ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/ભદ્રકુમાર અંબાલાલ યાજ્ઞિક: Difference between revisions

Corrected Inverted Comas
(+1)
 
(Corrected Inverted Comas)
Line 5: Line 5:


એમનો જન્મ ઈ.સ. ૧૯૦૭ના ઑગસ્ટની ૨૯મી તારીખે, મહેસાણા તાલુકાના સામેત્રા ગામે થયો હતો. એમનું મૂળ વતન ખેડા જિલ્લામાં આવેલ માતર ગામ. એમના પિતાનું નામ અંબાલાલ અને માતાનું નામ મણિબહેન. એમનું લગ્ન શ્રી ચંદ્રકાન્તાબેન સાથે ૧૯૩૬ની ૭મી એપ્રિલે થયું હતું. જ્ઞાતિએ તેઓ ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ હતા. એમણે અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ અમદાવાદમાં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં કર્યો હતો.
એમનો જન્મ ઈ.સ. ૧૯૦૭ના ઑગસ્ટની ૨૯મી તારીખે, મહેસાણા તાલુકાના સામેત્રા ગામે થયો હતો. એમનું મૂળ વતન ખેડા જિલ્લામાં આવેલ માતર ગામ. એમના પિતાનું નામ અંબાલાલ અને માતાનું નામ મણિબહેન. એમનું લગ્ન શ્રી ચંદ્રકાન્તાબેન સાથે ૧૯૩૬ની ૭મી એપ્રિલે થયું હતું. જ્ઞાતિએ તેઓ ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ હતા. એમણે અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ અમદાવાદમાં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં કર્યો હતો.
શ્રી ભદ્રકુમાર વ્યવસાયે પત્રકાર અને પ્રચારક હતા. એમના જીવનમાં સ્વ. અંબુભાઈ પુરાણી, સ્વ. સરદાર વલ્લભભાઈ, સુભાષ બોઝ, રામકૃષ્ણ મિશનના સ્વામી વિશ્વાનંદ, સ્વ. શામળદાસ ગાંધી અને સ્વ. કવિ નાનાલાલે પ્રબળ અસર કરી છે. પુસ્તકોમાં સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર અને ભાષણો, 'આગળ ધસો' તથા 'ભાગ્યના સ્ત્રષ્ટાઓ' અને લોકમાન્ય તિલકનું 'કર્મયોગરહસ્ય’ ગણાવી શકાય. સ્વ. અંબુભાઈની સારંગપુર વ્યાયામશાળામાં જતા ત્યારે આ પુસ્તકનું વાચન-મનન તેમણે કરેલું.
શ્રી ભદ્રકુમાર વ્યવસાયે પત્રકાર અને પ્રચારક હતા. એમના જીવનમાં સ્વ. અંબુભાઈ પુરાણી, સ્વ. સરદાર વલ્લભભાઈ, સુભાષ બોઝ, રામકૃષ્ણ મિશનના સ્વામી વિશ્વાનંદ, સ્વ. શામળદાસ ગાંધી અને સ્વ. કવિ નાનાલાલે પ્રબળ અસર કરી છે. પુસ્તકોમાં સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર અને ભાષણો, ‘આગળ ધસો' તથા ‘ભાગ્યના સ્ત્રષ્ટાઓ' અને લોકમાન્ય તિલકનું ‘કર્મયોગરહસ્ય’ ગણાવી શકાય. સ્વ. અંબુભાઈની સારંગપુર વ્યાયામશાળામાં જતા ત્યારે આ પુસ્તકનું વાચન-મનન તેમણે કરેલું.
શ્રી ભદ્રકુમારે ૧૫ વર્ષની ઉંમરે, ઘર છોડીને, ઈશ્વરની શોધમાં, ત્રણેક વર્ષ સાધુસંતોનો પરિચય કર્યો હતો. ઈ.સ.૧૯૩૦માં જેલમાં પણ ગયા હતા. કૌટુંબિક ગરીબી, અલ્પ શિક્ષણ વગેરેને લીધે અનેક યાતનાઓ અને કડવા અનુભવોમાંથી પસાર થયેલ. ૧૯૩૦થી ૧૯૪૫નાં વર્ષોમાં પત્રકારત્વનો અનુભવ કર્યો અને ચિત્રઉદ્યોગ સાથે નિકટનો સંપર્ક સંધાયો. શ્રી ભદ્રકુમાર જીવન જેવું છે તેવું શબ્દો દ્વારા રજૂ કરવામાં માનતા. યશ અને ધન પ્રાપ્તિની ઇચ્છા પણ ખરી. વળી એમનો વ્યવસાય જ એવો હતો કે એમને લખવું જ પડ્યું અને જે જે લખાયું તે વાચકોને પસંદ પણ પડ્યું.
શ્રી ભદ્રકુમારે ૧૫ વર્ષની ઉંમરે, ઘર છોડીને, ઈશ્વરની શોધમાં, ત્રણેક વર્ષ સાધુસંતોનો પરિચય કર્યો હતો. ઈ.સ.૧૯૩૦માં જેલમાં પણ ગયા હતા. કૌટુંબિક ગરીબી, અલ્પ શિક્ષણ વગેરેને લીધે અનેક યાતનાઓ અને કડવા અનુભવોમાંથી પસાર થયેલ. ૧૯૩૦થી ૧૯૪૫નાં વર્ષોમાં પત્રકારત્વનો અનુભવ કર્યો અને ચિત્રઉદ્યોગ સાથે નિકટનો સંપર્ક સંધાયો. શ્રી ભદ્રકુમાર જીવન જેવું છે તેવું શબ્દો દ્વારા રજૂ કરવામાં માનતા. યશ અને ધન પ્રાપ્તિની ઇચ્છા પણ ખરી. વળી એમનો વ્યવસાય જ એવો હતો કે એમને લખવું જ પડ્યું અને જે જે લખાયું તે વાચકોને પસંદ પણ પડ્યું.
એમનો પ્રથમ લેખ ઈ.સ.૧૯૨૭માં મુંબઈના 'પ્રજામિત્ર-કેસરી' સાપ્તાહિકમાં પ્રગટ થયેલ. એમને લખવાની પ્રેરણા આપનાર અંબુભાઈ પુરાણી અને કવિ નાનાલાલ. શ્રી ભદ્રકુમારના પ્રિય લેખકો કાલિદાસ અને ટાગોર. વળી મુનશીની કલ્પના, ભાષા અને વિચારોની મૌલિકતા તેમને ગમતી. લીન યુ ટાંગ પણ એમને ગમતા, એની સ્વતંત્ર વિચારસરણી માટે. એમનો પ્રિય સાહિત્યપ્રકાર હતો નવલકથા. જીવનમાં જોયેલા પ્રસંગો અને નજીક કે આસપાસના વાતાવરણમાં નજરે પડેલા માણસો અને એમનું સ્વભાવદર્શન કરાવી શકાય તે માટે નવલકથામાં એમને વિસ્તૃત ફલક મળતું. પત્રકારત્વ અને ફિલ્મપ્રચારક્ષેત્રના અનુભવને લીધે એમને નવલકથા માટે અનેક પ્રકારનું વસ્તુ મળ્યું છે. એમની કૃતિઓમાં મુખ્યત્વે સ્થૂલ વર્ણનો અને જાતીય સંબંધોની આંટીઘૂંટીઓ જોવા મળે છે. વાસ્તવદર્શનના એ આલેખક છે.
એમનો પ્રથમ લેખ ઈ.સ.૧૯૨૭માં મુંબઈના ‘પ્રજામિત્ર-કેસરી' સાપ્તાહિકમાં પ્રગટ થયેલ. એમને લખવાની પ્રેરણા આપનાર અંબુભાઈ પુરાણી અને કવિ નાનાલાલ. શ્રી ભદ્રકુમારના પ્રિય લેખકો કાલિદાસ અને ટાગોર. વળી મુનશીની કલ્પના, ભાષા અને વિચારોની મૌલિકતા તેમને ગમતી. લીન યુ ટાંગ પણ એમને ગમતા, એની સ્વતંત્ર વિચારસરણી માટે. એમનો પ્રિય સાહિત્યપ્રકાર હતો નવલકથા. જીવનમાં જોયેલા પ્રસંગો અને નજીક કે આસપાસના વાતાવરણમાં નજરે પડેલા માણસો અને એમનું સ્વભાવદર્શન કરાવી શકાય તે માટે નવલકથામાં એમને વિસ્તૃત ફલક મળતું. પત્રકારત્વ અને ફિલ્મપ્રચારક્ષેત્રના અનુભવને લીધે એમને નવલકથા માટે અનેક પ્રકારનું વસ્તુ મળ્યું છે. એમની કૃતિઓમાં મુખ્યત્વે સ્થૂલ વર્ણનો અને જાતીય સંબંધોની આંટીઘૂંટીઓ જોવા મળે છે. વાસ્તવદર્શનના એ આલેખક છે.
ઈ.સ. ૧૯૬૪ના ડિસેમ્બરની ૨૯ મી તારીખે મુંબઈ ખાતે એમનું અવસાન થયું છે.
ઈ.સ. ૧૯૬૪ના ડિસેમ્બરની ૨૯ મી તારીખે મુંબઈ ખાતે એમનું અવસાન થયું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}