કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૩. જઠરાગ્નિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩. જઠરાગ્નિ | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર}} <poem> રચો, રચો અંબરચ...")
 
No edit summary
Line 21: Line 21:
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૫)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૫)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨. વિશ્વશાંતિ
|next = ૪. વિશ્વમાનવી
}}
<br>

Revision as of 16:19, 14 December 2021

૩. જઠરાગ્નિ

કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા!

રચો, રચો ચંદનવાટિકાઓ,
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે!
            અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે!

વીસાપુર જેલ, એપ્રિલ ૧૯૩૨
(સમગ્ર કવિતા, પૃ. ૪૫)