પરિભ્રમણ ખંડ 1/કંઠસ્થ વ્રત-સાહિત્યનો પ્રવેશક : 1927: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 86: Line 86:
(1) શ્રાવણિયા સોમવારની ઉપર નિર્દેશેલી વાતમાં :
(1) શ્રાવણિયા સોમવારની ઉપર નિર્દેશેલી વાતમાં :
</poem>
</poem>
<center>'''દેવશક્તિની સામે માનવશક્તિ'''</center>
<poem>
:::ચોમાસાના લાંબા દા’ડા, સૂતાં સા’ય નૈ, બેઠાં વાણાં વાય નૈ. “ચાલો મા’દેવજી, ચોપાટે રમીએ.”
:::કે’, “આપણું હાર્યું કોણ કે’શે!”
:::મા’દેવજીએ તો ડિલનો મેલ ઉતારી, એનો બડૂલો બનાવ્યો છે, એમાં તો જીવ મેલ્યો છે.
:::“બડૂલા, બડૂલા, અમારું હાર્યું-જીત્યું કે’જે.”
:::કે’, “સારું જ તો!”
:::બડૂલો હારજીતનો સાક્ષી બનીને બેસે છે. ત્રણ વાર પાસા ઢળાય છે. ત્રણ વાર પાર્વતીજી પૂછે છે :
:::“કહે બડૂલા, કોણ હાર્યું ને કોણ જીત્યું?”
:::ત્રણેય વાર બડૂલો ઉત્તર વાળે છે કે —
:::“માતાજી હાર્યાં ને પત્યાજી જીત્યા.”
:::કોપાઈને પાર્વતી કહે છે કે —
:::“વારે વારે મને હારી કહીશ તો તને શરાપીશ.”
:::નમીને સત્યનિષ્ઠ બડૂલો બોલે છે કે —
:::“માતાજી, કાલ શરાપતાં હો તો આજ જ શરાપજો. મેંથી તો જેવું જોયું હશે તેવું કે’વાશે.”
:::આખરે પાર્વતીજી શાપ દે છે અને —
:::બડૂલો તો રગત-કોઢમાં ગળ્યો છે.
</poem>
{{Poem2Open}}
છતાંયે કશી ક્ષમા માગ્યા વિના, એ સત્યવ્રતધારી બાળક ચૂપચાપ એ શાપના સંતાપો સહતો સહતો ચાલી નીકળે છે. એ સત્યનો પડકાર અસત્યવાદી ઈશ્વરી શક્તિની સામે નોંધાયો.
(2) વનડિયાની વાતમાં : અખંડ કુમારિકા, પુરુષની વાતોયે ન સાંભળવાનાં એનાં નીમ : બધાં વ્રતોની વાતો સાંભળે પણ પુરુષ જાતિના દેવ વનડિયાની વાત મંડાય એટલે એ કુમારિકા ચાલતી થાય. ગર્વિષ્ઠ દેવતા ઘવાયો. એ કુમારીના શયનભવનમાં રોજ મધરાતે ભમરાને વેશે પ્રવેશ કરી, નિદ્રામાં પડેલી બાળાના બિછાનામાં ને દીવાલે, અબીલગુલાલ, તંબોલની પિચકારી અને ફૂલેલ તેલ છાંટી આવે. પણ એ સતીના શિર પરનું કલંક મનાયું નહિ. મલિન દેવતા મધરાતે પોતાનું કાળું કામ કરતો ઝલાયો અને ફરી કદી ન આવવાનું કબૂલ કરી, કરગરી મુક્ત થયો. દેવતાના ગર્વ પર માનવીના શિયળની સ્થપાયેલી આ સત્તા લોકજીવનમાં કલ્પાઈ ને તે વ્રતોમાં ઊતરી, બેશક બાળકની રીતે.
{{Poem2Close}}
26,604

edits