અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૨૦૭)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૨૦૭)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અવિનાશ વ્યાસ/માડી, તારું કંકુ ખર્યું ને — | માડી, તારું કંકુ ખર્યું ને —]]  | માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, ]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/જઠરાગ્નિ | જઠરાગ્નિ]]  | રચો, રચો અંબરચુંબી મંદિરો, ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!]]
}}

Latest revision as of 12:31, 20 October 2021


નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા

ઉમાશંકર જોશી

પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,
નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ,
વ્યોમે ખીલ્યા જલઉર ઝીલે અભ્રના શુભ્ર રંગ;
સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.
વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;
શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં
સૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં,
સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ.

ત્યાં તો જાણે જલવિધુ તણા ચારુ સંયોગમાંથી
હૃત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિ કો.
અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આ આવ્યું ક્યાંથી?
એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.
એવે અંત :શ્રુતિપટ પરે ધન્ય એ મંત્ર રેલે :
સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે

(સમગ્ર કવિતા, પૃ. ૨૦૭)