સરળ અલંકાર-વિવેચન/સ્વભાવોક્તિ: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 17: | Line 17: | ||
બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, | બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, | ||
ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય.</poem>'''}} | ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય.</poem>'''}} | ||
{{center|*}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Block center|'''<poem>શાખાઓમાં તરુવરતણી ચક્રવાકી છુપાતી, | {{Block center|'''<poem>શાખાઓમાં તરુવરતણી ચક્રવાકી છુપાતી, | ||
શોધી કાઢે દયિત-નયનો, જોઈને હૃષ્ટ થાતી; | શોધી કાઢે દયિત-નયનો, જોઈને હૃષ્ટ થાતી; | ||
ચંચૂ ચંચૂ મહીં લઈ પછી પક્ષને પક્ષમાં લે, | ચંચૂ ચંચૂ મહીં લઈ પછી પક્ષને પક્ષમાં લે, | ||
ક્રીડા એવી કંઈ કંઈ કરે, મૌગ્ધ્યમાં દંપતી તે.</poem>'''}} | ક્રીડા એવી કંઈ કંઈ કરે, મૌગ્ધ્યમાં દંપતી તે.</poem>'''}} | ||
{{center|*}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રેમાનંદના ‘સુદામાચરિત’માં આવતું આ જાણીતું વર્ણન જુઓ; કેટલું તાદૃશ ને જીવંત છે ! | પ્રેમાનંદના ‘સુદામાચરિત’માં આવતું આ જાણીતું વર્ણન જુઓ; કેટલું તાદૃશ ને જીવંત છે ! | ||
| Line 30: | Line 30: | ||
પવને જટામાંથી ભસ્મ ઉડાડી, ધૂમ્ર કોટાનકોટ, | પવને જટામાંથી ભસ્મ ઉડાડી, ધૂમ્ર કોટાનકોટ, | ||
થાય ફટકફાટાં ખાસડાં, ઊડે ધૂળના ગોટેગોટ.</poem>'''}} | થાય ફટકફાટાં ખાસડાં, ઊડે ધૂળના ગોટેગોટ.</poem>'''}} | ||
{{center|*}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘૧૩–૭ની લોકલ’માં કવિ સુંદરમે કરેલું વર્ણન–એનો આ એક નાનો જ ખંડ-જુઓ : | ‘૧૩–૭ની લોકલ’માં કવિ સુંદરમે કરેલું વર્ણન–એનો આ એક નાનો જ ખંડ-જુઓ : | ||
Latest revision as of 03:09, 24 June 2026
આ અલંકાર વસ્તુતઃ અલંકાર નથી; કેમકે સ્વભાવની ઉક્તિ એટલે કે વસ્તુ જેવી છે તેવી જ તેના કુદરતી રૂપમાં હૂબહૂ રજૂ કરી, સૌંદર્ય સ્ફુટ કરવું તેનું નામ સ્વભાવોક્તિ છે. અલબત્ત ગમે તે વસ્તુ જેવી છે તેવી, તે જ રૂપમાં, રજૂ કરવાથી સૌંદર્ય ન આવે. માટે પશુ, પક્ષી, બાળક, યુવતી, પ્રકૃતિદૃશ્ય વગેરેનું સાદું સ્વાભાવિક ચિત્રણ કરવામાં આવે, તેમાં બીજો કોઈ પણ અલંકાર ન હોય અથવા આગળ પડતો ન હોય, ત્યારે સ્વભાવોક્તિ બને છે. જેમકે કવિ કાન્તે ‘રતિને પ્રાર્થના’માં કરેલું પોતાની પત્નીનું વર્ણન:
મૃદુ મદ-ભર્યાં ગાત્રો તારાં તજી ન શકું કદા,
વિરલ કચથી આચ્છાદીને પ્રસન્ન રહું સદા;
નયન નમણાં ગ્રીવા ધોળી, લલાટ સુહામણું,
અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહીં ગણું.
કવિ કાંતે આ અલંકારનો બહુ જ કુશળતાથી ઉપયોગ કર્યો છે. એમની કવિતામાંથી નીચેનાં ઉદાહરણો પણ જુઓ :
ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય;
બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,
ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય.
*
શાખાઓમાં તરુવરતણી ચક્રવાકી છુપાતી,
શોધી કાઢે દયિત-નયનો, જોઈને હૃષ્ટ થાતી;
ચંચૂ ચંચૂ મહીં લઈ પછી પક્ષને પક્ષમાં લે,
ક્રીડા એવી કંઈ કંઈ કરે, મૌગ્ધ્યમાં દંપતી તે.
*
પ્રેમાનંદના ‘સુદામાચરિત’માં આવતું આ જાણીતું વર્ણન જુઓ; કેટલું તાદૃશ ને જીવંત છે !
ભાલ તિલક ને માળા કંઠે, મુખ રામ ભણતો જાય,
મૂછ કુછનું જાળું વાધ્યું, કદ્રુપ દીસે કાય,
પવને જટામાંથી ભસ્મ ઉડાડી, ધૂમ્ર કોટાનકોટ,
થાય ફટકફાટાં ખાસડાં, ઊડે ધૂળના ગોટેગોટ.
*
‘૧૩–૭ની લોકલ’માં કવિ સુંદરમે કરેલું વર્ણન–એનો આ એક નાનો જ ખંડ-જુઓ :
વળી કો ડોસીમા દૂરે, પોમચો તપખીરિયો
પહેર્યો છે, નાકમાં ફાકો ભર્યો છે તપખીરનો,
મૂક્યા છે હાથ બે માથે, કને છે મૂકી પોટલી:
અને બે હોઠથી બોખા રટે છે રામ-ગાળ કે.
અહીં છેલ્લી લીટીમાં ને તે પણ છેલ્લા ત્રણ શબ્દોમાં કેવી ચમત્કૃતિ કવિએ સાધી છે તે પણ જુઓ.