પરકીયા/આ બધું ય સારું લાગે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આ બધું ય સારું લાગે| સુરેશ જોષી}} <poem> (આ બધું ય સારું લાગે): બા...")
 
No edit summary
 
Line 21: Line 21:
‘મારું શું જવાનું હતું, એને જો ના ફરી કદી અહીં પામું?’
‘મારું શું જવાનું હતું, એને જો ના ફરી કદી અહીં પામું?’
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[પરકીયા/બિલાડી|બિલાડી]]
|next = [[પરકીયા/નારંગી|નારંગી]]
}}

Latest revision as of 07:58, 17 September 2021


આ બધું ય સારું લાગે

સુરેશ જોષી

(આ બધું ય સારું લાગે): બારીની તરડમાંથી સવારનો સોનેરી તડકો આવે
મને એ ઊંઘતો જુએ પથારીમાં – મારી આર્ત આંખ,
મારા આ વિષણ્ણ મ્લાન કેશ –
એની સાથે ગેલ કરે; જાણે છે એ બહુ દિન પહેલાં મેં જે કરી હતી ભૂલ
જગતની સહુથી વિશેષ ક્ષમાહીન ગાઢ રૂપાંદેનું મુખ ચાહવાની;
પોષની આ શેષ રાતે આજે ય હું જોયા કરું ફરી વાર મારા દેશે
આવી છે એ? રંગ એનો કેવો તે તો જાણે છે આ તસતસ ભીનું જામરુલ
નરમ જામના જેવા વાળ એના, હોલાની છાતીના જેવી આંગળી અસ્ફુટ
પોષની આ શેષ રાતે ઘુવડની સાથે વહી આવે છે એ

ક્યારેકનો મૃત કાક; પૃથ્વીના મારગ પરે એ તો નથી આજે;
ને છતાં મ્લાન એ બારીની પાસે ઊડી આવે નીરવ સોહાગે,
મલિન બે પાંખો એની, ઘાસે છાયા છાપરાનાં, હિમ શિશિરે છે આંજી
ત્યારે તો આ પૃથ્વી પરે કોઈ પંખી જાગી બેઠું નો’તું શાખા પરે
પૃથ્વી સુધ્ધાં નો’તી – આખી રાત જાગ્યા કરે માત્ર એકાકી એ કાક,
‘મારું શું જવાનું હતું, એને જો ના ફરી કદી અહીં પામું?’