સરસ્વતીચંદ્ર ભાગ ૩/મણિરાજનો શોક અને પિતૃદર્શન.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
:::And I am strong again.
:::And I am strong again.
{{Right|-Longfellow.}}
{{Right|-Longfellow.}}
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતાની પાછળ સિંહાસન ઉપર બેસવાના કરતાં ત્યાં પિતાની પાદુકાઓ મુકી પોતે હજી યુવરાજ જ હોય તેમ રાજય કરવાનો પિતૃભક્ત મણિરાજને વિચાર થયોઃ અને એ વિચાર સર્વને જણાવી દીધો. સૂતકનો કાળ વીતવા આવ્યો પણ તેના મુખ ઉપરથી શોકની છાયા ઉતરી નહી, અને સિંહાસનપર ચ્હડવાનું મુહૂર્ત એણે જોવડાવ્યું નહી. નવા આવેલા બસ્કિન્ સાહેબને એણે પિતાના સમાચાર લખ્યા પણ પોતાના સમાચારમાં કાંઈ લખ્યું નહીં. સામંત, જરાશંકર, વિદ્યાચતુર, અને કમળા રાણી – કોઈની વાતને એણે ઉત્તર દીધો નહી. જુના રાજાનો શોક નવાના અભિષેક સાથે ઉતરે એ વાણી એના મંદિરમાં, અસિદ્ધ થઈ પોતાને “મહારાજ” શબ્દથી સંબોધન કરવા આવનારનું એ અપમાન જ કરતો આ સર્વ સમાચાર બસ્કિન્ સાહેબને પ્હોંચ્યા. એ સાહેબે મણિરાજને હેતભરેલું પત્ર લખ્યું અને ભૂતકાળ ભુલી વર્તમાન ધર્મ પાળવા માર્ગ દર્શાવ્યો અને સર્વ પિતાનો પિતા અમર છે તેના ચરણમાં દૃષ્ટિ રાખી, ઐહિક પિતાના સિંહાસનને એ ઉભય પિતાઓનો પ્રસાદ ગણી સ્વીકારવામાં જ તે બેની આજ્ઞાનું અનુલ્લંઘન છે એમ જણાવ્યું. અભિષેક કરવા સાહેબ પોતે સત્વર આવવાના છે તે પણ તેમાં હતું.​આ પત્ર વાંચી મણિરાજે ખીસામાં મુkયો ત્યારે તે પોતાના આરામાસન ઉપર એકલો હતો અને રાત્રિના સાત વાગ્યા હતા. તેની અાંખમાંથી એકાંત અશ્રુધારા ટપકતી હતી અને એ દશામાં તે બેઠો બેઠો નિદ્રાવશ થઈ ગયો ત્યાં સ્વપ્નોદય થયો.
પોતાની પાછળ સિંહાસન ઉપર બેસવાના કરતાં ત્યાં પિતાની પાદુકાઓ મુકી પોતે હજી યુવરાજ જ હોય તેમ રાજય કરવાનો પિતૃભક્ત મણિરાજને વિચાર થયોઃ અને એ વિચાર સર્વને જણાવી દીધો. સૂતકનો કાળ વીતવા આવ્યો પણ તેના મુખ ઉપરથી શોકની છાયા ઉતરી નહી, અને સિંહાસનપર ચ્હડવાનું મુહૂર્ત એણે જોવડાવ્યું નહી. નવા આવેલા બસ્કિન્ સાહેબને એણે પિતાના સમાચાર લખ્યા પણ પોતાના સમાચારમાં કાંઈ લખ્યું નહીં. સામંત, જરાશંકર, વિદ્યાચતુર, અને કમળા રાણી – કોઈની વાતને એણે ઉત્તર દીધો નહી. જુના રાજાનો શોક નવાના અભિષેક સાથે ઉતરે એ વાણી એના મંદિરમાં, અસિદ્ધ થઈ પોતાને “મહારાજ” શબ્દથી સંબોધન કરવા આવનારનું એ અપમાન જ કરતો આ સર્વ સમાચાર બસ્કિન્ સાહેબને પ્હોંચ્યા. એ સાહેબે મણિરાજને હેતભરેલું પત્ર લખ્યું અને ભૂતકાળ ભુલી વર્તમાન ધર્મ પાળવા માર્ગ દર્શાવ્યો અને સર્વ પિતાનો પિતા અમર છે તેના ચરણમાં દૃષ્ટિ રાખી, ઐહિક પિતાના સિંહાસનને એ ઉભય પિતાઓનો પ્રસાદ ગણી સ્વીકારવામાં જ તે બેની આજ્ઞાનું અનુલ્લંઘન છે એમ જણાવ્યું. અભિષેક કરવા સાહેબ પોતે સત્વર આવવાના છે તે પણ તેમાં હતું.​આ પત્ર વાંચી મણિરાજે ખીસામાં મુkયો ત્યારે તે પોતાના આરામાસન ઉપર એકલો હતો અને રાત્રિના સાત વાગ્યા હતા. તેની અાંખમાંથી એકાંત અશ્રુધારા ટપકતી હતી અને એ દશામાં તે બેઠો બેઠો નિદ્રાવશ થઈ ગયો ત્યાં સ્વપ્નોદય થયો.
19,010

edits