાદાદાને બરાબર સમજાવીશું. બંને ઉઠ્યા ત્યારે ભૈયો આંખમાં આંસુ સહિત વિનાયકરાવને ભેટી પડ્યો. બિલાડીનાં બે-ત્રણ બચ્ચાં તો એના વૃદ્ધ શરીર પર અટવાતાં જ હતાં. | ||
‘રાવસાહેબ! આ તમને સોંપું છું હો!’ વૃદ્ધ એટલું જ બોલી શક્યો ને બંને છુટા | ‘રાવસાહેબ! આ તમને સોંપું છું હો!’ વૃદ્ધ એટલું જ બોલી શક્યો ને બંને છુટા પડ્યો. | ||
બીજે દિવસે સવારમાં દિવસ ન ઊગે ત્યાં તો વિનાયકરાવ આવ્યો હતો. પાની પણ બકરી દોહી લેવા હાજર થઈ હતી. વિનાયકરાવ ઓટલા ઉપર બેઠો, કારણ કે ભૈયો હજી બહાર આવ્યો ન હતો. અંતે થાકીને પાનીએ બારણું તો ખુલ્લું જ હતું. | બીજે દિવસે સવારમાં દિવસ ન ઊગે ત્યાં તો વિનાયકરાવ આવ્યો હતો. પાની પણ બકરી દોહી લેવા હાજર થઈ હતી. વિનાયકરાવ ઓટલા ઉપર બેઠો, કારણ કે ભૈયો હજી બહાર આવ્યો ન હતો. અંતે થાકીને પાનીએ બારણું તો ખુલ્લું જ હતું. | ||
| Line 195: | Line 195: | ||
<center>*</center> | <center>*</center> | ||
ભૈયાદાદાની વાડીમાં હવે | ભૈયાદાદાની વાડીમાં હવે ક્યારેય એવી સ્વચ્છતા રહેતી નથી. હોલા બેસતા, ચકલીઓ બોલતી, ને કોયલ વાડ ને વેલાની અંદર ચાલી જતી એવી સૃષ્ટિ હવે ત્યાં નથી. કામ કરનાર આત્માને બદલે કામ કરનાર શરીર ત્યાં છે. વીસમી સદી કાવ્યમય જીવનને-આદર્શ કામ કરનારને-શું કરે? સંસ્થા વ્યક્તિના ખાનગી ભવ્ય જીવનને શું કરે? યંત્રવાદ નિયમિત જડત્વને બદલે રસમય ચૈતન્યને શું કરે? આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું જ બની રહેશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||