સૌરાષ્ટ્રની રસધાર-4/ભૂત રૂવે ભેંકાર: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 158: Line 158:
“ભૂત છું!”
“ભૂત છું!”
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<center>
'''સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે,'''
'''(પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.'''
</center>
</poem>
</poem>
{{Poem2Open}}
[હે રજપૂત, સંસારનાં માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાંપણે પાણી પડે, પરંતુ આ તો ભૂતનાં રુદન; ભયંકર રુદન; હૈયાનાં લોહી નીતરી નીતરીને એનાં લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારુણ!]
“ભૂતડો છો? કોનો ભૂત?”
“ન ઓળખ્યો, કાકા?”
{{Poem2Close}}
<poem>
<center>
'''હું બેટો તું બાપ, અરસી, કાં ઓળખ નહિ,'''
'''પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં.'''
</center>
</poem>
{{Poem2Open}}
“હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠા વાળાનો હું દીકરો એટલે તારો પણ દીકરો : ને તું મારો બાપ : છતાંય હજુ ન ઓળખ્યો? આ ભૂતની દશાને પામ્યો એ મારાં પૂર્વજન્મનાં પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી.”
“અરે તું, માંગડો? બેટા, તું અહીં ક્યાંથી? તને એવાં શાં દુ:ખ મરણ પછી પણ રહી ગયાં?”
ભૂતડો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે —
{{Poem2Close}}
<poem>
<center>
'''માયલિયું મનમાંય, દાખીને કેને દેખાડીએં,'''
'''વીંધાણાં વડમાંય, પદમાસું પરણ્યા વિના.'''
</center>
</poem>
{{Poem2Open}}
“હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું? પદ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામાં વીંધાવું પડ્યું. અને, કાકા, હવે તો —
{{Poem2Close}}
<poem>
<center>
'''ભેળાં થાયીં ભૂત, આડી ગર્યું ઓળંગવા,'''
'''તને સળગે તાબૂત, અરસી વણ ઓલાય નૈ.'''
</center>
</poem>
{{Poem2Open}}
આંહીં ભૂતાવળના વૃંદમાં અમે બધાં આ ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ, પણ અમારાં અંગો વાસનાની આગથી સળગી ઊઠ્યાં છે, તે તારી મદદ વગર નહિ ઓલવાય, હે કાકા!”
“તે હવે હું શું કરું, બેટા?”
“મને પાટણ તેડતો જા. મારી પદ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે, એ વિચાર મને સળગાવી મેલે છે, કાકા!”
“અરે ગાંડા! તું પ્રેત છો. તને કેમ કરીને લઈ જાઉં?”
“બસ, કાકા?”
{{Poem2Close}}
<poem>
<center>
''''''સરણ્યું ત્રુટિયું સગા, નેરણ નોધારાં થિયાં,'''
વાયેલ વા કવા, અળસી જળ ઊંડાં ગિયાં.'''
</center>
</poem>
{{Poem2Open}}
“હે સગા, આજ તારા સ્નેહની સરવાણીઓ કેમ તૂટી ગઈ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિનાં નીર આટલાં બધાં ઊંડાં ઊતરી ગયાં?”
{{Poem2Close}}