અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/કૃષ્ણ-રાધા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 21: Line 21:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ગોરસ
|next =ચિત્ર અને શિલ્પ
}}

Revision as of 12:33, 21 October 2021

કૃષ્ણ-રાધા

પ્રિયકાન્ત મણિયાર

આ નભ ઝૂક્યું તે કા'નજી
         ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કા'નજી
         ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કા'નજી
         ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કા'નજી
         ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કા'નજી
         ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કા'નજી
         ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કા'નજી
         ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કા'નજી
         ને નજરું જુએ તે રાધા રે!

(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)