ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તુલસી-૧-તુલસીદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તુલસી-૧/તુલસીદાસ'''</span> [ઈ.૧૬૭૬માં હયાત] : ધોળકા...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = તુલસી-તુલસીદાસ
|next =  
|next = તુલસીદાસ
}}
}}

Latest revision as of 07:25, 15 August 2022


તુલસી-૧/તુલસીદાસ [ઈ.૧૬૭૬માં હયાત] : ધોળકા પાસે લીલાવતી/લીલાપુરના વતની. જ્ઞાતિએ રાયકવાડ બ્રાહ્મણ. તેમના પિતા મંગલ વેદપુરાણનું અધ્યયન કરાવતા હોવાનો ઉલ્લેખ મળે છે. એમનો આરંભે રાગના નિર્દેશવાળા ચોપાઈબદ્ધ ૧૧૪ અધ્યાયનો ‘પાંડવાશ્વમેઘ’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, વૈશાખ-૧૩; મુ.) સમગ્ર અશ્વમેઘ કથાના સવિસ્તર નિરૂપણને કારણે નોંધપાત્ર બને છે. કવિએ કાવ્યારંભે ચોપાઈની પણ પ્રશસ્તિ રચી છે. કૃતિ : પાંડવાશ્વમેઘ, પ્ર. સવાઈભાઈ રાયચંદ,-. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી.[ચ.શે.]