સરસ્વતીચંદ્ર ભાગ ૧/કારભારી અને કારભાર : દિગ્દર્શન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 78: Line 78:
ભૂપસિંહ વાળું કરી રહ્યો કે એક જણ બુદ્ધિધનને બોલાવવા જતો હતો તેને ન જવા દેતાં ભૂપસિંહ પોતે જ ફુવારા પાસે માણસો સાથે ગયો. હજામે ફાનસ ઉચું કર્યું અને રાણાએ જુના મિત્રને નિદ્રામાં પડેલો દીઠો. જુવે છે એટલામાં જ નરભેરામ, નવીનચંદ્ર, વિદુરપ્રસાદ, અને જયમલ્લ અાવી પહોંચ્યા. નરભેરામ બુદ્ધિધનને ઉઠાડવા જતો હતો તેને રાણાએ અટકાવ્યો - “નરભેરામ, બુદ્ધિધન બહુ જાગ્યા છે – ઘણા વર્ષને અંતે અાજ સુખમાં સુતા છે. એમને સુખમાં સુવા દ્યો. ” ઓથારે ચાંપેલા માણસના હાથ છાતી
ભૂપસિંહ વાળું કરી રહ્યો કે એક જણ બુદ્ધિધનને બોલાવવા જતો હતો તેને ન જવા દેતાં ભૂપસિંહ પોતે જ ફુવારા પાસે માણસો સાથે ગયો. હજામે ફાનસ ઉચું કર્યું અને રાણાએ જુના મિત્રને નિદ્રામાં પડેલો દીઠો. જુવે છે એટલામાં જ નરભેરામ, નવીનચંદ્ર, વિદુરપ્રસાદ, અને જયમલ્લ અાવી પહોંચ્યા. નરભેરામ બુદ્ધિધનને ઉઠાડવા જતો હતો તેને રાણાએ અટકાવ્યો - “નરભેરામ, બુદ્ધિધન બહુ જાગ્યા છે – ઘણા વર્ષને અંતે અાજ સુખમાં સુતા છે. એમને સુખમાં સુવા દ્યો. ” ઓથારે ચાંપેલા માણસના હાથ છાતી


૧.કેાઈની મુખકાંતિ જ જોઈ ર્‌હેવાનો ઇસ્લામી યોગ.
​ઉપરથી અચીન્ત્યા આઘા પડે અને ભયંકર સ્વપ્ન જતું ર્‌હેતાં જાગી તે સ્વસ્થ
​ઉપરથી અચીન્ત્યા આઘા પડે અને ભયંકર સ્વપ્ન જતું ર્‌હેતાં જાગી તે સ્વસ્થ
થાય તેમ બુદ્ધિધનની શીખામણથી ઘણા વર્ષથી સ્વભાવવિરુદ્ધ ધૈર્ય રાખી મનમાં ધુંધવાઈ રહેલો રજપૂત શઠરાય દૂર થતાં આજ સ્વસ્થ બન્યો હતો. લીલાપુરમાં પોતાના ન્હાના સરખા ઘરમાં આવી બુદ્ધિધન નીરાંતે બેસતો હતો અને સ્વતન્ત્રતા ભોગવતો હતો તેમ જ આજ પોતાના મ્હેલમાં કરતો તેને જોઈ રાણાએ પોતાના વૈભવને સફળ થયો માન્યો. જુના દિવસ સ્મરણમાં આવ્યા અને જેમ બ્હારનો ફુવારો શરીરને શીતળ કરતો હતો તેમ બુદ્ધિધન ઉપરની પ્રીતિનો ભરેલો ફુવારો ઉભરાઈ ઉઘડી અંતઃકરણને શીતળશીકરથી[૧] ન્હવરાવવા લાગ્યો.
થાય તેમ બુદ્ધિધનની શીખામણથી ઘણા વર્ષથી સ્વભાવવિરુદ્ધ ધૈર્ય રાખી મનમાં ધુંધવાઈ રહેલો રજપૂત શઠરાય દૂર થતાં આજ સ્વસ્થ બન્યો હતો. લીલાપુરમાં પોતાના ન્હાના સરખા ઘરમાં આવી બુદ્ધિધન નીરાંતે બેસતો હતો અને સ્વતન્ત્રતા ભોગવતો હતો તેમ જ આજ પોતાના મ્હેલમાં કરતો તેને જોઈ રાણાએ પોતાના વૈભવને સફળ થયો માન્યો. જુના દિવસ સ્મરણમાં આવ્યા અને જેમ બ્હારનો ફુવારો શરીરને શીતળ કરતો હતો તેમ બુદ્ધિધન ઉપરની પ્રીતિનો ભરેલો ફુવારો ઉભરાઈ ઉઘડી અંતઃકરણને શીતળશીકરથી[૧] ન્હવરાવવા લાગ્યો.
Line 86: Line 85:
આજ્ઞાનું પાલન તરત થયું. બુદ્ધિધનના માથા નીચે ધીમે રહી રેશમી અશીકું મુકી દેવામાં આવ્યું. રેશમી ગાદીવાળો કોચ રાણાને વાસ્તે આવ્યો. બીજાઓને વાસ્તે ગલીચો આવ્યો. રાણાની આસપાસ શુદ્ધ રુપેરી સોનેરી તેમ જ “ગિ૯ટ”વાળી અને કાચની વીલાયતી દીવીયો ગોઠવી દેવામાં આવી અને જુદા જુદા દીવાનો પ્રકાશ ફુવારાના ઉડતાં બિન્દુઓમાં ચળકવા લાગ્યો. રાણાએ કોચપર બેસી સોનેરી હુક્કાની લાંબી નળી મ્હોંમાં લીધી. સઉ આસપાસ ગોઠવાઈ ગયા. ચોબદારો અને ચાકરો ચારપાસ વીંટાઈ સ્તબ્ધ – અંદર અંદર ગુપચુપ વાતો કરતા - ઉભા રહ્યા. રાણાની આજ્ઞા થઈ અને એક તરુણ ગવૈયો આવ્યો, રાણાના સામો બેઠો, અને મ્હોંયે ગાયા વિના સતારનાં અતિ સૂક્ષમ સ્વરમાં ગાન ઉતારવા લાગ્યો. એક ચાકરે તાજાં ચિત્ર વિચિત્ર ફુલો, રુપેરી સંપુટો, થાળો, અને છાબોમાં ગોઠવી સર્વ વચ્ચે મુક્યાં અને તેની સુવાસના ચારેપાસ પ્રસરવા લાગી. આસપાસના બાગમાંથી અને પાસેના પાત્રોમાંથી પુષ્પોના પરાગ અને સુવાસથી પ્રકુલ થયેલો, ફુવારાની નીચે કુંડામાં ટપકતાં બિન્દુઓના અને સતારના મિશ્રિત સુસ્વરને પોતાનો કરી લેતો, શીતલતાને – કુંડમાંથી ઉપાડી લેતો – ફુવારાના વર્ષાદમાંથી અદ્ધર ચોરી લેતો – ઝાકળમાંથી પી જતો – અને આકાશમાંથી ઘસડી આણતો અનેક સ્થાનથી શૂંડમાં એકઠું કરેલું પાણું હાથી પાછું એક સ્થાને વર્ષાવે તેમ સુવાસ સુસ્વર – અને શીતલતાને મનુષ્યસૃષ્ટિ ઉપર સાથે લાગાં વર્ષાવતો અનેક ઝાડનાં પાંદડાંને હલાવી ખખડાવી અંધકારમાં પણ પોતાની સત્તા છે એવું માનવીના કાનને ગર્વ સાથે ક્‌હેતો, ઉંચા ગગનમાં પણ મ્હારી આણ વર્તે છે
આજ્ઞાનું પાલન તરત થયું. બુદ્ધિધનના માથા નીચે ધીમે રહી રેશમી અશીકું મુકી દેવામાં આવ્યું. રેશમી ગાદીવાળો કોચ રાણાને વાસ્તે આવ્યો. બીજાઓને વાસ્તે ગલીચો આવ્યો. રાણાની આસપાસ શુદ્ધ રુપેરી સોનેરી તેમ જ “ગિ૯ટ”વાળી અને કાચની વીલાયતી દીવીયો ગોઠવી દેવામાં આવી અને જુદા જુદા દીવાનો પ્રકાશ ફુવારાના ઉડતાં બિન્દુઓમાં ચળકવા લાગ્યો. રાણાએ કોચપર બેસી સોનેરી હુક્કાની લાંબી નળી મ્હોંમાં લીધી. સઉ આસપાસ ગોઠવાઈ ગયા. ચોબદારો અને ચાકરો ચારપાસ વીંટાઈ સ્તબ્ધ – અંદર અંદર ગુપચુપ વાતો કરતા - ઉભા રહ્યા. રાણાની આજ્ઞા થઈ અને એક તરુણ ગવૈયો આવ્યો, રાણાના સામો બેઠો, અને મ્હોંયે ગાયા વિના સતારનાં અતિ સૂક્ષમ સ્વરમાં ગાન ઉતારવા લાગ્યો. એક ચાકરે તાજાં ચિત્ર વિચિત્ર ફુલો, રુપેરી સંપુટો, થાળો, અને છાબોમાં ગોઠવી સર્વ વચ્ચે મુક્યાં અને તેની સુવાસના ચારેપાસ પ્રસરવા લાગી. આસપાસના બાગમાંથી અને પાસેના પાત્રોમાંથી પુષ્પોના પરાગ અને સુવાસથી પ્રકુલ થયેલો, ફુવારાની નીચે કુંડામાં ટપકતાં બિન્દુઓના અને સતારના મિશ્રિત સુસ્વરને પોતાનો કરી લેતો, શીતલતાને – કુંડમાંથી ઉપાડી લેતો – ફુવારાના વર્ષાદમાંથી અદ્ધર ચોરી લેતો – ઝાકળમાંથી પી જતો – અને આકાશમાંથી ઘસડી આણતો અનેક સ્થાનથી શૂંડમાં એકઠું કરેલું પાણું હાથી પાછું એક સ્થાને વર્ષાવે તેમ સુવાસ સુસ્વર – અને શીતલતાને મનુષ્યસૃષ્ટિ ઉપર સાથે લાગાં વર્ષાવતો અનેક ઝાડનાં પાંદડાંને હલાવી ખખડાવી અંધકારમાં પણ પોતાની સત્તા છે એવું માનવીના કાનને ગર્વ સાથે ક્‌હેતો, ઉંચા ગગનમાં પણ મ્હારી આણ વર્તે છે


૧.પાણીના ઉડતા છાંટા.
​એવું વાદળમાં લ્હેરીયાં પાડી ઉચું જોનારી આંખને જણવતો, અને ગાઉ બે
​એવું વાદળમાં લ્હેરીયાં પાડી ઉચું જોનારી આંખને જણવતો, અને ગાઉ બે
ગાઉ ઉપરનાં વનોમાં પોતે નાંખેલા સુસવાટા રાણા જેવાના કાનના પડદાપર અફળાવતો :- દામ્ભિક વાયુ માનવીના શરીર પાસે આથી દમ્ભ તજી મન્દ પડી જતો હતો, મધુર થઈ જતો હતો, તેને ફોસલાવતો હોય - તેને કરગરી પડતો હોય - તેને સવાસલાં કરતો હોય - તેમ તેના અંગરખામાં ધીમે રહી પ્રવેશ કરી – તેમાં કરચલીયો પાડી – તેવા શરીરને પંપાળતો હતો, શરીરમાંનાં છિદ્રોમાં પેંશી જઈ ચિત્ત આગળ પ્હોંચી જતો હતો, ચિત્તના ગર્ભદ્વારની અંદર ઉભો રહી માનવીના આત્મા ઉપર આનંદનો અભિષેક કરતો હતો, અને પોતાની સાથે આણેલી સર્વ રમણીય સામગ્રી તેના જ ઉપર ચ્હડાવતો હતો. એમાં દોષ માત્ર એટલો હતો કે તે જડ હોવાથી મ્હોટા ન્હાનાનો ભેદ સમજતો ન હતો અને ભૂપસિંહની તેમ જ તેના હલકામાં હલકા દાસની સરખી રીતે સેવા કરતો હતો અને જાગતા ઉઘતાંનો પણ ભેદ રાખતો ન હતો. પવનની, પ્રકાશની, સુવાસની, સુસ્વરની, શીતલતાની - અર્થાત્ જડ હોવા છતાં સંચાર કરનાર સર્વ પદાર્થોની – અસર નિદ્રાયમાણ બુદ્ધિધનના મસ્તિકમાં પણ પ્હોંચી જતી અને તેનાં રમણીય સ્વપ્નોની કારણભૂત થઈ પડતી હતી – પોષક પણ થતી હતી.
ગાઉ ઉપરનાં વનોમાં પોતે નાંખેલા સુસવાટા રાણા જેવાના કાનના પડદાપર અફળાવતો :- દામ્ભિક વાયુ માનવીના શરીર પાસે આથી દમ્ભ તજી મન્દ પડી જતો હતો, મધુર થઈ જતો હતો, તેને ફોસલાવતો હોય - તેને કરગરી પડતો હોય - તેને સવાસલાં કરતો હોય - તેમ તેના અંગરખામાં ધીમે રહી પ્રવેશ કરી – તેમાં કરચલીયો પાડી – તેવા શરીરને પંપાળતો હતો, શરીરમાંનાં છિદ્રોમાં પેંશી જઈ ચિત્ત આગળ પ્હોંચી જતો હતો, ચિત્તના ગર્ભદ્વારની અંદર ઉભો રહી માનવીના આત્મા ઉપર આનંદનો અભિષેક કરતો હતો, અને પોતાની સાથે આણેલી સર્વ રમણીય સામગ્રી તેના જ ઉપર ચ્હડાવતો હતો. એમાં દોષ માત્ર એટલો હતો કે તે જડ હોવાથી મ્હોટા ન્હાનાનો ભેદ સમજતો ન હતો અને ભૂપસિંહની તેમ જ તેના હલકામાં હલકા દાસની સરખી રીતે સેવા કરતો હતો અને જાગતા ઉઘતાંનો પણ ભેદ રાખતો ન હતો. પવનની, પ્રકાશની, સુવાસની, સુસ્વરની, શીતલતાની - અર્થાત્ જડ હોવા છતાં સંચાર કરનાર સર્વ પદાર્થોની – અસર નિદ્રાયમાણ બુદ્ધિધનના મસ્તિકમાં પણ પ્હોંચી જતી અને તેનાં રમણીય સ્વપ્નોની કારણભૂત થઈ પડતી હતી – પોષક પણ થતી હતી.
18,450

edits