ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાસાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયાસાર'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દયાસાગર-૨-દામોદર_મુનિ
|next =  
|next = દયાસિંહ_ગણિ
}}
}}

Latest revision as of 12:25, 17 August 2022


દયાસાર [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ધર્મકીર્તિના શિષ્ય. ‘અમરસેન-વયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, આસો સુદ ૧૦) અને ૧૧ ઢાળની ‘ઈલાપુત્ર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૫૪/સં. ૧૭૧૦, ભાદરવા સુદ ૯)ના કર્તા. આરંભે જિનકુશલસૂરિને વંદના ધરાવતી ૨૭ ઢાળ અને ૬૨૯ કડીની ‘આરામનંદન પદ્માવતી-ચોપાઈ’ (ર. ઈ.૧૬૪૮)ના કર્તા પણ આ જ દયાસાર હોવાનું સમજાય છે. આ કૃતિ ભૂલથી ‘આરામશોભા-ચોપાઈ’ તરીકે ઉલ્લેખાયેલી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧. [શ્ર.ત્રિ.]