નવલકથાપરિચયકોશ/હિન્દ અને બ્રિટાનિયા: Difference between revisions

Added Book Cover
 
Line 4: Line 4:
'''ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ'''</big><br>
'''ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ'''</big><br>
{{gap|14em}}– અજયસિંહ ચૌહાણ</big>'''</center>
{{gap|14em}}– અજયસિંહ ચૌહાણ</big>'''</center>
[[File:Hind ane britaniya.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘હિન્દ અને બ્રિટાનિયા એક રાજકીય ચિત્ર’ને લેખક ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ‘ગુજરાતી ભાષાની સહુથી પેહેલી રાજકીય કાદંબરી’ ગણાવી છે. આપણે જાણીએ છીએ કે નવલકથા માટે મરાઠીમાં કાદંબરી સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. આ નવલકથાની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૮૮૫માં મુંબઈના ગુજરાતી પ્રિંન્ટિગ પ્રેસ દ્વારા પ્રગટ કરવામાં આવી. એના લેખક ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (૧૮૫૩-૧૯૧૨) ‘ગુજરાતી’ સાપ્તાહિકના તંત્રી તરીકે અને ‘ગુજરાતી પ્રેસ’ના માલિક અને પ્રકાશક તરીકે જાણીતા છે. મૂળે સુરત એમનું વતન પણ, પછી આજીવિકા અર્થે એ મુંબઈમાં સ્થાયી થયા. બાહોશ અને નીડર પત્રકાર તરીકે એમની ખ્યાતિ હતી. એમણે થોડો સમય મુંબઈ સમાચાર દ્વારા પ્રકાશિત ‘આર્યમિત્ર’ સાપ્તાહિકના તંત્રી તરીકે પણ કાર્ય કર્યું. એમના કાર્યકાળ દરમિયાન ગુજરાતી પ્રેસે પોતાના સાપ્તાહિકના ગ્રાહકોને વર્ષે એક વાર ભેટ પુસ્તક આપવાની શરૂઆત કરીને એ સમયે સાહિત્ય અને પ્રકાશન જગતમાં ક્રાંતિ આણી. એમના આ પગલાથી ગુજરાતી પુસ્તકોના પ્રકાશનને વેગ મળ્યો. ઈ. સ. ૧૮૭૭માં તેઓ ફરી પાછા વતન સુરતમાં સ્થાયી થયા. જ્યાં અન્ય મિત્રો સાથે મળી ‘શારદાપૂજક મંડળી’ની સ્થાપના કરી. એના મુખપત્ર તરીકે ‘સ્વતંત્રતા’ માસિક શરૂ કર્યું. આ નવલકથાના કેટલાક અંશો ‘સ્વતંત્રતા’ માસિકમાં પ્રગટ થયા હતા. આ સામયિકમાં અંગ્રેજ સરકારનાં કેટલાંક દમનકારી પગલાં વિષે પણ લેખો પ્રગટ થતા. આવા એક જાગૃત પત્રકાર પાસેથી સમકાલીન ભારતના રાજકીય ચિત્ર વિષે લખાણ મળે એ ગુજરાતી સાહિત્યની મહત્ત્વની ઘટના છે.  
‘હિન્દ અને બ્રિટાનિયા એક રાજકીય ચિત્ર’ને લેખક ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ‘ગુજરાતી ભાષાની સહુથી પેહેલી રાજકીય કાદંબરી’ ગણાવી છે. આપણે જાણીએ છીએ કે નવલકથા માટે મરાઠીમાં કાદંબરી સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. આ નવલકથાની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૮૮૫માં મુંબઈના ગુજરાતી પ્રિંન્ટિગ પ્રેસ દ્વારા પ્રગટ કરવામાં આવી. એના લેખક ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (૧૮૫૩-૧૯૧૨) ‘ગુજરાતી’ સાપ્તાહિકના તંત્રી તરીકે અને ‘ગુજરાતી પ્રેસ’ના માલિક અને પ્રકાશક તરીકે જાણીતા છે. મૂળે સુરત એમનું વતન પણ, પછી આજીવિકા અર્થે એ મુંબઈમાં સ્થાયી થયા. બાહોશ અને નીડર પત્રકાર તરીકે એમની ખ્યાતિ હતી. એમણે થોડો સમય મુંબઈ સમાચાર દ્વારા પ્રકાશિત ‘આર્યમિત્ર’ સાપ્તાહિકના તંત્રી તરીકે પણ કાર્ય કર્યું. એમના કાર્યકાળ દરમિયાન ગુજરાતી પ્રેસે પોતાના સાપ્તાહિકના ગ્રાહકોને વર્ષે એક વાર ભેટ પુસ્તક આપવાની શરૂઆત કરીને એ સમયે સાહિત્ય અને પ્રકાશન જગતમાં ક્રાંતિ આણી. એમના આ પગલાથી ગુજરાતી પુસ્તકોના પ્રકાશનને વેગ મળ્યો. ઈ. સ. ૧૮૭૭માં તેઓ ફરી પાછા વતન સુરતમાં સ્થાયી થયા. જ્યાં અન્ય મિત્રો સાથે મળી ‘શારદાપૂજક મંડળી’ની સ્થાપના કરી. એના મુખપત્ર તરીકે ‘સ્વતંત્રતા’ માસિક શરૂ કર્યું. આ નવલકથાના કેટલાક અંશો ‘સ્વતંત્રતા’ માસિકમાં પ્રગટ થયા હતા. આ સામયિકમાં અંગ્રેજ સરકારનાં કેટલાંક દમનકારી પગલાં વિષે પણ લેખો પ્રગટ થતા. આવા એક જાગૃત પત્રકાર પાસેથી સમકાલીન ભારતના રાજકીય ચિત્ર વિષે લખાણ મળે એ ગુજરાતી સાહિત્યની મહત્ત્વની ઘટના છે.