કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૩. કૃષ્ણ-રાધા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩. કૃષ્ણ-રાધા| નલિન રાવળ}} <poem> આ નભ ઝૂક્યું તે કાનજી :::: ને ચાં...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૩. કૃષ્ણ-રાધા| નલિન રાવળ}}
{{Heading|૧૩. કૃષ્ણ-રાધા|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
આ નભ ઝૂક્યું તે કાનજી
આ નભ ઝૂક્યું તે કાનજી

Revision as of 09:46, 4 August 2021


૧૩. કૃષ્ણ-રાધા

પ્રિયકાન્ત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કાનજી
ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કાનજી
ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે!

(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)