ઋણાનુબંધ/બાને પ્રશ્ન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બાને પ્રશ્ન|}} <poem> બા તમે કહેલું કે બંધિયાર ઘરમાં એકલું લાગ...")
 
No edit summary
 
Line 20: Line 20:
એકલું કેમ લાગે છે મને?
એકલું કેમ લાગે છે મને?
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = જાપાનીઝ મેપલ છોડ અને હું
|next = મૃત્યુને
}}

Latest revision as of 10:45, 20 April 2022

બાને પ્રશ્ન


બા તમે કહેલું
કે
બંધિયાર ઘરમાં
એકલું લાગે
ત્યારે
પૂર્વની બારીઓ ખોલી નાંખજે
અને
ભીંતોને રંગી દેજે સવારના તડકાથી.
મેં આજે
પૂર્વની બારીઓ ખોલી નાંખી છે
અને
બધી ભીંતો
સોનેરી સોનેરી થઈ ગઈ છે
તોય બા,
એકલું કેમ લાગે છે મને?