ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતવિજય-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમૃતવિજય-૩'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = અમૃતવિજય-૨
|next =  
|next = અમૃતવિજય-૪
}}
}}

Latest revision as of 10:47, 30 July 2022


અમૃતવિજય-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં વિવેકવિજના શિષ્ય. દેશીઓ, ધ્રુવપદો અને આંતરપ્રાસથી સમૃદ્ધ, રાજિમતીના વિરહનું વર્ણન કરતી ૪૮ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’(ર. ઈ.૧૭૫૬; મુ.), ૫૪ કડીની ‘બત્રીસસ્થાનવિચારગર્ભિત-સ્તવન’(ર. ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, ચૈત્ર સુદ ૩; મુ.), ૨૪ ઢાળની ‘નેમિનાથરાજીમતી-સંવાદના ચોવીસ ચોક’ (ર. ઈ.૧૭૮૩/સં. ૧૮૩૯, કારતક વદ ૫, રવિવાર), શત્રુંજયનાં સર્વ સ્થાનોને ભક્તિપૂર્વક વર્ણવતી ૧૦ ઢાળ અને ૧૪૪ કડીની ‘વિમલાચલ/શત્રુંજય/સિદ્ધાચલતીર્થમાલા’ (ર.ઈ.૧૭૮૪/સં. ૧૮૪૦, ફાગણ સુદ ૧૩; મુ.), ભાણવિજયને નામે જેનો અંતભાગ ઉદ્ધૃત થયો છે એ ૨ ખંડની ‘વિક્રમાદિત્યરાસ’(ર. ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, જેઠ સુદ ૫)એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. પ્રામબાસંગ્રહ; ૨. શત્રુંજય તીર્થમાળા, રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩;  ૩. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૬ - ‘બત્રીસસ્થાનકવિચારગર્ભિત સ્તવન’, સં. શ્રી રમણિકવિજયજી. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. (અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત) પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]