ઉપજાતિ/ચોર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચોર| સુરેશ જોષી}} <poem> જોયા કરું હું મધરાતને સમે એ આવતો ચોરપગ...")
 
No edit summary
 
Line 29: Line 29:
મને થતું કે –
મને થતું કે –
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[ઉપજાતિ/બ્લ્યુ પ્રિન્ટ|બ્લ્યુ પ્રિન્ટ]]
|next = [[ઉપજાતિ/મને થતું કે|મને થતું કે]]
}}

Latest revision as of 09:26, 16 September 2021


ચોર

સુરેશ જોષી

જોયા કરું હું મધરાતને સમે
એ આવતો ચોરપગે લપાતો
ને મારી પાસે શિશુ પોઢતું જે
તેના પગેથી રજ સંપુટે લઈ
ચાલ્યો જતો તુષ્ટ થઈ સ્વધામે.

મેં એકદા હાથ ધરી લીધો ને
રોકી પૂછ્યું: ‘માખણચોર, આ તને
લાગી નવી શી લત ચોરવાની?’
એ ઓશિયાળો થઈને મને કહે:

‘બેઠી લઈ રૂસણું સત્યભામા:
‘ના પારિજાતે મન રીઝતું હવે;
લાવી દિયો સૌરભ એવી કે જે
ના નન્દને યે કદિ કોઈને મળે.’

હું ચૌદ લોકે બહુ શોધતો ફર્યો
ને તો ય ક્યાંયે નહિ તુષ્ટ હું થયો.

ત્યાં આ ધરાપે શિશુપાદલગ્ન
રજે મને વિહ્વળ સૌરભે કર્યો.
હું રોજ આવી કરું તેથી અર્ચના
એનું કરે તિલક સત્યભામા!’
મને થતું કે –