અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોપાલ શાસ્ત્રી/સાગરની જેમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સાગરની જેમ| ગોપાલ શાસ્ત્રી}} <poem> સાગરની જેમ કોઈ ઘૂઘવતું નથી...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(મૌનઘર, ૧૯૯૨, પૃ. ૧૧)}}
{{Right|(મૌનઘર, ૧૯૯૨, પૃ. ૧૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગીતા નાયક/બસ હવે | બસ હવે]]  | પાંચીકા અધ્ધર ઉછાળી દીધા તે અધ્ધર જ રહી ગયા! ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ દરજી/ક્યાંકથી | ક્યાંકથી]]  | ક્યાંકથી ઊડી આવેલા લક્કડખોદે એકાએક હર્યાભર્યા ]]
}}

Latest revision as of 12:20, 27 October 2021


સાગરની જેમ

ગોપાલ શાસ્ત્રી

સાગરની જેમ કોઈ ઘૂઘવતું નથી હવે,
ભીતરથી એક મોજું ઊછળતું નથી હવે.

વેરાન રણમાં જઈને નદી લુપ્ત થઈ ગઈ,
કાંઠા ઉપરથી કોઈ વિહરતું નથી હવે.

ઘેરી ઉદાસી લઈ પવન પાછો ફરી ગયો,
વૃક્ષોના ચહેરે સ્મિત ફરકતું નથી હવે.

સોગાત સાંજની ધરીને સૂર્ય આથમ્યો,
આશાનું કિરણ ક્યાંય નીસરતું નથી હવે.

બેસી રહ્યો છું આજ સજાવીને મૌનઘર,
શબ્દોનું રૂપ ક્યાંય ઊભરતું નથી હવે.
(મૌનઘર, ૧૯૯૨, પૃ. ૧૧)