વાંકદેખાં વિવેચનો/પરિશિષ્ટ: Difference between revisions
Artimundra (talk | contribs) No edit summary |
Artimundra (talk | contribs) No edit summary |
||
| Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તંત્રીશ્રી, | તંત્રીશ્રી, | ||
ડૉ. રમેશ શુક્લે 'કલાપીની ખેલપટુતા?’ વિશેના મારા પહેલા લેખાંકને ઉત્તર | ડૉ. રમેશ શુક્લે 'કલાપીની ખેલપટુતા?’ વિશેના મારા પહેલા લેખાંકને ઉત્તર વાળ્યો<ref>૧. શબ્દસૃષ્ટિ, સપ્ટે. ૧૯૮૫- ‘ખેલપટુતા કોની? — ૧'</ref> તે આનંદની વાત છે. એ વાંચ્યા પછી મારે કંઈ ઉમેરવાનું કે ફેરફાર કરવાનું ઊભું થતું નથી ને વાચકો બન્નેએ પક્ષને વાંચીને પોતાનું તારતમ્ય કાઢી શકે તેમ છે, છતાં થોડા મુદ્દાઓ ફરી વધુ સ્પષ્ટતાથી કહેવા જેવા લાગે છે : | ||
૧. શોધપ્રબન્ધના કોઈ એક મુદ્દાની સ્વતંત્ર તપાસ શા માટે ન થઈ શકે એ મને સમજાતું નથી. ‘ગ્રામ્ય માતા’ના આધારસ્રોતની શોધ-પ્રબન્ધમાંની સમગ્ર ચર્ચાને હું લક્ષમાં લેતો હોઉં તો કોઈ જોખમ ઊભું થતું નથી. 'ગ્રામ્ય માતા’ પરત્વે ડૉ. શુક્લે કહેલી કોઈ વાત મેં લક્ષમાં લીધી ન હોય એવું બન્યું નથી. | ૧. શોધપ્રબન્ધના કોઈ એક મુદ્દાની સ્વતંત્ર તપાસ શા માટે ન થઈ શકે એ મને સમજાતું નથી. ‘ગ્રામ્ય માતા’ના આધારસ્રોતની શોધ-પ્રબન્ધમાંની સમગ્ર ચર્ચાને હું લક્ષમાં લેતો હોઉં તો કોઈ જોખમ ઊભું થતું નથી. 'ગ્રામ્ય માતા’ પરત્વે ડૉ. શુક્લે કહેલી કોઈ વાત મેં લક્ષમાં લીધી ન હોય એવું બન્યું નથી. | ||
૨. 'ગ્રામ્ય માતા' પરત્વે ડૉ. શુક્લે નિર્દિષ્ટ કરેલાં સાધનો મેં તપાસ્યાં છે તે ઉપરાંત ‘પ્રબંધચિંતામણિનું ગુજરાતી ભાષાંતર’ (દુર્ગાશંકર શાસ્ત્રી), 'કલાપીનો કેકારવ’ (સંપા. ઈન્દ્રવદન દવે), 'ગ્રામમાતા અને બીજાં કાવ્યો' (સંપા. નવલરામ ત્રિવેદી), 'કલાપી' (નવલરામ ત્રિવેદી) એ ગ્રંથોનો પણ મેં લાભ લીધો છે. ડૉ.. શુક્લે તેમના ઉત્તરમાં પોતાની પાસેની અપ્રકાશિત સામગ્રીમાંથી આ મુદ્દા પરત્વે કશું ઉમેરણ કર્યું નથી. | ૨. 'ગ્રામ્ય માતા' પરત્વે ડૉ. શુક્લે નિર્દિષ્ટ કરેલાં સાધનો મેં તપાસ્યાં છે તે ઉપરાંત ‘પ્રબંધચિંતામણિનું ગુજરાતી ભાષાંતર’ (દુર્ગાશંકર શાસ્ત્રી), 'કલાપીનો કેકારવ’ (સંપા. ઈન્દ્રવદન દવે), 'ગ્રામમાતા અને બીજાં કાવ્યો' (સંપા. નવલરામ ત્રિવેદી), 'કલાપી' (નવલરામ ત્રિવેદી) એ ગ્રંથોનો પણ મેં લાભ લીધો છે. ડૉ.. શુક્લે તેમના ઉત્તરમાં પોતાની પાસેની અપ્રકાશિત સામગ્રીમાંથી આ મુદ્દા પરત્વે કશું ઉમેરણ કર્યું નથી. | ||
૩. ડૉ. ઉપેન્દ્ર પંડ્યાએ શેરડીમાં કાપ પાડતાં જ પ્યાલો રસથી ભરાઈ જાય એ ચમત્કૃતિભર્યા પ્રસંગનિરૂપણને, એનું કોઈ પ્રયોજન ન હોવાથી, સ્વારસ્ય વિનાનું કહેલ છે, આખા કાવ્યને સ્વારસ્ય વિનાનું કહ્યું નથી. કલાપીનું કાવ્ય ઉક્ત ફારસી કથાઓનું ‘રૂપાંતર' હોવાનું પણ ડૉ. પંડ્યાએ કહ્યું નથી, એમણે કથાપ્રસંગના મળતાપણાની જ ચર્ચા કરી છે. | ૩. ડૉ. ઉપેન્દ્ર પંડ્યાએ શેરડીમાં કાપ પાડતાં જ પ્યાલો રસથી ભરાઈ જાય એ ચમત્કૃતિભર્યા પ્રસંગનિરૂપણને, એનું કોઈ પ્રયોજન ન હોવાથી, સ્વારસ્ય વિનાનું કહેલ છે, આખા કાવ્યને સ્વારસ્ય વિનાનું કહ્યું નથી. કલાપીનું કાવ્ય ઉક્ત ફારસી કથાઓનું ‘રૂપાંતર' હોવાનું પણ ડૉ. પંડ્યાએ કહ્યું નથી, એમણે કથાપ્રસંગના મળતાપણાની જ ચર્ચા કરી છે. | ||
આમ, જે નથી લખાણું એ ડૉ. શુક્લથી વંચાણું હોય એમ લાગે છે. | આમ, જે નથી લખાણું એ ડૉ. શુક્લથી વંચાણું હોય એમ લાગે છે. | ||
૪. ‘ગુડી બ્લેક'માંથી કલાપીને આ કાવ્યના કથાવસ્તુનું સૂચન મળ્યું હોય એવી સંભાવના સૌ પ્રથમ નવલરામ ત્રિવેદીએ નોંધી છે. બાકીના બધા એમને અનુસર્યા છે. નવલરામ ત્રિવેદીએ વાજસુર વાળા પરના પત્રને આધારે આમ કહ્યું એમ શા માટે માની લેવાય? ને એમણે વાજસુર વાળા પરના પત્રનો આધાર આપ્યો હોય તોપણ ઉક્ત પત્રમાં આપણને એ વાત મળતી ન હોય તો સ્વીકારી કેમ લેવાય? શોધ-પ્રબન્ધમાં ફાવે ત્યાં આગળનાઓના મતને સ્વીકારીને ચાલીએ અને ફાવે ત્યાં બાજુ પર મૂકી દઈએ, એવું થાય? | ૪. ‘ગુડી બ્લેક'માંથી કલાપીને આ કાવ્યના કથાવસ્તુનું સૂચન મળ્યું હોય એવી સંભાવના સૌ પ્રથમ નવલરામ ત્રિવેદીએ નોંધી છે. બાકીના બધા એમને અનુસર્યા છે. નવલરામ ત્રિવેદીએ વાજસુર વાળા પરના પત્રને આધારે આમ કહ્યું એમ શા માટે માની લેવાય? ને એમણે વાજસુર વાળા પરના પત્રનો આધાર આપ્યો હોય તોપણ ઉક્ત પત્રમાં આપણને એ વાત મળતી ન હોય તો સ્વીકારી કેમ લેવાય? શોધ-પ્રબન્ધમાં ફાવે ત્યાં આગળનાઓના મતને સ્વીકારીને ચાલીએ અને ફાવે ત્યાં બાજુ પર મૂકી દઈએ, એવું થાય? | ||
| Line 19: | Line 17: | ||
'ગ્રામ્ય માતા'ની ચર્ચા સાથે સંબંધ ન ધરાવતી કેટલીક હકીકતો ડૉ. શુક્લે નોંધી છે જે સ્વતંત્ર તપાસનો વિષય બની શકે તેમ છે. | 'ગ્રામ્ય માતા'ની ચર્ચા સાથે સંબંધ ન ધરાવતી કેટલીક હકીકતો ડૉ. શુક્લે નોંધી છે જે સ્વતંત્ર તપાસનો વિષય બની શકે તેમ છે. | ||
* | * | ||
'કલાપીની ખેલપટુતા? - ૨' એ મારા લેખના ડૉ. રમેશ શુક્લે વાળેલા ઉત્તરમાં૨ એવી કોઈ નવી માહિતી કે મુદ્દાઓ નથી જેથી મારે | 'કલાપીની ખેલપટુતા? - ૨<ref>૨. શબ્દસૃષ્ટિ, ઑક્ટો . ૧૯૮૫ ખેલપટુતા કોની? – ૨’</ref>' એ મારા લેખના ડૉ. રમેશ શુક્લે વાળેલા ઉત્તરમાં૨ એવી કોઈ નવી માહિતી કે મુદ્દાઓ નથી જેથી મારે મારા અભિપ્રાયનો ફેરવિચાર કરવાનો પ્રાપ્ત થાય. એમાં ઘણું ચર્વિત-ચર્વણ છે. ‘શબ્દસૃષ્ટિ'ના વાચકોને વિનંતી કે તેઓ ડૉ. શુક્લના ઉત્તર પછી મારો લેખ ફરીને વાંચી જાય અને પોતાનો ઘટિત નિર્ણય બાંધે. | ||
મારા અભિપ્રાયનો ફેરવિચાર કરવાનો પ્રાપ્ત થાય. એમાં ઘણું ચર્વિત-ચર્વણ છે. ‘શબ્દસૃષ્ટિ'ના વાચકોને વિનંતી કે તેઓ ડૉ. શુક્લના ઉત્તર પછી મારો લેખ ફરીને વાંચી જાય અને પોતાનો ઘટિત નિર્ણય બાંધે. | |||
આમ છતાં ડૉ. શુક્લના ઉત્તરમાં એવી કેટલીક બાબતો છે, જેના વિશે થોડી વાત સ્પષ્ટતા રૂપે કરવાની આવશ્યક થઈ જાય છે : | આમ છતાં ડૉ. શુક્લના ઉત્તરમાં એવી કેટલીક બાબતો છે, જેના વિશે થોડી વાત સ્પષ્ટતા રૂપે કરવાની આવશ્યક થઈ જાય છે : | ||
૧. “જવા દો, નરસિંહની કેટલી કૃતિઓ વિશે શંકા કરીશું?” એવા મારા એક વાક્યથી મારામાં સત્યશોધને બાધક વલણો છે કે પત્ર રૂપે લખાયેલા લેખમાં લખિતંગ રહી ગયું માટે હું કશુંક ઉથામવા/ઉથાપવાની ઉતાવળમાં છું કે “હમીરજી બીજા કલાપી થઈને ઊભા રહે છે” એવા રામનારાયણના એમણે ટાંકેલા મતનો હું ઉપયોગ ન કરું એટલે એ મતને દબાવી દઈ રહ્યો છું એમ ડૉ. શુક્લ માની લે એમાં મને કશી નવાઈ લાગતી નથી. માની લેવાની કળા એમને બરાબર હસ્તગત થઈ ગઈ છે. નરસિંહને નામે મળતું ‘મામેરું' નરસિંહકૃત હોવાની શક્યતા નથી એમ સ્થાપિત કરતો મારો લેખ કે એમનાં પ્રતિપાદનોને તપાસવા માટે મેં કરેલો સ્વાધ્યાય એ શા માટે લક્ષમાં લે? એ એ પણ ન જોઈ શકે કે રામનારાયણ પાઠકનો મત તે 'હમીરજી’નું કર્તૃત્વ કલાપીનું છે એ અભિપ્રાયનું સમર્થન કરે, એ મતને દાબી દેવાથી મને શો લાભ? | ૧. “જવા દો, નરસિંહની કેટલી કૃતિઓ વિશે શંકા કરીશું?” એવા મારા એક વાક્યથી મારામાં સત્યશોધને બાધક વલણો છે કે પત્ર રૂપે લખાયેલા લેખમાં લખિતંગ રહી ગયું માટે હું કશુંક ઉથામવા/ઉથાપવાની ઉતાવળમાં છું કે “હમીરજી બીજા કલાપી થઈને ઊભા રહે છે” એવા રામનારાયણના એમણે ટાંકેલા મતનો હું ઉપયોગ ન કરું એટલે એ મતને દબાવી દઈ રહ્યો છું એમ ડૉ. શુક્લ માની લે એમાં મને કશી નવાઈ લાગતી નથી. માની લેવાની કળા એમને બરાબર હસ્તગત થઈ ગઈ છે. નરસિંહને નામે મળતું ‘મામેરું' નરસિંહકૃત હોવાની શક્યતા નથી એમ સ્થાપિત કરતો મારો લેખ કે એમનાં પ્રતિપાદનોને તપાસવા માટે મેં કરેલો સ્વાધ્યાય એ શા માટે લક્ષમાં લે? એ એ પણ ન જોઈ શકે કે રામનારાયણ પાઠકનો મત તે 'હમીરજી’નું કર્તૃત્વ કલાપીનું છે એ અભિપ્રાયનું સમર્થન કરે, એ મતને દાબી દેવાથી મને શો લાભ? | ||
| Line 46: | Line 40: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંપાદકશ્રી, | સંપાદકશ્રી, | ||
ડૉ. શુક્લનું તારણ એવું છે કે કલાપીએ ‘ગ્રામ્ય માતા' ['શેલડી']નો ખરો આધારસ્રોત છુપાવ્યો છે અને ‘ગુડી બ્લેક' પરથી પોતે આ કાવ્ય રચ્યું છે એમ કહી આપણને છેતરવાની કોશિશ કરી છે. સ્વ. નવલરામ ત્રિવેદી, શ્રી અનંતરાય રાવળ, ડૉ. ઈન્દ્રવદન દવે અને ડૉ. ઉપેન્દ્ર પંડ્યા – એ કોઈનું આ તારણ હરગિજ નથી. એ ડૉ. શુક્લનું મૌલિક તારણ છે અને એનો જશ એમણે જાતે જ લેવો જોઈએ. ડૉ. ઉપેન્દ્ર પંડ્યાએ પોતાની વાત સ્પષ્ટ કરી છે.૩ પણ સદ્ગતો કંઈ સ્પષ્ટતા કરવા આવે એમ નથી. આવે તોયે શું? ડૉ. પંડ્યાના અત્યંત સ્પષ્ટ ને તર્કપુરઃસરના ખુલાસા પછીયે ડૉ. શુક્લ એમ કહી શકે છે કે તમારા લેખમાંથી હું સમજ્યો છું એ જ સાચું છે. | ડૉ. શુક્લનું તારણ એવું છે કે કલાપીએ ‘ગ્રામ્ય માતા' ['શેલડી']નો ખરો આધારસ્રોત છુપાવ્યો છે અને ‘ગુડી બ્લેક' પરથી પોતે આ કાવ્ય રચ્યું છે એમ કહી આપણને છેતરવાની કોશિશ કરી છે. સ્વ. નવલરામ ત્રિવેદી, શ્રી અનંતરાય રાવળ, ડૉ. ઈન્દ્રવદન દવે અને ડૉ. ઉપેન્દ્ર પંડ્યા – એ કોઈનું આ તારણ હરગિજ નથી. એ ડૉ. શુક્લનું મૌલિક તારણ છે અને એનો જશ એમણે જાતે જ લેવો જોઈએ. ડૉ. ઉપેન્દ્ર પંડ્યાએ પોતાની વાત સ્પષ્ટ કરી છે.૩<ref>૩. શબ્દસૃષ્ટિ, નવેં ૧૯૮૫ – ‘ગ્રામ્ય માતા' વિશે.</ref> પણ સદ્ગતો કંઈ સ્પષ્ટતા કરવા આવે એમ નથી. આવે તોયે શું? ડૉ. પંડ્યાના અત્યંત સ્પષ્ટ ને તર્કપુરઃસરના ખુલાસા પછીયે ડૉ. શુક્લ એમ કહી શકે છે કે તમારા લેખમાંથી હું સમજ્યો છું એ જ સાચું છે. | ||
અભ્યાસીઓને વિનંતી કે ડૉ. શુક્લના કે મારા અભિપ્રાયને સાચો માનીને ન ચાલે હકીકતોને ચકાસીને જાતે જ નિર્ણય કરે. | અભ્યાસીઓને વિનંતી કે ડૉ. શુક્લના કે મારા અભિપ્રાયને સાચો માનીને ન ચાલે હકીકતોને ચકાસીને જાતે જ નિર્ણય કરે. | ||
| Line 52: | Line 46: | ||
{{right|જયંત કોઠારીનાં વંદન}} | {{right|જયંત કોઠારીનાં વંદન}} | ||
<br> | <br> | ||
{{right|[ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જાન્યુ.–માર્ચ ૧૯૮૭]}} | {{right|[ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જાન્યુ.–માર્ચ ૧૯૮૭]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||