અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતિન વડગામા/વિચારણામાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વિચારણામાં| નીતિન વડગામા}} <poem> કોઈ આવીને ઊભું છે આંગણામાં,...")
 
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(ગુજરાતી કવિતાચયન, ૧૯૯૭, પૃ. ૪૯)}}
{{Right|(ગુજરાતી કવિતાચયન, ૧૯૯૭, પૃ. ૪૯)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતિન વડગામા/કેટલી જાહોજલાલી ભોગવું છું!  | કેટલી જાહોજલાલી ભોગવું છું! ]]  | આંગણામાં એક પંખી રોજ ગાતું, કેટલી...  ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દક્ષા પટેલ/ભરાતી રહી | ભરાતી રહી]]  | નાની હતી ત્યારે બાની સાથે કૂવે પાણી ભરવા જતી  ]]
}}

Latest revision as of 11:24, 29 October 2021


વિચારણામાં

નીતિન વડગામા

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તોય એ ઊગ્યા કરે સંભારણાંમાં.

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.
(ગુજરાતી કવિતાચયન, ૧૯૯૭, પૃ. ૪૯)