રા’ ગંગાજળિયો/૨૧. નરસૈંયો: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૨૧. નરસૈંયો| }} {{Poem2Open}} હાથમાં નાની એક તપેલી લઈને જૂનાગઢની પંચ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 82: Line 82:
મહેતાજી તો નિમીલિત નયને, કોઈ કેફમાં ચકચૂર હોય તેમ ગાતા રહ્યા—“બાઈઓ, બેનો!
મહેતાજી તો નિમીલિત નયને, કોઈ કેફમાં ચકચૂર હોય તેમ ગાતા રહ્યા—“બાઈઓ, બેનો!
બાઈ મુંને હરિ જોવાની ટેવ પડી,
બાઈ મુંને હરિ જોવાની ટેવ પડી,
મારા નાથને મૂકું નહીં એક ઘડી;
મારા નાથને મૂકું નહીં એક ઘડી;
વેગળું મન અળગું ન રહે, એવી હરિથી શું પ્રીતિ જડી.
વેગળું મન અળગું ન રહે, એવી હરિથી શું પ્રીતિ જડી.
બાઈ! મુંને હરિ જોવાની ટેવ પડી.”
બાઈ! મુંને હરિ જોવાની ટેવ પડી.”
“લ્યો, જુઓ ભીમ મહારાજ!” બીજા સંન્યાસીએ કહ્યું, “આ તો આપણને પણ બાઈઓ ને બેનો જ સમજે છે.”
“લ્યો, જુઓ ભીમ મહારાજ!” બીજા સંન્યાસીએ કહ્યું, “આ તો આપણને પણ બાઈઓ ને બેનો જ સમજે છે.”
“સાંભળો તો ખરા!”
“સાંભળો તો ખરા!”
Line 99: Line 99:
“નિહાળો, સંન્યાસીજી!” નરસિંહ મહેતાએ કહ્યું : “પોતે જેને ભજો છો તેમાં કેવા તલ્લીન બની ગયા!
“નિહાળો, સંન્યાસીજી!” નરસિંહ મહેતાએ કહ્યું : “પોતે જેને ભજો છો તેમાં કેવા તલ્લીન બની ગયા!
અદેખાં લોક તે અલગ બોલે, મૂરખ ન જાણે કાંય રે,
અદેખાં લોક તે અલગ બોલે, મૂરખ ન જાણે કાંય રે,
જેહનાં મન જેહ શું બંધાણાં, તે ક્યમ મૂક્યાં જાય રે?
જેહનાં મન જેહ શું બંધાણાં, તે ક્યમ મૂક્યાં જાય રે?
સ્નેહનું કારણ કો નવ જાણે, નયણાં અલગ જણાય રે,
સ્નેહનું કારણ કો નવ જાણે, નયણાં અલગ જણાય રે,
વહાલા શું એકાંત રમીએ, કો આગળ નવ કહીએ રે.
વહાલા શું એકાંત રમીએ, કો આગળ નવ કહીએ રે.
મુજને પ્રેમ ઘણેરો બહેની, જે બોલે તે સહીએ રે,
મુજને પ્રેમ ઘણેરો બહેની, જે બોલે તે સહીએ રે,
સુંદરી બોલે, સુણો સાહેલી, હરિ વસ્યા મન માંહે રે,
સુંદરી બોલે, સુણો સાહેલી, હરિ વસ્યા મન માંહે રે,
નરસૈંયાના સ્વામી, કહું તુંને, વૃંદાવન લઈ જાય રે.
નરસૈંયાના સ્વામી, કહું તુંને, વૃંદાવન લઈ જાય રે.
“તમે રહો, ભીમ સંન્યાસી,” જમાતમાંથી બીજા સંન્યાસી નરસિંહાશ્રમ ઊઠ્યા, “મને થોડું કહેવા દો. અલ્યા મહેતા, મારી સામે નજર કર. ખટ બાવન માસ તો મેં તપમાં કાઢ્યા, આતમવિદ્યા ભણ્યો, મથુરામાં રહ્યો, નિમિષારણ્યમાં જઈને બેઠો, તપ કરવામાં બાકી નથી રાખી, તોય અમારી ઢૂંકડોયે ગોવિંદજી ન આવ્યો, અને તું આ ચારેય બાઈઓને ભેળો ફેરવી ગાણાં ગાનાર પ્રભુને પામ્યો! એ ચારેયને એને સાસરે વળાવી દે ઝટ, નહીંતર ફજેતીના ફાળકા કરી મેલશું.”
“તમે રહો, ભીમ સંન્યાસી,” જમાતમાંથી બીજા સંન્યાસી નરસિંહાશ્રમ ઊઠ્યા, “મને થોડું કહેવા દો. અલ્યા મહેતા, મારી સામે નજર કર. ખટ બાવન માસ તો મેં તપમાં કાઢ્યા, આતમવિદ્યા ભણ્યો, મથુરામાં રહ્યો, નિમિષારણ્યમાં જઈને બેઠો, તપ કરવામાં બાકી નથી રાખી, તોય અમારી ઢૂંકડોયે ગોવિંદજી ન આવ્યો, અને તું આ ચારેય બાઈઓને ભેળો ફેરવી ગાણાં ગાનાર પ્રભુને પામ્યો! એ ચારેયને એને સાસરે વળાવી દે ઝટ, નહીંતર ફજેતીના ફાળકા કરી મેલશું.”
“એમ અદેખાઈ કર્યે શું વળશે, સંન્યાસીજી? ઇચ્છો તો હજીયે ટાઢી ભાખર ખાવ, ટેટા ખાઈને પણ તપ કરો. ને ઈર્ષ્યા આવતી હોય તો છબીલાજીને ગાવની! પહેરોની વૈષ્ણવી માલા! હું ક્યાં આડો ફરું છું?”
“એમ અદેખાઈ કર્યે શું વળશે, સંન્યાસીજી? ઇચ્છો તો હજીયે ટાઢી ભાખર ખાવ, ટેટા ખાઈને પણ તપ કરો. ને ઈર્ષ્યા આવતી હોય તો છબીલાજીને ગાવની! પહેરોની વૈષ્ણવી માલા! હું ક્યાં આડો ફરું છું?”