મેઘાણીની સમગ્ર નવલિકા/સ્વામી મળ્યા!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સ્વામી મળ્યા!| }} {{Poem2Open}} ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સા...")
 
No edit summary
 
Line 23: Line 23:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નગરલક્ષ્મી
|previous = નગરલક્ષ્મી
|next = ?????
|next = પારસમણિ
}}
}}

Latest revision as of 07:44, 4 February 2022

સ્વામી મળ્યા!

ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા. એમનું હૃદય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું. પાસે જ સ્મશાન હતું. સ્મશાન સામે નજર કરતાં સ્વામીજીએ જોયું કે પોતાના પતિના શબના પગ પાસે એક સતી નારી બેઠેલી છે. પતિની ચિતામાં બળી મરવાનો એ બાઈએ મનસૂબો કરેલો. કપાળમાં ચંદનની પીળ કરેલ, સેંથામાં સિંદૂર ભરેલો અને અંગ ઉપર લગ્ન-દિવસનાં વસ્ત્રાભૂષણો ધરેલાં. ભેળા મળેલાં સગાંવહાલાં આનંદથી ચીસો પાડે છે, સતીના નામનો જયજયકાર બોલાવે છે, અને પુરોહિતો ધન્યવાદ દેતાં દેતાં ચિતાની તૈયારી કરી રહ્યા છે. ત્યાં એ સતી સ્ત્રીએ અચાનક તુલસીદાસજીને આતુર બનીને પૂછ્યું: “હે ગોસ્વામી! તમારા પવિત્ર મુખથી મને પરવાનગી આપો. મને આશીર્વાદ દો એટલે હું સુખેથી ચાલી જઈશ.” ગોસ્વામીએ પૂછ્યું: “માતા! ક્યાં જવાની આ તૈયારી કરી છે?” બાઈ બોલી: “મારા સ્વામીની સાથે બળી મરીને સ્વર્ગે જઈશ, મહારાજ!” હસીને ગોસ્વામી કહે છે: “હે નારી! આ ધરતીને છોડી સ્વર્ગમાં જવાનું કાં મન થાય છે? સ્વર્ગનો જે સરજનહાર છે તેની જ સરજેલી આ પૃથ્વી પણ નથી, બહેન?” અજ્ઞાન સ્ત્રી આ વાતનું રહસ્ય સમજી ન શકી. એ તો વિસ્મય પામીને સાધુ સામે જોઈ રહી. એના મનમાં થયું કે ‘તુલાસીદાસ સરખો ધર્માવતાર આજે કાં આવી વાણી કાઢી રહ્યો છે?’ સ્વામીજીની સામે જોઈને બાઈ બોલી: “મારા સ્વામી મને આંહીં મળી જાય તો મારે સ્વર્ગનું શું કામ?” તુલસીદાસ ફરી વાર હસીને બોલ્યા: “ચાલો પાછાં ઘેરે, મૈયા! સાધુનો કોલ છે કે એક મહિનાની મુદતમાં તમને તમારો સ્વામી પાછો મળશે.” તુલસીદાસનો કોલ? ભક્તહૃદયને શ્રદ્ધા બેઠી. આશાતુર હૃદયે એ બાઈ પાછી વળીને ગોસ્વામીની પાછળ પાછળ ચાલી ગઈ. પછવાડે પુરોહિતોએ શાપ વરસાવ્યા, સગાંવહાલાંઓએ નિંદા શરૂ કરી, ગાળો કાઢી, કોઈએ પથ્થરો પણ ફેંક્યા. પલવાર પહેલાંની સતી બીજી જ પળે કુલટા બની ગઈ. ભયભીત હૃદયે એ નારી ગોસ્વામીના પડખામાં લપાતી ધ્રૂજતી જાય છે. પાછળ નજર નાખતી જાય છે. ગોસ્વામી તો પ્રભુના કીર્તનમાં મસ્ત બની નિર્ભય પગલે ચાલે છે; એ ભક્તની અને એ નારીની પાસે આવવાની કોઈની મગદૂર નહોતી. એક નિર્જન પર્ણકુટિમાં એ બાઈને સુવાડીને ગોસ્વામી ગંગાને કિનારે પાછા આવ્યા. આખી રાત જાગી એણે પ્રભુનાં કીર્તન ગાયાં. પ્રભાતે એ રમણીને પાસે જઈને ભક્તવર થોડી વાર બેઠા. પ્રભુની ને પ્રભુ-કરુણાની મીઠી વાતો કરી. એક મહિના સુધી આમ ચાલ્યું. એ આશાતુર વિધવાના વદન ઉપર કોઈ અમર ઉલ્લાસ પ્રકાશી નીકળ્યો. શ્વેત-વસ્ત્રોની અંદરથી પણ પરમ સૌભાગ્ય પ્રગટ થયું એની આંખોનાં આંસુ સુકાયાં, પ્રકાશનાં કિરણો છૂટ્યાં. સગાંવહાલાંએ આવીને મર્મવચનો કહ્યાં: “કાં, તારો સ્વામી જીવતો થયો કે?” વિધવાએ હસીને કહ્યું: “હા! સ્વામી તો પાછા આવી ગયા.” ચમકીને બધાં પૂછે છે: “હેં! ક્યાં છે? કયા ઓરડામાં બેઠા છે? બતાવને!” રમણીએ ઉત્તર દીધો: “આ હૃદયના ઓરડામાં સ્વામી સજીવન બનીને બેઠા છે. તમે ત્યાં શી રીતે જોઈ શકો?”