બાળ કાવ્ય સંપદા/માછલી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|માછલી|લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ<br>(1903-1991)}}
{{Heading|માછલી|લેખક : અમૃતલાલ પારેખ <br>(1904-1990)}}


{{center|<poem>
{{center|<poem>

Latest revision as of 15:32, 12 February 2025

માછલી

લેખક : અમૃતલાલ પારેખ
(1904-1990)

હું તો જળની રમનાર રે,
જળની ભમનાર રે,
હું જળઘેલી માછલી !

મારે જળના આહાર રે,
જળના વિહા૨ રે,
હું જળઘેલી માછલી !

મને તેડે તરંગ રે,
ઝૂલવા ઉછંગ રે,
હું જળઘેલી માછલી !

જોઉં તરતાં હું વહાણ રે,
ઊડતાં વિમાન રે,
હું જળઘેલી માછલી !

તમે આવો મુજ ઘેર રે,
ત્યાં મોતીની મ્હેર રે,
હું જળઘેલી માછલી !

મને પૂરીને હોજ રે,
માણે જન મોજ રે,
હું જળઘેલી માછલી !

મને જળ શું બહુ નેહ રે,
ધારું ના દેહ રે,
હું જળઘેલી માછલી !

તમે રાખો એ રીત રે,
જળ-મીનની પ્રીત રે,
હું જળઘેલી માછલી !