ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પદ્યનાટક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પદ્યનાટક (Verse Play)'''</span> : આ સંજ્ઞા નાટ્યત્મક કવિતા (Dramatic Po...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પદ્યકથા
|next = પદ્ય પરિચ્છેદ
}}

Latest revision as of 06:47, 28 November 2021


પદ્યનાટક (Verse Play) : આ સંજ્ઞા નાટ્યત્મક કવિતા (Dramatic Poetry)ની પર્યાયવાચી નથી. કારણ કે માત્ર વાંચવાનાં કે રંગભૂમિને અનુકૂળ ન હોય એવાં નાટકોનો અહીં સમાવેશ થતો નથી. અહીં નાટકને અનુકૂળ પદ્યસામગ્રી છે. અને પદ્યને અનુકૂળ નાટ્યસામગ્રી છે; આ બેનો ઉત્તમ અવિભાજ્ય સમન્વય જ પદ્યનાટક રચી શકે છે. પાત્રવિકાસ અને પરિસ્થિતિ પરિવર્તન પ્રમાણે પદ્યની વ્યક્ત થતી સાહજિક અનુનેયતાનું ઉત્તરોત્તર વિકસતી જતી નાટ્યાત્મક સંધિઓ સાથે સંકલન કરવું એ પદ્યનાટક માટે મોટો પડકાર છે. આપણે ત્યાં કાવ્યોમાં નાટકને રમ્ય ગણ્યું છે; અહીં નાટકમાં કાવ્યને રમ્ય રીતે પ્રયોજવાનું છે અને એ માટે પદ્યને નાટકને હાણ પહોંચાડ્યા વિના કાવ્યની કસોટીએ ચઢાવવાનું છે. ટી. એસ. એલિયટનાં નાટકો આનાં ઉદાહરણ છે. ચં.ટો.