ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનમેરુ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનમેરુ-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતર...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જ્ઞાનમેરુ
|next =  
|next = જ્ઞાનરુચિ
}}
}}

Latest revision as of 05:14, 15 August 2022


જ્ઞાનમેરુ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં મહિમસુંદરના શિષ્ય. એમના ૩ ખંડ, ૧૬ ઢાળ અને ૧૮૬/૨૦૨ કડીના ‘ગુણકરંડગુણાવલી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, પ્રથમ આસો સુદ ૧૩)માં ‘રિદ્ધિ તો નારીના કર્મે હોય’ તેવી ગુણાવલીની દલીલથી બધું લઈને ચાલી ગયેલા ગુણકરંડનો પડકાર ઝીલી પોતાના બુદ્ધિચાતુર્યથી બધી સમૃદ્ધિ પુન: પ્રાપ્ત કરનાર ગુણાવલીની અદ્ભુતરસિક કથા આલેખાઈ છે અને પુણ્યનો પ્રભાવ વર્ણવાયો છે. ૩૭ કડીની ‘વિજયશેઠ વિજયાસંબંધ/પ્રબંધ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, ફાગણ સુદ ૧૦) એ આ કવિની અન્ય કૃતિ છે. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]