સોરઠી સંતવાણી/દાર્શનિક જેઠો રામનો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દાર્શનિક જેઠો રામનો|}} <poem> યાદદાસ્ત પણ અવળચંડી જ છે ના! ખોખર...")
 
No edit summary
 
Line 3: Line 3:
{{Heading|દાર્શનિક જેઠો રામનો|}}
{{Heading|દાર્શનિક જેઠો રામનો|}}


‘સજણાં’નાં પ્રેમ-મૌક્તિકો : અને એની પડખોપડખ રામ–સીતાનાં વિરહ-મૌક્તિકો : [ટાંચણપોથીને] મથાળે લખેલ છે ‘જેઠીરામના છકડિયા’ : છકડિયા એટલે છ-છ પંક્તિના ટુકડા —
<poem>
<poem>
યાદદાસ્ત પણ અવળચંડી જ છે ના! ખોખરી એવી ‘સુંદરી’ (સારંગી)ને ખોળામાં લઈને અંત્યજ નથુ તૂરી બેસતો, અને બે રાભડાં છોકરાંમાંથી એકને ધવરાવતી ધવરાવતી નથુની ચૂંચી આંખોવાળી લઘરવઘર વહુ બેસતી. બેય જણાં ખરજ અને પંચમ સૂરવાળાં ગળાં મેળવીને [રાણપુરના સૌરાષ્ટ્ર] કાર્યાલયના નાનકડા ચોકની હરિયાળી પર —
<center>1</center>
લાવો લાવો રે બાદૂરખાં મિયાં હિંદવાણી
મોર વણ સૂનો ગરવો સીતા વણ સૂના રામ;
એને આવતાં મેં તો જાણી લાલ હિંદવાણી
હંસલા વન્ય સ્રોવર સૂનું, ગુણિયલ વન્ય સૂનું ગામ;
એવું કોઈ મુસ્લિમ દરબારને રીઝવવાને માટેનું ગીત પણ ગાતાં, (જે ગીતે મને ‘આવો આવો રે બહાદુર આ બહેન હિંદવાણી’ એવા ‘વેણીનાં ફૂલ’વાળા રાષ્ટ્રગીતનો ઝૂલતો-મલપતો ઢાળ આપ્યો) અને બીજે છેડે સંત દાસી જીવણનાં ભજનો પણ ગાતાં. આ રહ્યું નથુએ ગાયેલું એ ભજન —
::: ગુણિયલ વિણ સૂનું ગામ તે હરિ!
મુંને માર્યાં નેણાંનાં બાણ રે,  
::: મનખો પદારથ નૈ આવે ફરી.
વાલ્યમની વાતુંમાં.
ગઈ સીતા ને રામચંદર રો ના!  
વાલ્યમ! તારી વાતુંમાં
જેઠો રામનો કે’ ગરના ડુંગર મોર વિણ સૂના.
હાંકી મેલ્યાં હૂંડી વા’ણ રે,
 
શામળા! તારી શોભાનાં.
પતિ–પત્ની વચ્ચે આવો વિજોગ પાડનાર રાવણને ‘જેઠો રામનો’ શો માર્મિક ઠપકો આપે છે?
1
<center>2</center>
જીવણ કે’ પાંચ તતવને ત્રણ ગુણનું
લોઢું મ ગળ્ય, લંકાના રાજા! જીરવ્યું કેમ જાશે!
તેનું હરિએ બનાવ્યું વા’ણ;  
ઘણ પડશે માયલા ઘટમાં, પછી ઉમ્મર ઓછી થાશે;
મરજીવા થૈને માથે બેઠા,
::: ઉમ્મર ઓછી થાય તે સૌ
એવાં હરિએ હોકાર્યાં હૂંડી વા’ણ રે
::: ચૌદ ચોકડીનું રાજ જાશે ભૈ!
વાલ્યમની વાતુંમાં.
::: મેલ્ય મારગ ને ખોલ દરવાજા;
2
જેઠો રામનો કે’ લોઢું મ ગળ્ય લંકાના રાજા!
જીવણ કે’ શઢ ચડાવી કર્યું સાબદું
 
મુંને આવી મળ્યા સરાણ;  
‘લોઢું મ ગળ્ય!’ આવડા મોટા કુકર્મને માટે લોઢું ગળવાની ઉપમા બરાબર બંધબેસતી બની છે, નહીં?
વાભું કરીને વા’લે ઘા કર્યો
 
મારે ભળહળ ઊગ્યા રવિભાણ રે
આ જેઠો કવિ બિચારો કોઢથી પીડાતો હોવો જોઈએ —
વાલ્યમની વાતુંમાં.
જેઠાને પગે જાનવો, કાયામાં નીકળ્યો કોઢ;  
3
સાડા ત્રણ મણની સામટી, માથે વળી ગ્યો લોઢ;
જીવણ કે’ ગુરુ કાયામાં ગોતજો
::: લોઢ વળ્યો કેયીં ક્યાં?
મારા વાલ્યમનાં શાં કરું વખાણ!
દાતાર પીર જમિયલની કચેરી ત્યાં.
દસમે દરવાજે ડેરી બિરાજે
 
રાખો ધોળી ધજાનાં પરમાણ રે
જેઠો ગિરનારમાં દાતારને ડુંગરે કોઢનો રોગ હરનારા પીર જમિયલને શરણે જાય છે. લોકકવિ જેઠાને કોમ–ધર્મના ભેદ નથી.
વાલ્યમની વાતુમાં.
ગરવે જાયીં તો ગણ થાય, ભાગે જમની ભે;  
4
હિન્દુ મુસલમાન હાલી નીકળ્યાં, દાતાર દર્શન દે.
જીવણ કે’ ગુરુ મળ્યા ને ગુરુગમ જડ્યો
::: દાતાર દર્શન દે તે વડી,
મુંને મટી ગઈ તાણાવાણ્ય;
::: હિલોળા દઈયેં ગરવે ચડી.  
દાસી જીવણ સંત ભીમનાં ચરણાં
ઊંચી સખર દાતારની, નીચે ગૌમુખી ગંગા વ્હે,
પ્યાલા પાયાનાં પરમાણ રે
જેઠો રામનો કે’ ગરવે જાયીં તો ગણ થાય, ભાગે જમની ભેં.
વાલ્યમની વાતુંમાં.
દાતારની ટેકરીનું ઇસ્લામ-શિખર : અને ગૌમુખી ગંગાનું હિન્દુ તીર્થોદક : બે વચ્ચે કવિ જેઠો સુમેળ જુએ છે.
તે પછી નથુનાં ગાયેલ બીજાં ભજનોનો આખો ચોસર માંડેલો છે. ત્યારે પડેલાં બીજમાંથી અઢાર–વીસ વર્ષે આજ આંબો ફાલે છે. લોકસાહિત્યનો સંસ્કાર એકલી શૌર્યની વાતોએ, એકલા દુહાએ, એકલા પ્રેમશૃંગારના છકડિયાએ નહીં પણ ભજનો વડે ય સર્વદેશીય વારિસિંચનથી પોષાતો હતો. આજે ફળ બેઠાં છે. ભજનવાણીની ઘડ મગજમાં બેઠી છે.
કોઢ માટે કવિ જેઠાએ પ્રથમ તો વિધાતાને ખખડાવી —
નથુ અને એની ચૂંચી આંખોવાળી વહુ, બે છોકરાં, ખોખરી સુંદરી, ખરજ અને પંચમ સ્વરોની એ જોડલી અત્યારે ક્યાં છે? જીવતાં છે કે મૂઆં? (આ લખ્યા પછી જાણ્યું કે નથુ ગયો છે, વહુ બેઠી છે.)
વિધાતા વેરી થઈ, મારા અવળા લખ્યા લેખ;
એ તો હતો ભટકતો પરિવાર. નાના નાના ઠાકોરોની ડેલીઓ પર એ કુટુંબ નભતું હતું. વર્ષોથી એ વધેલી હજામતવાળો નથુ નજરે નથી પડ્યો. એની ‘સુંદરી’ કોઈને વારસામાં દઈ ગયો નહીં હોય? પરંપરાઓ આમ તૂટે છે, એક જાય છે, તેની જગ્યા લેવા બીજો આવતો નથી. ઊઘડો નવાં પાનાં!
સરા ન માની સંસારની, ને ઊલટા કીધા અલેખ.  
[‘પરકમ્મા’]
::: ઊલટા કીધા અલેખ તે લેવા,
::: ભવેસરની બજારે ઢાલોળા દેવા
::: ……મનની મનમાં રૈ.
જેઠો રામનો કે’ વિધાતા વેરી થૈ.
પણ જેઠો તો દાર્શનિક છે! સમાધાનમાર્ગી છે. તુરત બીજે વિચારે —
વિધાતા બચાડી ક્યા કરે, જેવાં તમારાં કરમ,  
કાં તો માર્યા મોરલા, કાં તો હેર્યાં હરણ.  
::: હરણ હેર્યાં તે હરોહરિ
::: ગૌહત્યા બ્રાહ્મણની નડી.  
::: કીધીયું કમાણીયું, રિયા સેવો!
જેઠો રામનો કે’ વિધાતાને દોષ શેનો દેવો!
હે જીવ! તમે જ કુકર્મ કીધાં છે. મોરલા માર્યા એ મોટું કુકર્મ : સ્ત્રીઓનાં હેરણાં હેરવાં — હરણ કરી જવાં — એ પણ ઘોર પાતક : કરેલી કમાણીને હવે તો રહ્યા રહ્યા સેવી લ્યો, હે જીવ!
આ બધા છકડિયા એક માણસે ઉતરાવ્યા લાગે છે. શાહી કલમ ને લખાવટ એકધારી છે, લખાવનાર યાદ આવતો નથી.
{{Right|[‘પરકમ્મા’]}}


</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = સતાધારનું યાત્રાધામ
|next = નથુ તૂરી
}}

Latest revision as of 06:20, 29 April 2022


દાર્શનિક જેઠો રામનો


‘સજણાં’નાં પ્રેમ-મૌક્તિકો : અને એની પડખોપડખ રામ–સીતાનાં વિરહ-મૌક્તિકો : [ટાંચણપોથીને] મથાળે લખેલ છે ‘જેઠીરામના છકડિયા’ : છકડિયા એટલે છ-છ પંક્તિના ટુકડા —

1

મોર વણ સૂનો ગરવો સીતા વણ સૂના રામ;
હંસલા વન્ય સ્રોવર સૂનું, ગુણિયલ વન્ય સૂનું ગામ;
ગુણિયલ વિણ સૂનું ગામ તે હરિ!
મનખો પદારથ નૈ આવે ફરી.
ગઈ સીતા ને રામચંદર રો ના!
જેઠો રામનો કે’ ગરના ડુંગર મોર વિણ સૂના.

પતિ–પત્ની વચ્ચે આવો વિજોગ પાડનાર રાવણને ‘જેઠો રામનો’ શો માર્મિક ઠપકો આપે છે?

2

લોઢું મ ગળ્ય, લંકાના રાજા! જીરવ્યું કેમ જાશે!
ઘણ પડશે માયલા ઘટમાં, પછી ઉમ્મર ઓછી થાશે;
ઉમ્મર ઓછી થાય તે સૌ
ચૌદ ચોકડીનું રાજ જાશે ભૈ!
મેલ્ય મારગ ને ખોલ દરવાજા;
જેઠો રામનો કે’ લોઢું મ ગળ્ય લંકાના રાજા!

‘લોઢું મ ગળ્ય!’ આવડા મોટા કુકર્મને માટે લોઢું ગળવાની ઉપમા બરાબર બંધબેસતી બની છે, નહીં?

આ જેઠો કવિ બિચારો કોઢથી પીડાતો હોવો જોઈએ —
જેઠાને પગે જાનવો, કાયામાં નીકળ્યો કોઢ;
સાડા ત્રણ મણની સામટી, માથે વળી ગ્યો લોઢ;
લોઢ વળ્યો કેયીં ક્યાં?
દાતાર પીર જમિયલની કચેરી ત્યાં.

જેઠો ગિરનારમાં દાતારને ડુંગરે કોઢનો રોગ હરનારા પીર જમિયલને શરણે જાય છે. લોકકવિ જેઠાને કોમ–ધર્મના ભેદ નથી.
ગરવે જાયીં તો ગણ થાય, ભાગે જમની ભે;
હિન્દુ મુસલમાન હાલી નીકળ્યાં, દાતાર દર્શન દે.
દાતાર દર્શન દે તે વડી,
હિલોળા દઈયેં ગરવે ચડી.
ઊંચી સખર દાતારની, નીચે ગૌમુખી ગંગા વ્હે,
જેઠો રામનો કે’ ગરવે જાયીં તો ગણ થાય, ભાગે જમની ભેં.
દાતારની ટેકરીનું ઇસ્લામ-શિખર : અને ગૌમુખી ગંગાનું હિન્દુ તીર્થોદક : બે વચ્ચે કવિ જેઠો સુમેળ જુએ છે.
કોઢ માટે કવિ જેઠાએ પ્રથમ તો વિધાતાને ખખડાવી —
વિધાતા વેરી થઈ, મારા અવળા લખ્યા લેખ;
સરા ન માની સંસારની, ને ઊલટા કીધા અલેખ.
ઊલટા કીધા અલેખ તે લેવા,
ભવેસરની બજારે ઢાલોળા દેવા
……મનની મનમાં રૈ.
જેઠો રામનો કે’ વિધાતા વેરી થૈ.
પણ જેઠો તો દાર્શનિક છે! સમાધાનમાર્ગી છે. તુરત બીજે વિચારે —
વિધાતા બચાડી ક્યા કરે, જેવાં તમારાં કરમ,
કાં તો માર્યા મોરલા, કાં તો હેર્યાં હરણ.
હરણ હેર્યાં તે હરોહરિ
ગૌહત્યા બ્રાહ્મણની નડી.
કીધીયું કમાણીયું, રિયા સેવો!
જેઠો રામનો કે’ વિધાતાને દોષ શેનો દેવો!
હે જીવ! તમે જ કુકર્મ કીધાં છે. મોરલા માર્યા એ મોટું કુકર્મ : સ્ત્રીઓનાં હેરણાં હેરવાં — હરણ કરી જવાં — એ પણ ઘોર પાતક : એ કરેલી કમાણીને હવે તો રહ્યા રહ્યા સેવી લ્યો, હે જીવ!
આ બધા છકડિયા એક જ માણસે ઉતરાવ્યા લાગે છે. શાહી કલમ ને લખાવટ એકધારી છે, લખાવનાર યાદ આવતો નથી.
[‘પરકમ્મા’]