ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/નિવેદન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 54: Line 54:


{{સ-મ|ગુજરાત વિદ્યાસભા<br>ભદ્ર, અમદાવાદ-૧<br>તા. ૭-૧૨-૧૯૬૬||'''જેઠાલાલ જી. ગાંધી'''<br>સહાયક મંત્રી}}
{{સ-મ|ગુજરાત વિદ્યાસભા<br>ભદ્ર, અમદાવાદ-૧<br>તા. ૭-૧૨-૧૯૬૬||'''જેઠાલાલ જી. ગાંધી'''<br>સહાયક મંત્રી}}
<br>
<br><br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|next = નિવેદન
|next = પ્રસ્તાવના
}}
}}

Revision as of 01:57, 6 June 2024

નિવેદન

સને ૧૯૩૦માં શરૂ કરેલી "ગ્રંથ અને ગ્રંથકાર”ના પ્રકાશનની યોજના અનુસાર આ અગિયારમું પુસ્તક પ્રગટ થાય છે. આ યોજનાનું દસમું પુસ્તક સને ૧૯૫૨માં પ્રસિદ્ધ થયેલું અને તેમાં સને ૧૯૪૨થી સને ૧૯૫૦ સુધીના સમયની વિગતો આપવામાં આવેલી. પ્રસ્તુત અગિયારમા પુસ્તકમાં સને ૧૯૫૧થી ૧૯૬૦ સુધીના સમયની વિગતો આપવામાં આવી છે. શરૂઆતનાં વર્ષોમાં થતું તે પ્રમાણે આ યોજનાનાં પ્રકાશનો ટૂંકા સમયના ગાળે પ્રગટ કરી શકાતાં નથી તેનાં કારણે સહેજે સમજી શકાય તેવાં છે. અત્યારની મોંઘવારીની અને અગાઉના ગ્રંથોમાં નહિ સમાવી શકાયેલા ગ્રંથકારોના પરિચય મેળવવામાં મુશ્કેલી એ આમાં મુખ્ય છે. પોતાને પરિચય મેળવતાં કેટલી મુશ્કેલીઓ પડી છે તે અંગે સંપાદકો શ્રી પીતાંબરભાઈ પટેલ અને પ્રા. ચીમનભાઈ ત્રિવેદીએ પોતાનું બયાન આપેલું છે; તેમ છતાં ખૂબ ધીરજ અને ચીવટ રાખી, શક્ય હોય તેટલી ઝડપથી, તેમણે પોતાનું કાર્ય પાર પાડ્યું છે. આ બદલ ગુજરાત વિદ્યાસભા સંપાદકોનો આભાર માને છે. જે ગ્રંથકારોએ પોતાની અથવા બીજાઓને લગતી માહિતી સંપાદકોને પહોંચાડી છે તેમનો પણ આભાર માનવો ઘટે છે. કારણકે તેમના સાથસહકાર વગર સંપાદકો પોતાનું કાર્ય પાર પાડી શક્યા નહોત. ભવિષ્યમાં પણ આ યોજના ચાલુ રહેવાની જ છે, અને તેથી જેમનો પરિચય મેળવવાનો છે તેમના તથા જેમને સંપાદનનું કાર્ય સોંપવામાં આવે તેમના ખંત, ચીવટ અને સહાયની અમે પૂરેપૂરી આથા રાખીએ છીએ. આશા છે કે આ પ્રકાશન અગાઉનાં પ્રકાશનોની જેમ સૌને ઉપયોગી નીવડશે અને એટલા પ્રમાણમાં સંપાદકોને તથા સંસ્થાને સંતોષ આપનાર બનશે.

આ પુસ્તક દી. બ. મણિભાઈ જશભાઈ કચ્છ સ્મારક ગ્રંથમાળાના ૧૧મા પુસ્તક તરીકે પ્રસિદ્ધ થાય છે. અગાઉનાં પ્રકાશનો નીચે પ્રમાણે છે.

૧. ઇંગ્લેંડની ઉન્નતિનો ઇતિહાસ -કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ૨-૦૦
૨. પ્રતિનિધિરાજ્ય વિષે વિવેચન -જગજીવનદાસ ભ. કાપડિયા ૨-૦૦
૩. પ્રાચીન ભારત ભા. ૧ -લક્ષ્મીશંકર મોરારજી ભટ્ટ ૦-૭૫
૪. રૂશિયા -કૃપાશંકર દોલતરામ ૦-૩૭
૫. લોકોપયોગી શરીરવિદ્યા -નીલકંઠરાય ડાહ્યાભાઈ છત્રપતિ ૦-૨૫
૬. અકબર -ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી ૦-૫૦
૭. યુરોપના સુધારાનો ઈતિહાસ -અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી ૦-૭૫
૮. હિંદુ રસાયનશાસ્ત્રનો ઈતિહાસ -પર્જન્યરાય વૈકુંઠરાય મેઢ ૦-૩૭
૯. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના -ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા ૦-૭૫
૧૦. ભૂમંડલીય સૂર્યગ્રહણ -હરિહર પ્રા. ભટ્ટ અને છોટુભાઈ સુથાર ૨-૫૦
ગુજરાત વિદ્યાસભા
ભદ્ર, અમદાવાદ-૧
તા. ૭-૧૨-૧૯૬૬
જેઠાલાલ જી. ગાંધી
સહાયક મંત્રી