સંજુ વાળાનાં કાવ્યો/સમજાતાં નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 25: Line 25:
રાસ સમજાતા નથી, રસખાન સમજાતા નથી
રાસ સમજાતા નથી, રસખાન સમજાતા નથી


અછાંદસ - ગદ્યકાવ્ય
'''અછાંદસ - ગદ્યકાવ્ય'''


આડી અવળી પરંતુ લયબદ્ધ નાની મોટી કબરો જે નથી તેની રાહ જોતી અને છે તેની પ્રતીતિ વિનાની </poem>
આડી અવળી પરંતુ લયબદ્ધ નાની મોટી કબરો જે નથી તેની રાહ જોતી અને છે તેની પ્રતીતિ વિનાની </poem>

Latest revision as of 01:00, 22 February 2024

સમજાતાં નથી


ભીતરી પીડાનાં શરસંધાન સમજાતાં નથી
ત્યાં કદીયે ભેંસ કે ભગવાન સમજાતાં નથી.

વૃક્ષને થડ, મૂળ, ડાળી, પાન સમજાતાં નથી
ત્યારે પંખીને સ્વયંના ગાન સમજાતાં નથી

છેક જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્ઞાત હોવું જોઈએ
વર્ણનોથી ધૂપ કે લોબાન સમજાતાં નથી

હાથમાં એના દિશાસૂચન મૂક્યુંં છે વહાણનું
જેમને નૈઋત્ય ને ઈશાન સમજાતા નથી

શ્વાસ ઊંડા લો કે આસન વાળીને બેસી રહો
વ્યર્થ છે સૌ જ્યાં સુધી સ્વસ્તાન સમજાતાં નથી

એ ખરું કે સ્પર્શની ભીનપ સુધી પહોંચાય છે
પણ ત્વચા ઉપર થતાં તોફાન સમજાતાં નથી

આપને હું કઈ રીતે વૈષ્ણવ કહું? હે ભક્તજન
રાસ સમજાતા નથી, રસખાન સમજાતા નથી

અછાંદસ - ગદ્યકાવ્ય

આડી અવળી પરંતુ લયબદ્ધ નાની મોટી કબરો જે નથી તેની રાહ જોતી અને છે તેની પ્રતીતિ વિનાની