સરસ્વતીચંદ્ર ભાગ ૧/બુદ્ધિધન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
રાજેશ્વર મહાદેવનું દેવાલય સુવર્ણપુરથી ત્રણેક ગાઉને છેટે હતું. એટલે લોકોનો અવર જવર થોડો હતો. કોઈ કોઈ વેળા આ કારણથી શ્રીમંત વંઠેલાનું અને કોઈ કોઈ વખત રાજ્યપ્રપંચના ખટપટી વર્ગનું તે સંકેતસ્થાન થઈ પડતું. તપોધનને અા માર્ગે ઉપજમાં વધારો થતો હતો અને સર્વ જાતના યજમાનવર્ગને પ્રસન્ન રાખવાની, અનુકૂળતા કરી આપવાની, અને અનુકૂળ થઈ જવાની તેનામાં કળા અાવી હતી. ઘણું ખરું યજમાનવર્ગ તેની સાથે પ્રથમથી બંદોબસ્ત કરી મુકતા એટલે એક સંકેત સમયે બીજાઓ સંકેત કરવા અાવી ગુંચવા૨ામાં પડતા ન હતા. પરંતુ કથાનો પ્રસંગ ચાલે છે તે વખતના સાંકેતિક સાધારણ વર્ગના ન હતા અને પૂજારી અથવા બીજા સર્વે સાંકેતિકોની ફરજ હતી કે નગર અને દેવાલય બેના સ્વામીયો સ્વતંત્ર રીતે વર્તે તેમાં ખલેલ ન પ્હોંચે એ જાતે પોતાની બુદ્ધિથી જ જોઈ લેવું.
રાજેશ્વર મહાદેવનું દેવાલય સુવર્ણપુરથી ત્રણેક ગાઉને છેટે હતું. એટલે લોકોનો અવર જવર થોડો હતો. કોઈ કોઈ વેળા આ કારણથી શ્રીમંત વંઠેલાનું અને કોઈ કોઈ વખત રાજ્યપ્રપંચના ખટપટી વર્ગનું તે સંકેતસ્થાન થઈ પડતું. તપોધનને અા માર્ગે ઉપજમાં વધારો થતો હતો અને સર્વ જાતના યજમાનવર્ગને પ્રસન્ન રાખવાની, અનુકૂળતા કરી આપવાની, અને અનુકૂળ થઈ જવાની તેનામાં કળા અાવી હતી. ઘણું ખરું યજમાનવર્ગ તેની સાથે પ્રથમથી બંદોબસ્ત કરી મુકતા એટલે એક સંકેત સમયે બીજાઓ સંકેત કરવા અાવી ગુંચવા૨ામાં પડતા ન હતા. પરંતુ કથાનો પ્રસંગ ચાલે છે તે વખતના સાંકેતિક સાધારણ વર્ગના ન હતા અને પૂજારી અથવા બીજા સર્વે સાંકેતિકોની ફરજ હતી કે નગર અને દેવાલય બેના સ્વામીયો સ્વતંત્ર રીતે વર્તે તેમાં ખલેલ ન પ્હોંચે એ જાતે પોતાની બુદ્ધિથી જ જોઈ લેવું.


“નિઘા રખે મ્હેરબાન !” એમ પોકાર થતાં જ સુવર્ણપુરનો સ્વામી બુદ્ધિધન સાથે દેવાલયમાં આવ્યો અને પોઠીયા આગળ રાજસેવકો સોનેરી ભરતનો ગાલીચો બીછાવી ચાલ્યા ગયા તેના ઉપર બંને જણ બેઠા. મૂર્ખદત્ત જમીન સુધી નીચો પડી ત્રણ સલામ કરી પોતાની ઓરડીમાં રસોઈ કરવા ચાલ્યો ગયો. ચોમાસામાં રાત્રે વાદળાં આવે અને એક બાકામાંથી માત્ર ચંદ્ર અને કોઈ પાસેને તારો જણાય તેમ રાણો અને અમાત્ય આખા શિવાલયની એકલી વસ્તીરૂપ રહ્યા.[૧]
“નિઘા રખે મ્હેરબાન !” એમ પોકાર થતાં જ સુવર્ણપુરનો સ્વામી બુદ્ધિધન સાથે દેવાલયમાં આવ્યો અને પોઠીયા આગળ રાજસેવકો સોનેરી ભરતનો ગાલીચો બીછાવી ચાલ્યા ગયા તેના ઉપર બંને જણ બેઠા. મૂર્ખદત્ત જમીન સુધી નીચો પડી ત્રણ સલામ કરી પોતાની ઓરડીમાં રસોઈ કરવા ચાલ્યો ગયો. ચોમાસામાં રાત્રે વાદળાં આવે અને એક બાકામાંથી માત્ર ચંદ્ર અને કોઈ પાસેને તારો જણાય તેમ રાણો અને અમાત્ય આખા શિવાલયની એકલી વસ્તીરૂપ રહ્યા.


રાણો સાડત્રીશ અાડત્રીશ વર્ષની ઉમરનો હતો. પાછલા રાણાને ઐૌરસ પુત્ર ન હોવાથી, જુના કારભારીયો અને જુની રાણીયોને ખોટો પુત્ર મેળવવામાં કાંઈક જોગવાઈની ખામીને લીધે અને જોગવાઈ મળી તેટલી નિષ્ફલ જવાને લીધે, તે મેળવનારાઓમાં ફાટ પડી એટલે ખરા વારસને જાતે - સરકારી રેસિડેંટ મારફતે – અને પોતાના ધન પરિજનના બળ અને યુક્તિવડે પોતાનો હક સંભાળવામાં અનુકૂળ પડવાથી, મયત રાણાના પિત્રાઈ ભૂપસિંહને ત્રણચાર વર્ષ થયાં ગાદી મળી હતી. તે સાધારણ વર્ગમાં ઉછર્યો<ref>[1]* આટલા ભાગની સાથે પ્રકરણ છઠ્ઠાનું અનુસંધાન છે. વચલા ભાગમાં બુદ્ધિધનની પૂર્વ વાર્તા છે</ref>હતો અને રાજમ્હેલની ઝેરી હવા તેની કોમળ વયે જરી પણ અનુભવી ન હતી, તેથી તેની સાધારણ બુદ્ધિ નષ્ટ થવા પામી ન હતી. ગરીબ અવસ્થા થોડાંક વર્ષ દીઠી હતી એટલે ઝાઝી ઉદારતા ન હતી પરંતુ એ અવસ્થા યાદ ર્‌હેવાથી ગરીબ લોકો ઉપર અમી દ્રષ્ટિ હતી. બાપનો ગરાસ ખવાઈ જતો અટકાવવા કારભારીયો, અમલદારો અને તેમના સીપાઈઓનો પણ પ્રસંગ પડેલો હતો. કોઈની પાસે આજીજીઓ કરી અપમાન અને લુચ્ચાઈને તાબે થવું પડ્યું હતું, લાંચ આપવી પડી હતી, ધક્કા, તેમ જ ધુપ્પપા ખાવા પડ્યા હતા, પ્રપંચો જોવા તથા કરવા પડ્યા હતા, રાજાના સંબંધમાં બ્હારથી દેખાડવામાં અને મનમાં રાખવામાં માન તથા પ્રીતિમાં જે અંતર તેનાં પોતાનાં ક્‌હેવાતાં માણસો પણ રાખતાં તેની કાંઈક વાસના આવી હતી, રાજમહેલમાં રાજ્યકાર્યને પ્રસંગે અને બ્હાને અધિકારી । વર્ગની સ્વચ્છંદ વર્ત્તણુક તેના કાનમાં આવી હતી, અને આ સર્વ અનુભવનું ફળ ગાદીએ બેઠા પછી લેવા તેનો ઠરાવ હતો. રાજ્યતંત્રનાં ઘણાં માણસને ઓળખતો અને ઘણાંને ઓળખું છું એમ ધારતો. જુની અવસ્થામાં પ્હોંચેલા અપમાનનું વેર વાળવું એ પોતાનો ધર્મ સમજતો હતો અને તે સમયે પોતાનો પક્ષ ખેંચનારાઓને હવે ઉંચા ચ્હડાવવા એમાં વટ માનતો હતો. ખરેખરા રાજધર્મનો આભાસ પણ મગજમાં ન હતો તેથી અા ધર્મ અને વટ રાખવામાં જ ખરેખરો રંગ રહેશે એમ તેની દૃઢ શ્રદ્ધા હતી. આ શ્રદ્ધાનો તનખો જુની અવસ્થામાં પ્રકટ્યો હતો અને તેને નવી અવસ્થામાં સ્વાભાવિક રીતે પુષ્ટિ મળી હતી એટલે અને તે પ્રદીપ્ત બની ભડકો થવા તત્પર રહેતો. પરંતુ ગાદી પર બેસવા પછી જુના કારભારીના લચી પડવાથી વેશ બદલવાથી, ઉદારપણાથી, અને ઉચ્ચનીચ યુક્તિયોથી ભૂપસિંહનો સ્વભાવ બદલાયો દેખાતો હતો અને રાજવૈભવના શીયાળામાં તેનો અનુભવ-અગ્નિ ધીમે ધીમે કજળાતો અને તેના ઉપર મોજશોખની રાખનાં પડ બંધાતાં જોઈ સર્વ જુનું મંડળ નિશ્ચિંત થઈ જતું હતું.
રાણો સાડત્રીશ અાડત્રીશ વર્ષની ઉમરનો હતો. પાછલા રાણાને ઐૌરસ પુત્ર ન હોવાથી, જુના કારભારીયો અને જુની રાણીયોને ખોટો પુત્ર મેળવવામાં કાંઈક જોગવાઈની ખામીને લીધે અને જોગવાઈ મળી તેટલી નિષ્ફલ જવાને લીધે, તે મેળવનારાઓમાં ફાટ પડી એટલે ખરા વારસને જાતે - સરકારી રેસિડેંટ મારફતે – અને પોતાના ધન પરિજનના બળ અને યુક્તિવડે પોતાનો હક સંભાળવામાં અનુકૂળ પડવાથી, મયત રાણાના પિત્રાઈ ભૂપસિંહને ત્રણચાર વર્ષ થયાં ગાદી મળી હતી. તે સાધારણ વર્ગમાં ઉછર્યો<ref>[1]* આટલા ભાગની સાથે પ્રકરણ છઠ્ઠાનું અનુસંધાન છે. વચલા ભાગમાં બુદ્ધિધનની પૂર્વ વાર્તા છે</ref>હતો અને રાજમ્હેલની ઝેરી હવા તેની કોમળ વયે જરી પણ અનુભવી ન હતી, તેથી તેની સાધારણ બુદ્ધિ નષ્ટ થવા પામી ન હતી. ગરીબ અવસ્થા થોડાંક વર્ષ દીઠી હતી એટલે ઝાઝી ઉદારતા ન હતી પરંતુ એ અવસ્થા યાદ ર્‌હેવાથી ગરીબ લોકો ઉપર અમી દ્રષ્ટિ હતી. બાપનો ગરાસ ખવાઈ જતો અટકાવવા કારભારીયો, અમલદારો અને તેમના સીપાઈઓનો પણ પ્રસંગ પડેલો હતો. કોઈની પાસે આજીજીઓ કરી અપમાન અને લુચ્ચાઈને તાબે થવું પડ્યું હતું, લાંચ આપવી પડી હતી, ધક્કા, તેમ જ ધુપ્પપા ખાવા પડ્યા હતા, પ્રપંચો જોવા તથા કરવા પડ્યા હતા, રાજાના સંબંધમાં બ્હારથી દેખાડવામાં અને મનમાં રાખવામાં માન તથા પ્રીતિમાં જે અંતર તેનાં પોતાનાં ક્‌હેવાતાં માણસો પણ રાખતાં તેની કાંઈક વાસના આવી હતી, રાજમહેલમાં રાજ્યકાર્યને પ્રસંગે અને બ્હાને અધિકારી । વર્ગની સ્વચ્છંદ વર્ત્તણુક તેના કાનમાં આવી હતી, અને આ સર્વ અનુભવનું ફળ ગાદીએ બેઠા પછી લેવા તેનો ઠરાવ હતો. રાજ્યતંત્રનાં ઘણાં માણસને ઓળખતો અને ઘણાંને ઓળખું છું એમ ધારતો. જુની અવસ્થામાં પ્હોંચેલા અપમાનનું વેર વાળવું એ પોતાનો ધર્મ સમજતો હતો અને તે સમયે પોતાનો પક્ષ ખેંચનારાઓને હવે ઉંચા ચ્હડાવવા એમાં વટ માનતો હતો. ખરેખરા રાજધર્મનો આભાસ પણ મગજમાં ન હતો તેથી અા ધર્મ અને વટ રાખવામાં જ ખરેખરો રંગ રહેશે એમ તેની દૃઢ શ્રદ્ધા હતી. આ શ્રદ્ધાનો તનખો જુની અવસ્થામાં પ્રકટ્યો હતો અને તેને નવી અવસ્થામાં સ્વાભાવિક રીતે પુષ્ટિ મળી હતી એટલે અને તે પ્રદીપ્ત બની ભડકો થવા તત્પર રહેતો. પરંતુ ગાદી પર બેસવા પછી જુના કારભારીના લચી પડવાથી વેશ બદલવાથી, ઉદારપણાથી, અને ઉચ્ચનીચ યુક્તિયોથી ભૂપસિંહનો સ્વભાવ બદલાયો દેખાતો હતો અને રાજવૈભવના શીયાળામાં તેનો અનુભવ-અગ્નિ ધીમે ધીમે કજળાતો અને તેના ઉપર મોજશોખની રાખનાં પડ બંધાતાં જોઈ સર્વ જુનું મંડળ નિશ્ચિંત થઈ જતું હતું.


અમલના ઘેનમાં, સ્વાર્થના જડપણામાં, ઉન્માદવિરોધના આવેગમાં, બાહ્યસૃષ્ટિની ભભકમાં અને રોજના લાગ્યા વ્યવહારના જાળમાં, ઘેરાઈ જતું, ઉઘતું, મૂર્ચ્છા પામતું, અંજાઈ જતું, અને લપટાઈ જતું – સર્વ મંડળ અા પ્રમાણે શુન્યવત્ થતું હતું અને રાજફેરની વાત જુની થઈ જતી હતી તે સમયે માત્ર બુદ્ધિધન એકલો જાગતો હતો, જોતો હતો, સાંભળતો હતો, વિચારતો હતો અને નવા ખેલ રચતો હતો. सर्वभूतની આ निशाમાં સુવર્ણપુ૨ના રાજયતંત્રનો અા યંત્રી, માંદા માણસની પથારી પાસે જાગનાર વૈદ્યની પેઠે ​અને શીકારટોળું નજરબ્હાર-ક્રમ<ref>કુદકો.</ref> બ્હાર - ન થઈ જાય એ સરત રાખતા સિંહની પેઠે, જાગતો હતો; અને સુવર્ણપુરનું રાજ્ય શ્રેષ્ઠ કહેવાય, પોતાનો અમલ સ્થિર ઉચ્ચ થાય, રાજ્યતંત્ર પોતાના હાથનું રમકડું બની જાય, અને ભૂપસિંહ અને તેની પ્રજા પોતાની અને પોતાના સ્વજનની કામધેનુ થઈ ર્‌હે: આવા વિચાર બુદ્ધિધનની અાંખ આગળ ભૂત પેઠે નાચ્યાં કરતા, અહોનિશ તેને ઉજાગરો કરાવતા, બીજા કોઈ પણ વિષય પર તેનું નેત્ર પડતાં તેમાં અંધારાં આણતા, તથા નિરંતર ચિંતામાં અાનંદમાત્રને લીન કરતા, અને આ તેના મહાયોગને જોઈ શકવા – પરખી શાકવા – જડ જગતના ચર્મચક્ષુમાં તાકાત ન હતી.
અમલના ઘેનમાં, સ્વાર્થના જડપણામાં, ઉન્માદવિરોધના આવેગમાં, બાહ્યસૃષ્ટિની ભભકમાં અને રોજના લાગ્યા વ્યવહારના જાળમાં, ઘેરાઈ જતું, ઉઘતું, મૂર્ચ્છા પામતું, અંજાઈ જતું, અને લપટાઈ જતું – સર્વ મંડળ અા પ્રમાણે શુન્યવત્ થતું હતું અને રાજફેરની વાત જુની થઈ જતી હતી તે સમયે માત્ર બુદ્ધિધન એકલો જાગતો હતો, જોતો હતો, સાંભળતો હતો, વિચારતો હતો અને નવા ખેલ રચતો હતો. सर्वभूतની આ निशाમાં સુવર્ણપુ૨ના રાજયતંત્રનો અા યંત્રી, માંદા માણસની પથારી પાસે જાગનાર વૈદ્યની પેઠે ​અને શીકારટોળું નજરબ્હાર-ક્રમ<ref>[2] કુદકો.</ref> બ્હાર - ન થઈ જાય એ સરત રાખતા સિંહની પેઠે, જાગતો હતો; અને સુવર્ણપુરનું રાજ્ય શ્રેષ્ઠ કહેવાય, પોતાનો અમલ સ્થિર ઉચ્ચ થાય, રાજ્યતંત્ર પોતાના હાથનું રમકડું બની જાય, અને ભૂપસિંહ અને તેની પ્રજા પોતાની અને પોતાના સ્વજનની કામધેનુ થઈ ર્‌હે: આવા વિચાર બુદ્ધિધનની અાંખ આગળ ભૂત પેઠે નાચ્યાં કરતા, અહોનિશ તેને ઉજાગરો કરાવતા, બીજા કોઈ પણ વિષય પર તેનું નેત્ર પડતાં તેમાં અંધારાં આણતા, તથા નિરંતર ચિંતામાં અાનંદમાત્રને લીન કરતા, અને આ તેના મહાયોગને જોઈ શકવા – પરખી શાકવા – જડ જગતના ચર્મચક્ષુમાં તાકાત ન હતી.


બુદ્ધિધનના ચોથી પાંચમી પ્હેડીના પૂર્વજો સુવર્ણપુરના કારભારીયો હતા; અને કારભાર ગયા પછી ન્હાનામાં ન્હાની નોકરીને પણ હાથમાં રાખી દરબારમાં પગ રાખવો એ નીતિ તેના કુટુંબે ૨ાખી હતી. પ્હેડીયે પ્હેડીયે તો શું પણ એક જ પ્હેડીમાં કાળચક્રના વારા ફેર બદલાયા હતા અને શ્રીમંતપણા અને નિર્ધનતા વચ્ચે આ ગર્ભશ્રીમંતપણાની ખુમારીવાળા કુટુંબે હિંદોળા ખાધા હતા. બુદ્ધિધનને પિતાના તરફથી વારસામાં પોતાના આભિજાત્યનું અભિમાન - ખાનદાનની ખુમારી – અને તે ગુણની પાછળ ખેંચાતા ગુણો વિના બીજું કાંઈ મળ્યું ન હતું. પરંતુ તેની મા ઘણી બુદ્ધિવાળી, ડાહી, તથા ગરીબ આવસ્થામાં ઘર-રખણી અને સારી અવસ્થામાં ઉદાર રહી શકે એવી હતી; અને એવું કહેવાતું કે તે પુરુષ હત તો આ 'કારભારી' કુટુંબનો કારભાર પાછો મેળવત. આ બાઈના અા ઉજળા ગુણો તેના પુત્રમાં વિકાસ પામ્યા હતા અને તેમની દિનપર દિન વૃદ્ધિ થતી જોઈ નિર્ધન માતા પિતા આશા અને આનંદમાં સારા દિવસની વાટ જોતાં હતાં. મહારાજ શિવાજીને જીજીએ ઉશ્કેર્યા હતા તેમ બુદ્ધિધનની પાસે તેની મા ન્હાનપણામાંથી રસભેર વાતો કહી બતાવતી હતી કે એક દિવસ રામરાય અાવી રીતે કારભારી થયા, લક્ષમણચંદ્રે ન્હાની ઉમરમાં રાણાની પ્રીતિ મેળવી હતી, અને કૃષ્ણદાસે સુંદરસિંહ રાણાના વખતમાં ઢગલા ધન મેળવ્યું હતું, કુટુંબને તારી દીધું હતું, અધિકારીયોમાં આણ વર્તાવી હતી અને વસ્તીમાં તેની હાક વાગતી હતી. આ સર્વ વાતો બાળક બુદ્ધિધન એકાગ્ર ચિત્તથી બોલ્યાચાલ્યા વિના સાંભળતો. માની વર્ણનશક્તિ વિદ્યાના સંસ્કાર વગરની હતી પરંતુ તેમાં સ્વભાવોક્તિ, સુંદરતા, રસિકતા અને સૂચકતા ઉભરાઈ જતાં સ્ત્રીભાષાનું કોમળપણું તથા સંસ્કારીપણું તેમ બ્હેંકી ર્‌હેતું. સુંદર અને લલિત સ્ત્રીએ
બુદ્ધિધનના ચોથી પાંચમી પ્હેડીના પૂર્વજો સુવર્ણપુરના કારભારીયો હતા; અને કારભાર ગયા પછી ન્હાનામાં ન્હાની નોકરીને પણ હાથમાં રાખી દરબારમાં પગ રાખવો એ નીતિ તેના કુટુંબે ૨ાખી હતી. પ્હેડીયે પ્હેડીયે તો શું પણ એક જ પ્હેડીમાં કાળચક્રના વારા ફેર બદલાયા હતા અને શ્રીમંતપણા અને નિર્ધનતા વચ્ચે આ ગર્ભશ્રીમંતપણાની ખુમારીવાળા કુટુંબે હિંદોળા ખાધા હતા. બુદ્ધિધનને પિતાના તરફથી વારસામાં પોતાના આભિજાત્યનું અભિમાન - ખાનદાનની ખુમારી – અને તે ગુણની પાછળ ખેંચાતા ગુણો વિના બીજું કાંઈ મળ્યું ન હતું. પરંતુ તેની મા ઘણી બુદ્ધિવાળી, ડાહી, તથા ગરીબ આવસ્થામાં ઘર-રખણી અને સારી અવસ્થામાં ઉદાર રહી શકે એવી હતી; અને એવું કહેવાતું કે તે પુરુષ હત તો આ 'કારભારી' કુટુંબનો કારભાર પાછો મેળવત. આ બાઈના અા ઉજળા ગુણો તેના પુત્રમાં વિકાસ પામ્યા હતા અને તેમની દિનપર દિન વૃદ્ધિ થતી જોઈ નિર્ધન માતા પિતા આશા અને આનંદમાં સારા દિવસની વાટ જોતાં હતાં. મહારાજ શિવાજીને જીજીએ ઉશ્કેર્યા હતા તેમ બુદ્ધિધનની પાસે તેની મા ન્હાનપણામાંથી રસભેર વાતો કહી બતાવતી હતી કે એક દિવસ રામરાય અાવી રીતે કારભારી થયા, લક્ષમણચંદ્રે ન્હાની ઉમરમાં રાણાની પ્રીતિ મેળવી હતી, અને કૃષ્ણદાસે સુંદરસિંહ રાણાના વખતમાં ઢગલા ધન મેળવ્યું હતું, કુટુંબને તારી દીધું હતું, અધિકારીયોમાં આણ વર્તાવી હતી અને વસ્તીમાં તેની હાક વાગતી હતી. આ સર્વ વાતો બાળક બુદ્ધિધન એકાગ્ર ચિત્તથી બોલ્યાચાલ્યા વિના સાંભળતો. માની વર્ણનશક્તિ વિદ્યાના સંસ્કાર વગરની હતી પરંતુ તેમાં સ્વભાવોક્તિ, સુંદરતા, રસિકતા અને સૂચકતા ઉભરાઈ જતાં સ્ત્રીભાષાનું કોમળપણું તથા સંસ્કારીપણું તેમ બ્હેંકી ર્‌હેતું. સુંદર અને લલિત સ્ત્રીએ
Line 30: Line 30:
વળી આ રસ્તામાં બેવકુફાઈ લાગતી અને અચિન્ત્યો એકાંતે ખડખડ હસી પડતો. અાખરે પાછો ફરી ઠરાવ કર્યો કે નોકરી ખોળવી, પણ થોડાં દિવસ વાટ જોઈ, ધીરજ ખમી, સારી નોકરી કેઈ છે તે ખોળવું અને ખોળી તેને જ મેળવવા યત્ન કરવો. આ સર્વ વિચાર પુત્રના મગજમાં ​ચાલતા અને તોફાન મચાવતા તે વખત માબાપ તેથી અજાણ્યાં ર્‌હેતાં: તેઓ તો ઘણી વખત પુછતાં કે 'ભાઈ શું કરવું છે ?' પણ જવાબમાં કંઈ સંતોષકારક મળતું નહી.
વળી આ રસ્તામાં બેવકુફાઈ લાગતી અને અચિન્ત્યો એકાંતે ખડખડ હસી પડતો. અાખરે પાછો ફરી ઠરાવ કર્યો કે નોકરી ખોળવી, પણ થોડાં દિવસ વાટ જોઈ, ધીરજ ખમી, સારી નોકરી કેઈ છે તે ખોળવું અને ખોળી તેને જ મેળવવા યત્ન કરવો. આ સર્વ વિચાર પુત્રના મગજમાં ​ચાલતા અને તોફાન મચાવતા તે વખત માબાપ તેથી અજાણ્યાં ર્‌હેતાં: તેઓ તો ઘણી વખત પુછતાં કે 'ભાઈ શું કરવું છે ?' પણ જવાબમાં કંઈ સંતોષકારક મળતું નહી.


અા બધા સમયમાં બુદ્ધિધનનો બાહ્ય વ્યાપાર દેખીતો અાનંદમય હતો. તેમાંથી તે કાંઈ કાંઈ ઉપયોગ શોધી લેતો અને તેમાં તેની મા રસ પુરતી. વિદ્યાભ્યાસનો ખાસ પ્રસંગ ન હતો તોપણ કાજીસાહેબ સાથે ઘરનું જુનું એળખાણ હતું તેમની પાસે જઈ ફારસી બેતો મ્હોડે કરતો અને સમજતો અને આખરે તેમાંથી તેનો સ્વભાવ ગંભીર અને શાણા બગલા જેવો થયો. શાસ્ત્રી પુરાણીની કથાઓમાંના સંસ્કારવડે તેનું અંતઃકરણ ઉંચી વૃત્તિયોથી ભરાયું અને સંન્યાસીઓને પ્રસંગે તેમાં શાંતિનો પાટ બેસાર્યો. બ્રહ્મજ્ઞાનના શબ્દ કાનમાં પડવાથી તથા તેના સંસ્કાર સ્ફુરવાથી સંસારી વિષયોમાં પણ ઉંડી વિવેક-બુદ્ધિ (ફીલસુફી) ઉત્પન્ન થતી. અવકાશને વખતે વૃદ્ધ પુરુષો સાથે ગપાટા મારવામાં પણ અાવતા. તેઓએ પોતાની જુવાનીના જોરમાં અને મદમાં પરાક્રમ કરેલાં અથવા ખત્તા ખાધેલા તથા યુક્તિયો રચેલી; તેઓ ફાવેલા, હારેલા; ફસાયલા, લલચાયલા, અને બચેલા. કોઈએ કારભાર કરેલો, કોઈએ વ્યાપાર કરેલો, કોઈએ રંડીબાજીમાં જુવાની ગુમાવેલી, કોઈએ બેવકુફાઈમાં કંઈ જોવાયલું નહી, કોઈએ પ્રમાદમાં થતું થવા દીધેલું, કોઈ ખટપટનો ભોગ થઈ પડેલો; ઈત્યાદિ વાતો અનુભવનારને જ ઘરડે મ્હોંએ કોઈ વાર વગર પસ્તાવે, કોઈ વાર બડાશના સંતોષ સાથે; અને કોઈ વાર નિઃશ્વાસ સાથે થતી તે સર્વનું ટીપ્પણ બુદ્ધિધનના હૃદયમાં થતું. બેતો, કથાઓ, અને ઘરડાઓના ગપાટા, સર્વ વાતો પ્રસંગે તથા અપ્રસંગે પુત્રના મ્હોંથી નીકળતી , તેમાં હોંકારો ભણી ઉમેરો કરી, તેના જેવી જ બીજી વાતો પોતે કહી, ટોળ કરી, ટાળી આપી, 'જોયું અામ થયું તેનું આ પરિણામ' કહી સાર ક્‌હાડી આપી, મા દીકરાને રીઝવતી, કેળવતી, અને રાચતી. આ વાર્તાઓ રસભરી થઈ બુદ્ધિધનના મનમાં ઠરતી અને વજ્રલેપ થતી. બ્રહ્મની પેઠે આ સર્વ માયામચી સૃષ્ટિનો નિર્ગુણ અને નિષ્કર્મ સાક્ષી–કુટુંબનો વડીલ બુદ્ધિધનનો બાપ સાંભળતો અને સઉના અાનંદમાં ગુપ્ત ભાગ લેતો. દાતણને વખતે, ન્હાતાં ન્હાતાં, જમવાની ઘડીએ, વાળું કરતાં, પથારીમાં સુતાં સુતાં, શીયાળામાં તાપતાં તાપતાં ઉન્હાળામાં ચંદની રાતના ગપાટા વખતે, અને ચોમાસામાં અંધારી રાતે કાળાં વાદળમાંથી વર્ષાદ ટપક ટપક થયાં કરતો સાંભળતાં સાંભળતાં - સુવર્ણપુરનાં ​'કારભારી કુટુંબ' માં આવી રીતે સંસારશાળા વગર મ્હેતાજીએ, વગર પુસ્તકે વણજાણી ચાલતી. સ્ત્રીજાતની કોમળતા, કલ્પના, પ્રતિભાન, સ્નેહીપણું, રસિકતા, અને માર્મિકતાની લ્હેરો સ્ત્રીબુદ્ધિની અવગણના કરનારના અંતઃકરણમાં સતતગતિ<ref>પવન; હંમેશા ચાલનાર.</ref> બની પેસી જતી; અને નદી ઉપર પ્રભાતનો કમલ-સ્પર્શી પવન શરીરના ઉપર જેવી રમણીય, પાચક, અને બલવાન ગુપ્ત અસર કરે છે તેવી જ અસર આ અંત:કરણ ઉપર થતી. બેતો, કથાઓ, શ્લોકો, અને ગપાટા પ્રસાદિક <ref>ઈશ્વરની કૃપાથી જ મળેલ.</ref> [૨]બુદ્ધિશાળી બાઈએ ભેળવેલા સ્વાદિષ્ટ સંભારથી પચવામાં સુલભ થઈ જતાં.
અા બધા સમયમાં બુદ્ધિધનનો બાહ્ય વ્યાપાર દેખીતો અાનંદમય હતો. તેમાંથી તે કાંઈ કાંઈ ઉપયોગ શોધી લેતો અને તેમાં તેની મા રસ પુરતી. વિદ્યાભ્યાસનો ખાસ પ્રસંગ ન હતો તોપણ કાજીસાહેબ સાથે ઘરનું જુનું એળખાણ હતું તેમની પાસે જઈ ફારસી બેતો મ્હોડે કરતો અને સમજતો અને આખરે તેમાંથી તેનો સ્વભાવ ગંભીર અને શાણા બગલા જેવો થયો. શાસ્ત્રી પુરાણીની કથાઓમાંના સંસ્કારવડે તેનું અંતઃકરણ ઉંચી વૃત્તિયોથી ભરાયું અને સંન્યાસીઓને પ્રસંગે તેમાં શાંતિનો પાટ બેસાર્યો. બ્રહ્મજ્ઞાનના શબ્દ કાનમાં પડવાથી તથા તેના સંસ્કાર સ્ફુરવાથી સંસારી વિષયોમાં પણ ઉંડી વિવેક-બુદ્ધિ (ફીલસુફી) ઉત્પન્ન થતી. અવકાશને વખતે વૃદ્ધ પુરુષો સાથે ગપાટા મારવામાં પણ અાવતા. તેઓએ પોતાની જુવાનીના જોરમાં અને મદમાં પરાક્રમ કરેલાં અથવા ખત્તા ખાધેલા તથા યુક્તિયો રચેલી; તેઓ ફાવેલા, હારેલા; ફસાયલા, લલચાયલા, અને બચેલા. કોઈએ કારભાર કરેલો, કોઈએ વ્યાપાર કરેલો, કોઈએ રંડીબાજીમાં જુવાની ગુમાવેલી, કોઈએ બેવકુફાઈમાં કંઈ જોવાયલું નહી, કોઈએ પ્રમાદમાં થતું થવા દીધેલું, કોઈ ખટપટનો ભોગ થઈ પડેલો; ઈત્યાદિ વાતો અનુભવનારને જ ઘરડે મ્હોંએ કોઈ વાર વગર પસ્તાવે, કોઈ વાર બડાશના સંતોષ સાથે; અને કોઈ વાર નિઃશ્વાસ સાથે થતી તે સર્વનું ટીપ્પણ બુદ્ધિધનના હૃદયમાં થતું. બેતો, કથાઓ, અને ઘરડાઓના ગપાટા, સર્વ વાતો પ્રસંગે તથા અપ્રસંગે પુત્રના મ્હોંથી નીકળતી , તેમાં હોંકારો ભણી ઉમેરો કરી, તેના જેવી જ બીજી વાતો પોતે કહી, ટોળ કરી, ટાળી આપી, 'જોયું અામ થયું તેનું આ પરિણામ' કહી સાર ક્‌હાડી આપી, મા દીકરાને રીઝવતી, કેળવતી, અને રાચતી. આ વાર્તાઓ રસભરી થઈ બુદ્ધિધનના મનમાં ઠરતી અને વજ્રલેપ થતી. બ્રહ્મની પેઠે આ સર્વ માયામચી સૃષ્ટિનો નિર્ગુણ અને નિષ્કર્મ સાક્ષી–કુટુંબનો વડીલ બુદ્ધિધનનો બાપ સાંભળતો અને સઉના અાનંદમાં ગુપ્ત ભાગ લેતો. દાતણને વખતે, ન્હાતાં ન્હાતાં, જમવાની ઘડીએ, વાળું કરતાં, પથારીમાં સુતાં સુતાં, શીયાળામાં તાપતાં તાપતાં ઉન્હાળામાં ચંદની રાતના ગપાટા વખતે, અને ચોમાસામાં અંધારી રાતે કાળાં વાદળમાંથી વર્ષાદ ટપક ટપક થયાં કરતો સાંભળતાં સાંભળતાં - સુવર્ણપુરનાં ​'કારભારી કુટુંબ' માં આવી રીતે સંસારશાળા વગર મ્હેતાજીએ, વગર પુસ્તકે વણજાણી ચાલતી. સ્ત્રીજાતની કોમળતા, કલ્પના, પ્રતિભાન, સ્નેહીપણું, રસિકતા, અને માર્મિકતાની લ્હેરો સ્ત્રીબુદ્ધિની અવગણના કરનારના અંતઃકરણમાં સતતગતિ<ref>[4]પવન; હંમેશા ચાલનાર.</ref> બની પેસી જતી; અને નદી ઉપર પ્રભાતનો કમલ-સ્પર્શી પવન શરીરના ઉપર જેવી રમણીય, પાચક, અને બલવાન ગુપ્ત અસર કરે છે તેવી જ અસર આ અંત:કરણ ઉપર થતી. બેતો, કથાઓ, શ્લોકો, અને ગપાટા પ્રસાદિક <ref>[5]ઈશ્વરની કૃપાથી જ મળેલ.</ref> [૨]બુદ્ધિશાળી બાઈએ ભેળવેલા સ્વાદિષ્ટ સંભારથી પચવામાં સુલભ થઈ જતાં.


બુદ્ધિધનના બાપને પરાપૂર્વથી ચાલતું આવેલું વર્ષાસન મળતું. તે વર્ષાસન માત્ર બસેં રૂપીઆનું હતું પરંતુ હાલ તેની કનિષ્ટ અવસ્થામાં કોઈક વખતે મદદ કરનારું થઈ પડતું અને લોકમાં પ્રતિષ્ઠા આપનારું ગણાતું. કારભારી મંડળમાં એ વર્ષાસનથી 'કારભારી કુટુંબ' નું નામ વર્ષે દિવસે અકેકી વાર સ્મરણમાં આવતું. એ શિવાય મૂળ કારભારીયોયે પઇસો એકઠો કરી મુકેલો તથા જમીન હાથમાં રાખેલી તેમાંથી અવદાન ભરવા જોગ ઉત્પન્ન થાય એટલું બાકી રહ્યું હતું. રાજસત્તા હોય તો ઘણી મીલકત ખરી થાય એવી હતી. પણ તેવી સત્તા તો ભૂતકાળની વાત થઈ હતી અને હાલ તેનું સ્વપ્ન પણ કોઈને આવતું ન હતું. પઈસો પઈસાને પેદા કરે છે. પણ આ કુટુંબમાં તો પઈસો ન હતો એટલે સરકાર દરબારને રસ્તે ચ્હડવું અને લાંચ આપી જીતવું મુશ્કેલ થયું હતું. વગવાળા અને પઈસાવાળાઓ પાસે હાથ નીચા પડી જતા અને પોતાના જેવા જ માણસો પ્રતિસ્પર્ધી હોય ત્યારે ન્યાય મળવાનો સંભવ રહેતો અને એ સંભવનો આધાર પણ અમલદારના ઉદ્યોગ, ઉત્સાહ, અને સાવધાનપણા ઉપર રહેતો, અાવું છતાં કુટુંબનો વ્યવહાર ચાલતો અને ઘર ચલાવનારની બુદ્ધિ વેતરણ અને કરકસરથી નામ પ્રમાણે ખરચ રાખ્યું દેખાતું છતાં ઝાઝું ખરચ થતું ન હતું અને કોઈ રીતે લાગે એવી અડચણ પડતી ન હતી અને કેટલીક અડચણો વેઠવાની તો સઉને ટેવ પડી ગઈ હતી. મોજશોખ અપથ્ય ગણતાં; અને કુટુંબને અાનંદ, વૈભવ, અને ભોગ મા દીકરાના ત્હાડા પ્હોરના ગપાટાની બાંધી હદમાં રહેતા.
બુદ્ધિધનના બાપને પરાપૂર્વથી ચાલતું આવેલું વર્ષાસન મળતું. તે વર્ષાસન માત્ર બસેં રૂપીઆનું હતું પરંતુ હાલ તેની કનિષ્ટ અવસ્થામાં કોઈક વખતે મદદ કરનારું થઈ પડતું અને લોકમાં પ્રતિષ્ઠા આપનારું ગણાતું. કારભારી મંડળમાં એ વર્ષાસનથી 'કારભારી કુટુંબ' નું નામ વર્ષે દિવસે અકેકી વાર સ્મરણમાં આવતું. એ શિવાય મૂળ કારભારીયોયે પઇસો એકઠો કરી મુકેલો તથા જમીન હાથમાં રાખેલી તેમાંથી અવદાન ભરવા જોગ ઉત્પન્ન થાય એટલું બાકી રહ્યું હતું. રાજસત્તા હોય તો ઘણી મીલકત ખરી થાય એવી હતી. પણ તેવી સત્તા તો ભૂતકાળની વાત થઈ હતી અને હાલ તેનું સ્વપ્ન પણ કોઈને આવતું ન હતું. પઈસો પઈસાને પેદા કરે છે. પણ આ કુટુંબમાં તો પઈસો ન હતો એટલે સરકાર દરબારને રસ્તે ચ્હડવું અને લાંચ આપી જીતવું મુશ્કેલ થયું હતું. વગવાળા અને પઈસાવાળાઓ પાસે હાથ નીચા પડી જતા અને પોતાના જેવા જ માણસો પ્રતિસ્પર્ધી હોય ત્યારે ન્યાય મળવાનો સંભવ રહેતો અને એ સંભવનો આધાર પણ અમલદારના ઉદ્યોગ, ઉત્સાહ, અને સાવધાનપણા ઉપર રહેતો, અાવું છતાં કુટુંબનો વ્યવહાર ચાલતો અને ઘર ચલાવનારની બુદ્ધિ વેતરણ અને કરકસરથી નામ પ્રમાણે ખરચ રાખ્યું દેખાતું છતાં ઝાઝું ખરચ થતું ન હતું અને કોઈ રીતે લાગે એવી અડચણ પડતી ન હતી અને કેટલીક અડચણો વેઠવાની તો સઉને ટેવ પડી ગઈ હતી. મોજશોખ અપથ્ય ગણતાં; અને કુટુંબને અાનંદ, વૈભવ, અને ભોગ મા દીકરાના ત્હાડા પ્હોરના ગપાટાની બાંધી હદમાં રહેતા.
Line 38: Line 38:
એમ દિવસ ચાલ્યા જતા હતા અને રંક કુટુંબ ઉપર ઉન્મત્ત પ્રમત્ત જગતમાંથી કોઈ પણ અાંખ ફરકતીયે ન હતી. સૂર્ય-કિરણનાં દર્શન કરવા વગર જમીનની અંદર કોઈ બળવાન ઝાડનું બીજ-વધતું જાય તેવી અવસ્થા બુદ્ધિધન ભોગવતો હતો, તેમ વિપત્તિનો તાપ તેના ઉપર પડ્યો ન હતો. મ્હોટાં થવાની ઈચ્છા શિવાય તેના મનમાં પણ બીજું કાંઈ ચિંતાનું કારણ ન રહેતું, અને આ ઇચ્છા એક જીર્ણજ્વર જેવી તેના મનમાં રહ્યાં કરતી. એ વ્યાધિની હયાતી ઘરમાં કોઈ જાણતું ન હતું. માત્ર જાતે જ એકાંત સમયે તેની સહજ પીડા અનુભવતો.
એમ દિવસ ચાલ્યા જતા હતા અને રંક કુટુંબ ઉપર ઉન્મત્ત પ્રમત્ત જગતમાંથી કોઈ પણ અાંખ ફરકતીયે ન હતી. સૂર્ય-કિરણનાં દર્શન કરવા વગર જમીનની અંદર કોઈ બળવાન ઝાડનું બીજ-વધતું જાય તેવી અવસ્થા બુદ્ધિધન ભોગવતો હતો, તેમ વિપત્તિનો તાપ તેના ઉપર પડ્યો ન હતો. મ્હોટાં થવાની ઈચ્છા શિવાય તેના મનમાં પણ બીજું કાંઈ ચિંતાનું કારણ ન રહેતું, અને આ ઇચ્છા એક જીર્ણજ્વર જેવી તેના મનમાં રહ્યાં કરતી. એ વ્યાધિની હયાતી ઘરમાં કોઈ જાણતું ન હતું. માત્ર જાતે જ એકાંત સમયે તેની સહજ પીડા અનુભવતો.


આવી અવસ્થા પણ ઘણા દિવસ ન ટકી. વિપત્તિનું વાદળ ઉછરતા છોડ ઉપર તુટી પડવા લાગ્યું. બાપનું મરણ અણચિંતવ્યું વિષૂચિકાથી <ref>કૉલેરા, કેાગળીયું.</ref> થયું. આ બનાવ સારુ બુદ્ધિધન જરા પણ તૈયાર થયો ન હતો. અજાણ્યા અચિંત્યા થતા ઘાની પેઠે તે તેને લાગ્યો. તેનું બળવાન મન ઘડીક ચુર થતું જણાયું. તેના સ્વભાવને લીધે ગમત કરનાર જુવાન જગતમાં તેના સમાનશીલવ્યસનવાળું કોઈ ભાગ્યે મળી શકે એમ હતું. ગરીબ અવસ્થાને લીધે પઈસાવાળા ખુશામત શિવાય મિત્રતાનાં બીજાં દ્વાર બંધ રાખતા. ગરીબ લોકોમાં કુલીનસંસ્કાર ન મળતો. અને કોઈ એમ છતાં મિત્ર થવા જેવો મળે તો બુદ્ધિમાં અંતર રહેતું. આથી થયું એ કે બુદ્ધિધન મિત્ર વગરનો રહ્યો અને ખરી વિપત્તિને સમયે તેના મનનું ઐૌષધ કરવા તેની મા વગર બીજું કોઈ હતું નહી અને તે માને પણ વૈધવ્યદુ:ખ પડવાથી તેના મનની સંભાળ લેવી એ પણ હવે ખરેખર એકલા પડેલા બુદ્ધિધનને માથે ફરજ થઈ પડી.
આવી અવસ્થા પણ ઘણા દિવસ ન ટકી. વિપત્તિનું વાદળ ઉછરતા છોડ ઉપર તુટી પડવા લાગ્યું. બાપનું મરણ અણચિંતવ્યું વિષૂચિકાથી <ref>[6]કૉલેરા, કેાગળીયું.</ref> થયું. આ બનાવ સારુ બુદ્ધિધન જરા પણ તૈયાર થયો ન હતો. અજાણ્યા અચિંત્યા થતા ઘાની પેઠે તે તેને લાગ્યો. તેનું બળવાન મન ઘડીક ચુર થતું જણાયું. તેના સ્વભાવને લીધે ગમત કરનાર જુવાન જગતમાં તેના સમાનશીલવ્યસનવાળું કોઈ ભાગ્યે મળી શકે એમ હતું. ગરીબ અવસ્થાને લીધે પઈસાવાળા ખુશામત શિવાય મિત્રતાનાં બીજાં દ્વાર બંધ રાખતા. ગરીબ લોકોમાં કુલીનસંસ્કાર ન મળતો. અને કોઈ એમ છતાં મિત્ર થવા જેવો મળે તો બુદ્ધિમાં અંતર રહેતું. આથી થયું એ કે બુદ્ધિધન મિત્ર વગરનો રહ્યો અને ખરી વિપત્તિને સમયે તેના મનનું ઐૌષધ કરવા તેની મા વગર બીજું કોઈ હતું નહી અને તે માને પણ વૈધવ્યદુ:ખ પડવાથી તેના મનની સંભાળ લેવી એ પણ હવે ખરેખર એકલા પડેલા બુદ્ધિધનને માથે ફરજ થઈ પડી.


અાટલાથી જ વિપત્તિનું ઝાપટું પુરું થયું નહી.
અાટલાથી જ વિપત્તિનું ઝાપટું પુરું થયું નહી.
19,010

edits