ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચોવીસી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચોવીસી'''</span> : પ્રત્યેક જિન તીર્થંકર માટે એક સ...")
 
No edit summary
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ચૈત્યવંદન
|next = ચૌરપંચાશિકા
}}

Latest revision as of 14:19, 25 November 2021


ચોવીસી : પ્રત્યેક જિન તીર્થંકર માટે એક સ્તવન એમ ચોવીસ તીર્થંકર માટે ચોવીસ સ્તવનની રચનાને ‘ચોવીસી’ તરીકે ઓળખાવાય છે. ભાવ અને ભાષાની સચોટતા, સરળતા, વિવિધ દેશીઓ-લય-ઢાળનું અનોખાપણું તથા સંવેદનની ઉત્કટતા એમાંની કેટલીક રચનાઓમાં કવિત્વના ઉન્મેષનો અનુભવ કરાવે છે. ‘ચોવીસી’ની રચના જૈનસાધુઓને હાથે રચાયેલ હોઈ એ બોધાત્મક-ઉપદેશાત્મક બને તે સ્વભાવિક છે. પરિણામે કેટલીકવાર શુષ્કતા આવી જાય છે. કેટલીકવાર એમાં સાંપ્રદાયિક અને પરંપરાગત નિરૂપણ હોય છે. મધ્યકાલમાં ખાસ કરીને સત્તરમા-અઢારમા શતકમાં ‘ચોવીસી’ની પુષ્કળ રચના થઈ છે. કવિયણ, પાર્શ્વચંદ્ર, સમયસુંદર, કલ્યાણવિજય. ભાવવિજય, ક્ષમાકલ્યાણ, જ્ઞાનવિજય, દીપવિજય, જિનવિજય, યશોવિજયની ‘ચોવીસી’ ઉલ્લેખપાત્ર છે. ક.શે.