અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/જ્યારે મળે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જ્યારે મળે|ઉષા ઉપાધ્યાય}} <poem> જ્યારે મળે જે કૈં મળે તને વધા...")
 
No edit summary
 
Line 19: Line 19:
એ વેદ છે ઉલ્લાસના તેને વધાવો પ્રેમથી.
એ વેદ છે ઉલ્લાસના તેને વધાવો પ્રેમથી.
</poem>
</poem>
{{HeaderNav2
|previous =એમાં શું?
|next =ત્રણ પાડોશી
}}

Latest revision as of 10:50, 29 October 2021


જ્યારે મળે

ઉષા ઉપાધ્યાય

જ્યારે મળે જે કૈં મળે તને વધાવો પ્રેમથી,
ઝરણું મળે કે રણ મળે તેને વધાવો પ્રેમથી.

ફળમાં રહેલો નાગ ક્યારે ડંખશે કોને ખબર,
મધુમય સમય આ જે મળ્યો તેને વધાવો પ્રેમથી.

કો નીલરંગી ને ઝળકતું રત્ન છે આ જિંદગી,
પાસાં ભલે હો દર્દનાં તેને વધાવો પ્રેમથી.

ન લો ખડકની જાતને હૈયું નથી કોણે કહ્યું?
ખળખળ ઝરણ થૈને પછી તેને વધાવો પ્રેમથી.

વહેલી પરોઢે જે ચહકતા સૂર નભમાં ગુંજતા,
એ વેદ છે ઉલ્લાસના તેને વધાવો પ્રેમથી.