ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વયંચાલિતતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્વયંચાલિતતા(Automatization)'''</span> : આ રશિયન સ્વરૂપવાદી સંજ્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સ્વયંચાલિત લેખન
|next= સ્વયંદૂતી
}}

Latest revision as of 11:45, 9 December 2021


સ્વયંચાલિતતા(Automatization) : આ રશિયન સ્વરૂપવાદી સંજ્ઞા છે. વ્યવહારભાષા ટેવવશ હોય છે. વ્યવહારભાષામાં શબ્દનું ઉચ્ચારણ સ્વયંચાલિત છે. ‘સ્વયંચાલિત યંત્રમાંથી બહાર ફેંકાતા ચોકલેટબારની જેમ’ શબ્દો બહાર આવે છે. આ પ્રક્રિયાને રશિયન સ્વરૂપવાદી વિવેચક વિક્ટર શ્કલોવ્સ્કી ‘સ્વયંચાલિતતા’ તરીકે ઓળખાવે છે અને એની સામે કવિતાભાષાને મૂકીને દર્શાવે છે કે કવિતા ભાષાને ફરીને અપરિચિત બનાવી આપણી સમક્ષ મૂકે છે. શબ્દોનું આ અપરિચિતીકૃત સંવેદન જે આપણે સામાન્ય રીતે રોજિંદા વ્યવહારમાં નોંધવાનું ચૂકી જઈએ છીએ તે કવિતાના સ્વરૂપગત આધારનું પરિણામ છે. ચં.ટો.