શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૭. કેમ ઊઘડે શબ્દ?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૬૭. કેમ ઊઘડે શબ્દ?|}} <poem> કેમ ઊઘડે શબ્દ? – અરે! જો અંદરથી હું બં...")
 
No edit summary
 
Line 27: Line 27:
{{Right|(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૩)}}
{{Right|(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૬૬. કેમ રે પધરાવું ઝળહળ જ્યોતને?)
|next = ૬૮. તે ક્યાં છે?
}}

Latest revision as of 08:57, 15 July 2022

૬૭. કેમ ઊઘડે શબ્દ?


કેમ ઊઘડે શબ્દ?
– અરે! જો અંદરથી હું બંધ!
કેમ ઊઘડે રંગ?
– અરે! જો અંદરથી હું અંધ!

કેટકેટલાં પંખી આવે?
ડાળે ડાળે કલરવ!
સવારનાં કિરણોનો કેવો
પાને પાને પદરવ!
કેમ લ્હેરખી અડે?
– શ્વાસ જો રાખે નહિ સંબંધ! –

કેટકેટલાં ચાંદરણાં લઈ
રૂમઝૂમ આવે રાતો!
કેટકેટલી દરિયાઓના
દિલની ઊછળે વાતો!
કેમ ખાલીપો ખસે?
– રહે જો હૈયે હિમ અકબંધ? –

૨૦-૧૦-૧૯૯૫

(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૩)