અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/— કે કાગળ હરિ લખે તો બને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|— કે કાગળ હરિ લખે તો બને|રમેશ પારેખ}} <poem> ::::— કે કાગળ હરિ લખે ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =મારા સપનામાં… | |||
|next = રે'શું અમેય ગુમાનમાં | |||
}} |
Latest revision as of 12:10, 23 October 2021
— કે કાગળ હરિ લખે તો બને
રમેશ પારેખ
— કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તે એકે અક્ષર નથી ઊકલતા મને…
મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…
મીરાં ક્હે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિસદિન આવે જાય લઈને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…
(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)